RBIએ ફરી રેપો રેટ વધાર્યો, જાણો કેટલી વધી જશે હોમ લોનની EMI


  • Published By :
  • Published Date : 2023-02-08 14:25:40

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છઠ્ઠી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે, આજે 8 ફેબ્રુઆરી 2023ના દિવસે RBIએ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ  6.50 ટકા પર પહોંચી ગયો છે. RBIએ છેલ્લે ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBIના વ્યાજ વધારાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે અને અંતે હોમ લોન ધારકોને  EMI પેટે વધુ રકમ ચૂકવવી પડશે.


હોમ લોનની  EMI કેટલી વધશે?    




રેપો રેટમાં સતત 6ઠ્ઠી વખત વધારો


અત્રે ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો છે. આ પહેલા પાંચ વખતો તો વધારો થઈ  ચુક્યો છે. આરબીઆઈએ એક વર્ષમાં કુલ 225 બેસીસ પોઈન્ટની વૃધ્ધી કરી છે. આરબીઆઈએ છેલ્લે ડિસેમ્બર 2022માં તેમાં 0.35 ટકાની વૃધ્ધી કરી હતી. ત્યાર બાદ તે વધીને 6.24 ટકા કરી દીધો હતો. રેપો રેટ વધવાથી સૌથી વધુ ઝટકો સામાન્ય માણસને લાગ્યો છે, આ રીતે સામાન્ય માણસ પરનું આર્થિક ભારણ વધી જશે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.