સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પહેલા વાંચીલો નિયમ, કોરોના કેસ વધતા જાહેર કરાઈ ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 10:58:41

વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ બધા દેશોમાં વધતા કોરોના કહેરને જોતા ભારત સરકાર સતર્ક બની છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. વધતા કોરોના કેસને જોતા ગુજરાતના અનેક પર્યટકો સ્થળો માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.


 


માસ્ક પહેર્યા વગર નહીં મળે એન્ટ્રી 

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ક્રિસમસ વેકેશન પણ હાલ ચાલી રહ્યું છે. જેને કારણે અનેક લોકો વેકેશન મનાવા ફરવા જતા હોય છે. ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. તેમાં સ્યેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સતર્ક બની છે. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપરથી આ માહિતી અંગેની ટ્વિટ કરી છે.  

Statue of Unity: Visiting hours increased by two hours to accommodate rush  of tourists | The Financial Express


વિકએન્ડ પર હજારો પ્રવાસીઓ લે છે સ્થળની મુલાકાત 

 ક્રિસમસના સમયગાળા દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. અનેક લોકો રજાની મજા માણવા ફરવા નિકળતા હોય છે. એમા પણ આ વખતે ક્રિસમસ વિકએન્ડના દિવસોમાં હતું જેને કારણે પ્રવાસીઓની સંખ્યા વધે તે સ્વભાવિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક અંદાજ પ્રમાણે શનિવાર તેમજ રવિવારના દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણના ખતરાની વચ્ચે ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવું પડશે. માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું ટ્વિટ કરવામાં આવ્યું હતું.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.