સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પહેલા વાંચીલો નિયમ, કોરોના કેસ વધતા જાહેર કરાઈ ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 10:58:41

વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ બધા દેશોમાં વધતા કોરોના કહેરને જોતા ભારત સરકાર સતર્ક બની છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. વધતા કોરોના કેસને જોતા ગુજરાતના અનેક પર્યટકો સ્થળો માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.


 


માસ્ક પહેર્યા વગર નહીં મળે એન્ટ્રી 

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ક્રિસમસ વેકેશન પણ હાલ ચાલી રહ્યું છે. જેને કારણે અનેક લોકો વેકેશન મનાવા ફરવા જતા હોય છે. ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. તેમાં સ્યેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સતર્ક બની છે. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપરથી આ માહિતી અંગેની ટ્વિટ કરી છે.  

Statue of Unity: Visiting hours increased by two hours to accommodate rush  of tourists | The Financial Express


વિકએન્ડ પર હજારો પ્રવાસીઓ લે છે સ્થળની મુલાકાત 

 ક્રિસમસના સમયગાળા દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. અનેક લોકો રજાની મજા માણવા ફરવા નિકળતા હોય છે. એમા પણ આ વખતે ક્રિસમસ વિકએન્ડના દિવસોમાં હતું જેને કારણે પ્રવાસીઓની સંખ્યા વધે તે સ્વભાવિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક અંદાજ પ્રમાણે શનિવાર તેમજ રવિવારના દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણના ખતરાની વચ્ચે ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવું પડશે. માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું ટ્વિટ કરવામાં આવ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.