પાણીપૂરી ખાતા પહેલા વાંચી લેજો આ સમાચાર, વડોદરામાં આટલા દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-18 15:52:28

જ્યારે કોઈ મહિલા શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપૂરી ખાઈને આવતી હોય છે. પાણીપૂરીની દુકાન પણ એવી જગ્યાઓ પર હોતી હોય છે જ્યાં મહિલાઓની અવરજવર વધારે હોતી હોય છે. ત્યારે વડોદરામાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ગઈકાલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સડેલા બટેકાનો જથ્થો મળી આવ્યો હતો.     


આગામી 10 દિવસ સુધી નહીં થાય પાણીપૂરીનું વેચાણ

વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી. વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતા પાણીપૂરીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેના ક્વોલિટીની ચકાસણી કરવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વડોદરા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 10 દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.   


ગઈકાલે આરોગ્યવિભાગે પાડ્યા હતા દરોડા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝન દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. અનેક લોકો બિમારીનો શિકાર બનતા હોય છે. સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનો પર તેમજ સ્ટોલ પર દરોડા પાડવામાં આવતા હોય છે કેવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપૂરી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.  


દરોડા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો નિર્ણય   

આરોગ્ય વર્ધક વસ્તુઓ ન હોવાને કારણે તેમજ રોગચાળો વધતો હોવાને કારણે આગામી 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે કરવામાં આવેલા દરોડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.