2000ની ચલણી નોટ પાછી ખેંચવાનો RBIનો નિર્ણય જ્વેલર્સને ફળ્યો, સોના, ચાંદી અને હીરાનું વેચાણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-21 19:19:00

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશભરમાં જ્વેલર્સ પાસે સોના, ચાંદી અને હીરાનું ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની ખરીદીમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દેશના તમામ મોટા શહેરોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.


જ્વેલર્સને બખ્ખાં પડી ગયા


રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછા ખેંચવાની જાહેરાત થયા બાદ કિમતી ધાતુઓની ખરીદી માટે લોકોએ દોડ મુકી છે.ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ (GJC)એ જણાવ્યું હતું. અલબત નો યોર કસ્ટમર્સ (KYC)ના કડક પાલનને લીધે રૂપિયા 2,000ની ચલણી નોટોના બદલામાં સોનાની ખરીદીમાં હકીકતમાં ઘટાડો થયો છે. તેમ છતાં જ્વેલર્સ સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રિમિયમ મેળવવાની શરૂઆત કરી છે, જેને પગલે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 66,000ને પાર થઈ ગયા છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં સોનાના ભાવ 60,200 આસપાસ છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક જ્વેલર્સે શનિવારે રૂપિયા 2000ની નોટના બદલામાં સોનાનું વેચાણ શરૂ કર્યું છે જો કે આ વેચાણ પણ પ્રિમિયમ રેટથી કરવામાં આવી રહ્યું છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.