Amazon Payને મોટો ઝટકો, RBIએ ફટકાર્યો રૂ. 3.06 કરોડનો દંડ, જાણો કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-03 20:07:11

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને તમારા ગ્રાહકને જાણો (KYC) સંબંધિત અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. 


પહેલા ફટકારી હતી નોટિસ


RBIએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એવું જોવામાં આવ્યું છે કે સંસ્થા KYC (તમારા ગ્રાહકને જાણો) જરૂરિયાતો પર RBIના નિર્દેશોનું પાલન કરી રહી નથી. RBI એ એમેઝોન પે (Amazon Pay)ને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવામાં ન આવે. ત્યારબાદ, કંપનીના જવાબને ધ્યાનમાં લીધા પછી, RBI એ નિષ્કર્ષ પર આવ્યું કે તેના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપો સાચા છે અને તેના પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો હતો.


નિયમો અવગણ્યા તો ફટકાર્યો દંડ


કેન્દ્રિય બેંકે જણાવ્યું હતું કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ એમેઝોન પે (ભારત) દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે ટિપ્પણી કરવાનો નથી. એમેઝોન પે (Amazon Pay) એ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનનું ડિજિટલ પેમેન્ટ આર્મ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.