વાંચો બજેટ 2023ની મોટી વાતો, નિર્મલા સીતારમણ કરી રહ્યા છે બજેટ રજૂ


  • Published By :
  • Published Date : 2023-02-01 12:47:39

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નિર્મલા સીતારમણએ અનેક ક્ષેત્રો માટે બજેટ જાહેર કર્યું છે પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડ કાળ દરમિયાન 2 લાખ કરોડનું મફત અનાજ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે હજી પણ ચાલું છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.  


રેલ્વે વિભાગને લઈ કરી જાહેરાત 

રેલવે વિભાગ માટે જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે રેલવે પાછળ રોકાણમાં વધારો કરવામાં આવશે તે ઉપરાંત PPPને પ્રોત્સાહન આપવામાં આવશે અને રેલવે પાછળ 2.4 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. તે સિવાય ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ખાનગી કંપનીઓના સહયોગથી નવી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે.

 

શિક્ષણ ક્ષેત્રે કરાઈ આ જાહેરાત 

શિક્ષણ ક્ષેત્રે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. તે મુજબ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરૂઆત કરવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત આગામી 3 વર્ષ માટે લાખો યુવાનોને રોજગાર આપવામાં આવશે. સિવાય સરકાર નેશનલ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે. નેશનલ ડીજીટલ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. તે સિવાય એકલવ્ય સ્કૂલ માટે 38800 શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે. 


મહિલાઓ માટે પણ કરવામાં આવી જાહેરાત 

મહિલાઓ માટે પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ બે વર્ષ માટે બે લાખ રુપિયાનું રોકાણ કરી શકશે. આ ડિપોઝિટ પર ટેક્સ છૂટ મળશે અને તેની પર 7.5 ટકા રિટર્ન આપવામાં આવશે. આ પ્રકારની યોજનાઓ મહિલાઓ માટે પ્રથમ વખત લાવવામાં આવી છે.     


અનેક વસ્તુઓ સસ્તી થઈ તો અનેક વસ્તુઓ મોંઘી થઈ  

તે સિવાય નોકરિયાતને માટે રાહત વ્યક્તિગત કર મર્યાદામાં ફેરફાર કરાયો છે. કર મર્યદા 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી છે. તે સિવાય સોનું,ચાંદી અને પ્લેટિનિમ મોઘું થયું છે તે સિવાય સિગરેટ પણ મોંઘી થઈ છે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ પણ મોંઘી થશે. તે સિવાય આ વસ્તુઓ સસ્તી થઈ છે જેમાં ઈલેક્ટ્રિક વાહનો, રમકડા, સાઈકલ, અમુક મોબાઈલો કેમેરાના લેન્સ સસ્તા થયા છે.    


ખેડૂતોને લઈ કરાઈ આવી જાહેરાત 

ખેડૂતોને ધ્યાનમાં રાખી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ખેડૂતો માટે કિસાન ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે જેમાં ખેતીને લગતી માહિતી ખેડૂતોને મળી જશે. તે ઉપરાંત ફળદ્રુપ જમીનની ફાળવણી પર પણ ધ્યાન આપવામાં આવશે. આ ઉરાંત ગોવર્ધન સ્કીમ અંતર્ગત 500 નવા યુનિટ સ્થાપવામાં આવશે. તે સિવાય કીટનાશકો માટે 10000 બાયો ઈનપુટ સેન્ટર બનશે. બાગાયતી પેદાશો માચે 2200 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આને કારણે બાગાયતને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.