2000ની ચલણી નોટ પાછી ખેંચવાનો RBIનો નિર્ણય જ્વેલર્સને ફળ્યો, સોના, ચાંદી અને હીરાનું વેચાણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-21 19:19:00

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશભરમાં જ્વેલર્સ પાસે સોના, ચાંદી અને હીરાનું ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની ખરીદીમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દેશના તમામ મોટા શહેરોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.


જ્વેલર્સને બખ્ખાં પડી ગયા


રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછા ખેંચવાની જાહેરાત થયા બાદ કિમતી ધાતુઓની ખરીદી માટે લોકોએ દોડ મુકી છે.ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ (GJC)એ જણાવ્યું હતું. અલબત નો યોર કસ્ટમર્સ (KYC)ના કડક પાલનને લીધે રૂપિયા 2,000ની ચલણી નોટોના બદલામાં સોનાની ખરીદીમાં હકીકતમાં ઘટાડો થયો છે. તેમ છતાં જ્વેલર્સ સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રિમિયમ મેળવવાની શરૂઆત કરી છે, જેને પગલે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 66,000ને પાર થઈ ગયા છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં સોનાના ભાવ 60,200 આસપાસ છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક જ્વેલર્સે શનિવારે રૂપિયા 2000ની નોટના બદલામાં સોનાનું વેચાણ શરૂ કર્યું છે જો કે આ વેચાણ પણ પ્રિમિયમ રેટથી કરવામાં આવી રહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.