બહારની પાણીપૂરી ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Ahmedabadમાં પાણીપુરી ખાધા બાદ કિશોરીની બગડી તબિયત અને પછી...


  • Published By :
  • Published Date : 2023-10-03 12:37:43

જ્યારે તમે કોઈ મહિલા અથવા તો છોકરીને પૂછો કે તમારૂં ફેવરિટ ખાવાની વસ્તુ કઈ છે તો અનેકના જવાબમાં હશે પાણીપુરી. પાણીપુરીનું નામ સાંભળતા જ અનેક લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ એવા સમાચારો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી જગ્યાઓ પર પાણીપૂરીનો મસાલો બનાવવામાં આવે તેનો પર્દાફાશ કરવામાં આવે છે. એ દ્રશ્યો જોઈને કદાચ આપણને ઉલ્ટી પણ આવી જાય. ત્યારે એક કિશોરીનું મોત પાણીપુરી ખાધા બાદ થયું છે તેવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે.  

પાણીપુરીના રસિયા છો તો આ જરૂરથી ક્લિક કરો, માત્ર તમારા માટે જ છે - Real  Gujarat

પાણીપુરી ખાવાને લીધે બગડી કિશોરીની તબિયત 

આજે પાણીપુરીની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કિશોરીએ પાણીપૂરી ખાધી તે બાદ તેને ગંભીર બિમારી થઈ. લીવરને લગતી બિમારી કિશોરીને થઈ ગઈ. ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી લીવરનું  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું પરંતુ તેનું મોત થઈ ગયું. 13 વર્ષીય કિશોરીએ પાણીપુરી ખાધી. તે બાદ તેને પેટમાં દુખવાનું શરૂ થયું. 

Vadodara Municipal Corporation bans on Panipuri ater rising disease


ગંભીર લીવર રોગનો ભોગ બની હતી કિશોરી 

આ અંગેની ફરિયાદ કરી જેને પગલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. દવા લીધી પરંતુ કોઈ અસર ન થઈ. ત્યારે તપાસ દરમિયાન ખબર પડી કે તેને લીવરને લગતી બિમારી થઈ ગઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી Institute for kidney dieases and research centerમાં તેને લઈ જવામાં આવી. તપાસ દરમિયાન ખબર પડી કે તેને હિપેટાઇસિટ ઇ થયું છે. એટલું જ નહીં, હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું.    

લિવર ખરાબ થવાના લક્ષણ, લીવર સ્વસ્થ રાખવા શું ખાવું - Liver Detox Food  benefits | લાઇફ સ્ટાઇલ - Indian Express Gujarati

સર્જરી બાદ કિશોરીની વધુ બગડી તબિયત, થયું મોત 

કિશોરીને સારવાર અર્થે ખસેડવામાં આવી. લીવરને ભારે નુકસાન થયું હોવાને કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ફરજ પડી. સર્જરી સફળ પણ ગઈ.  પરંતુ તે બાદ કિશોરીની તબિયત ખરાબ થવા લાગી. સર્જરીના થોડા સમય  બાદ તેની તબિયત લથડી અને અંતે તેનું મૃત્યુ થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. જે રોગને કારણે કિશોરીનું મોત થયું તેની વાત કરીએ તો આ રોગ લીવર સંબંધિત છે જે વાયરલ ઈન્ફેક્શનને કારણે થાય છે. અલગ અલગ પ્રકારના હિપેરાઈટિસ હોય છે. 

આસોદર વાસદ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત | One person died  in an accident on the overbridge near Asodar Vasad

જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો 

મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હોય છે જેઓ regularly અથવા તો બહુ બધી વાર બહારનું ખાતા હોય છે. બહારની વસ્તુઓમાં ટેસ્ટ તો હોય છે પરંતુ તે શરીરને નુકસાન પહોંચાડે તેવા હોય છે. બહારની વસ્તુઓ કેવી જગ્ચાઓ પર બને છે તેની જાણ આપણને નથી હોતી. કેવા મસાલા, કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જાણતા નથી. ડોક્ટરો પણ બહારનું ખાવાની ના પાડે છે. બહારની વસ્તુઓ અંગે ડોક્ટર્સ પણ ચેતતા રહેવાનું કહે છે. બહારનું તેમજ જંક ફૂડ ખાવવાની ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.