RBIએ રેપો રેટમાં 0.35%નો વધારો કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-07 11:25:02

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટ 5.40 ટકાથી વધારીને 6.25 ટકા કરી દીધો છે. રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેની સીધી અસર લોન પર પડશે. વધતી મોંઘવારીને કાબુ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મોદ્રિક નીતિ સમિતીનું માનવું છે.

રેપો રેટમાં કરાયો વધારો

રેપો રેટ વધારવાની જાહેરાત કરતા શશિકાંત દાસે જણાવ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી વધુ રહેવાનો અંદાજો છે. 6 સભ્યોની બનેલી કમિટીમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. વધુમાં આરબીઆઈના ગવર્નરે કહ્યું કે 2023માં જીડીપી ગ્રોથ 6.8 ટકા રહી શકે છે. રેપો રેટ વધવારને કારણે લોન પણ મોંઘી થઈ જશે.   




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.