વાંચો બજેટ 2023ની મોટી વાતો, નિર્મલા સીતારમણ કરી રહ્યા છે બજેટ રજૂ


  • Published By :
  • Published Date : 2023-02-01 12:47:39

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નિર્મલા સીતારમણએ અનેક ક્ષેત્રો માટે બજેટ જાહેર કર્યું છે પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડ કાળ દરમિયાન 2 લાખ કરોડનું મફત અનાજ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે હજી પણ ચાલું છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.  


રેલ્વે વિભાગને લઈ કરી જાહેરાત 

રેલવે વિભાગ માટે જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે રેલવે પાછળ રોકાણમાં વધારો કરવામાં આવશે તે ઉપરાંત PPPને પ્રોત્સાહન આપવામાં આવશે અને રેલવે પાછળ 2.4 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. તે સિવાય ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ખાનગી કંપનીઓના સહયોગથી નવી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે.

 

શિક્ષણ ક્ષેત્રે કરાઈ આ જાહેરાત 

શિક્ષણ ક્ષેત્રે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. તે મુજબ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરૂઆત કરવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત આગામી 3 વર્ષ માટે લાખો યુવાનોને રોજગાર આપવામાં આવશે. સિવાય સરકાર નેશનલ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે. નેશનલ ડીજીટલ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. તે સિવાય એકલવ્ય સ્કૂલ માટે 38800 શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે. 


મહિલાઓ માટે પણ કરવામાં આવી જાહેરાત 

મહિલાઓ માટે પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ બે વર્ષ માટે બે લાખ રુપિયાનું રોકાણ કરી શકશે. આ ડિપોઝિટ પર ટેક્સ છૂટ મળશે અને તેની પર 7.5 ટકા રિટર્ન આપવામાં આવશે. આ પ્રકારની યોજનાઓ મહિલાઓ માટે પ્રથમ વખત લાવવામાં આવી છે.     


અનેક વસ્તુઓ સસ્તી થઈ તો અનેક વસ્તુઓ મોંઘી થઈ  

તે સિવાય નોકરિયાતને માટે રાહત વ્યક્તિગત કર મર્યાદામાં ફેરફાર કરાયો છે. કર મર્યદા 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી છે. તે સિવાય સોનું,ચાંદી અને પ્લેટિનિમ મોઘું થયું છે તે સિવાય સિગરેટ પણ મોંઘી થઈ છે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ પણ મોંઘી થશે. તે સિવાય આ વસ્તુઓ સસ્તી થઈ છે જેમાં ઈલેક્ટ્રિક વાહનો, રમકડા, સાઈકલ, અમુક મોબાઈલો કેમેરાના લેન્સ સસ્તા થયા છે.    


ખેડૂતોને લઈ કરાઈ આવી જાહેરાત 

ખેડૂતોને ધ્યાનમાં રાખી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ખેડૂતો માટે કિસાન ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે જેમાં ખેતીને લગતી માહિતી ખેડૂતોને મળી જશે. તે ઉપરાંત ફળદ્રુપ જમીનની ફાળવણી પર પણ ધ્યાન આપવામાં આવશે. આ ઉરાંત ગોવર્ધન સ્કીમ અંતર્ગત 500 નવા યુનિટ સ્થાપવામાં આવશે. તે સિવાય કીટનાશકો માટે 10000 બાયો ઈનપુટ સેન્ટર બનશે. બાગાયતી પેદાશો માચે 2200 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આને કારણે બાગાયતને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.   



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.