RBIએ રેપો રેટમાં 0.35%નો વધારો કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-07 11:25:02

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટ 5.40 ટકાથી વધારીને 6.25 ટકા કરી દીધો છે. રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેની સીધી અસર લોન પર પડશે. વધતી મોંઘવારીને કાબુ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મોદ્રિક નીતિ સમિતીનું માનવું છે.

રેપો રેટમાં કરાયો વધારો

રેપો રેટ વધારવાની જાહેરાત કરતા શશિકાંત દાસે જણાવ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી વધુ રહેવાનો અંદાજો છે. 6 સભ્યોની બનેલી કમિટીમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. વધુમાં આરબીઆઈના ગવર્નરે કહ્યું કે 2023માં જીડીપી ગ્રોથ 6.8 ટકા રહી શકે છે. રેપો રેટ વધવારને કારણે લોન પણ મોંઘી થઈ જશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે