RBIએ ફરી રેપો રેટ વધાર્યો, જાણો કેટલી વધી જશે હોમ લોનની EMI


  • Published By :
  • Published Date : 2023-02-08 14:25:40

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છઠ્ઠી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે, આજે 8 ફેબ્રુઆરી 2023ના દિવસે RBIએ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ  6.50 ટકા પર પહોંચી ગયો છે. RBIએ છેલ્લે ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBIના વ્યાજ વધારાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે અને અંતે હોમ લોન ધારકોને  EMI પેટે વધુ રકમ ચૂકવવી પડશે.


હોમ લોનની  EMI કેટલી વધશે?    




રેપો રેટમાં સતત 6ઠ્ઠી વખત વધારો


અત્રે ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો છે. આ પહેલા પાંચ વખતો તો વધારો થઈ  ચુક્યો છે. આરબીઆઈએ એક વર્ષમાં કુલ 225 બેસીસ પોઈન્ટની વૃધ્ધી કરી છે. આરબીઆઈએ છેલ્લે ડિસેમ્બર 2022માં તેમાં 0.35 ટકાની વૃધ્ધી કરી હતી. ત્યાર બાદ તે વધીને 6.24 ટકા કરી દીધો હતો. રેપો રેટ વધવાથી સૌથી વધુ ઝટકો સામાન્ય માણસને લાગ્યો છે, આ રીતે સામાન્ય માણસ પરનું આર્થિક ભારણ વધી જશે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.