સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પહેલા વાંચીલો નિયમ, કોરોના કેસ વધતા જાહેર કરાઈ ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 10:58:41

વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ બધા દેશોમાં વધતા કોરોના કહેરને જોતા ભારત સરકાર સતર્ક બની છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. વધતા કોરોના કેસને જોતા ગુજરાતના અનેક પર્યટકો સ્થળો માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.


 


માસ્ક પહેર્યા વગર નહીં મળે એન્ટ્રી 

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ક્રિસમસ વેકેશન પણ હાલ ચાલી રહ્યું છે. જેને કારણે અનેક લોકો વેકેશન મનાવા ફરવા જતા હોય છે. ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. તેમાં સ્યેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સતર્ક બની છે. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપરથી આ માહિતી અંગેની ટ્વિટ કરી છે.  

Statue of Unity: Visiting hours increased by two hours to accommodate rush  of tourists | The Financial Express


વિકએન્ડ પર હજારો પ્રવાસીઓ લે છે સ્થળની મુલાકાત 

 ક્રિસમસના સમયગાળા દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. અનેક લોકો રજાની મજા માણવા ફરવા નિકળતા હોય છે. એમા પણ આ વખતે ક્રિસમસ વિકએન્ડના દિવસોમાં હતું જેને કારણે પ્રવાસીઓની સંખ્યા વધે તે સ્વભાવિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક અંદાજ પ્રમાણે શનિવાર તેમજ રવિવારના દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણના ખતરાની વચ્ચે ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવું પડશે. માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું ટ્વિટ કરવામાં આવ્યું હતું.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.