પાણીપૂરી ખાતા પહેલા વાંચી લેજો આ સમાચાર, વડોદરામાં આટલા દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-18 15:52:28

જ્યારે કોઈ મહિલા શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપૂરી ખાઈને આવતી હોય છે. પાણીપૂરીની દુકાન પણ એવી જગ્યાઓ પર હોતી હોય છે જ્યાં મહિલાઓની અવરજવર વધારે હોતી હોય છે. ત્યારે વડોદરામાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ગઈકાલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સડેલા બટેકાનો જથ્થો મળી આવ્યો હતો.     


આગામી 10 દિવસ સુધી નહીં થાય પાણીપૂરીનું વેચાણ

વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી. વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતા પાણીપૂરીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેના ક્વોલિટીની ચકાસણી કરવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વડોદરા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 10 દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.   


ગઈકાલે આરોગ્યવિભાગે પાડ્યા હતા દરોડા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝન દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. અનેક લોકો બિમારીનો શિકાર બનતા હોય છે. સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનો પર તેમજ સ્ટોલ પર દરોડા પાડવામાં આવતા હોય છે કેવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપૂરી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.  


દરોડા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો નિર્ણય   

આરોગ્ય વર્ધક વસ્તુઓ ન હોવાને કારણે તેમજ રોગચાળો વધતો હોવાને કારણે આગામી 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે કરવામાં આવેલા દરોડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.