Amazon Payને મોટો ઝટકો, RBIએ ફટકાર્યો રૂ. 3.06 કરોડનો દંડ, જાણો કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-03 20:07:11

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને તમારા ગ્રાહકને જાણો (KYC) સંબંધિત અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. 


પહેલા ફટકારી હતી નોટિસ


RBIએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એવું જોવામાં આવ્યું છે કે સંસ્થા KYC (તમારા ગ્રાહકને જાણો) જરૂરિયાતો પર RBIના નિર્દેશોનું પાલન કરી રહી નથી. RBI એ એમેઝોન પે (Amazon Pay)ને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવામાં ન આવે. ત્યારબાદ, કંપનીના જવાબને ધ્યાનમાં લીધા પછી, RBI એ નિષ્કર્ષ પર આવ્યું કે તેના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપો સાચા છે અને તેના પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો હતો.


નિયમો અવગણ્યા તો ફટકાર્યો દંડ


કેન્દ્રિય બેંકે જણાવ્યું હતું કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ એમેઝોન પે (ભારત) દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે ટિપ્પણી કરવાનો નથી. એમેઝોન પે (Amazon Pay) એ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનનું ડિજિટલ પેમેન્ટ આર્મ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.