2000ની ચલણી નોટ પાછી ખેંચવાનો RBIનો નિર્ણય જ્વેલર્સને ફળ્યો, સોના, ચાંદી અને હીરાનું વેચાણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-21 19:19:00

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશભરમાં જ્વેલર્સ પાસે સોના, ચાંદી અને હીરાનું ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની ખરીદીમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દેશના તમામ મોટા શહેરોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.


જ્વેલર્સને બખ્ખાં પડી ગયા


રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછા ખેંચવાની જાહેરાત થયા બાદ કિમતી ધાતુઓની ખરીદી માટે લોકોએ દોડ મુકી છે.ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ (GJC)એ જણાવ્યું હતું. અલબત નો યોર કસ્ટમર્સ (KYC)ના કડક પાલનને લીધે રૂપિયા 2,000ની ચલણી નોટોના બદલામાં સોનાની ખરીદીમાં હકીકતમાં ઘટાડો થયો છે. તેમ છતાં જ્વેલર્સ સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રિમિયમ મેળવવાની શરૂઆત કરી છે, જેને પગલે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 66,000ને પાર થઈ ગયા છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં સોનાના ભાવ 60,200 આસપાસ છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક જ્વેલર્સે શનિવારે રૂપિયા 2000ની નોટના બદલામાં સોનાનું વેચાણ શરૂ કર્યું છે જો કે આ વેચાણ પણ પ્રિમિયમ રેટથી કરવામાં આવી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.