સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પહેલા વાંચીલો નિયમ, કોરોના કેસ વધતા જાહેર કરાઈ ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 10:58:41

વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ બધા દેશોમાં વધતા કોરોના કહેરને જોતા ભારત સરકાર સતર્ક બની છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. વધતા કોરોના કેસને જોતા ગુજરાતના અનેક પર્યટકો સ્થળો માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.


 


માસ્ક પહેર્યા વગર નહીં મળે એન્ટ્રી 

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ક્રિસમસ વેકેશન પણ હાલ ચાલી રહ્યું છે. જેને કારણે અનેક લોકો વેકેશન મનાવા ફરવા જતા હોય છે. ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. તેમાં સ્યેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સતર્ક બની છે. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપરથી આ માહિતી અંગેની ટ્વિટ કરી છે.  

Statue of Unity: Visiting hours increased by two hours to accommodate rush  of tourists | The Financial Express


વિકએન્ડ પર હજારો પ્રવાસીઓ લે છે સ્થળની મુલાકાત 

 ક્રિસમસના સમયગાળા દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. અનેક લોકો રજાની મજા માણવા ફરવા નિકળતા હોય છે. એમા પણ આ વખતે ક્રિસમસ વિકએન્ડના દિવસોમાં હતું જેને કારણે પ્રવાસીઓની સંખ્યા વધે તે સ્વભાવિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક અંદાજ પ્રમાણે શનિવાર તેમજ રવિવારના દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણના ખતરાની વચ્ચે ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવું પડશે. માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું ટ્વિટ કરવામાં આવ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.