પાણીપૂરી ખાતા પહેલા વાંચી લેજો આ સમાચાર, વડોદરામાં આટલા દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-18 15:52:28

જ્યારે કોઈ મહિલા શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપૂરી ખાઈને આવતી હોય છે. પાણીપૂરીની દુકાન પણ એવી જગ્યાઓ પર હોતી હોય છે જ્યાં મહિલાઓની અવરજવર વધારે હોતી હોય છે. ત્યારે વડોદરામાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ગઈકાલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સડેલા બટેકાનો જથ્થો મળી આવ્યો હતો.     


આગામી 10 દિવસ સુધી નહીં થાય પાણીપૂરીનું વેચાણ

વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી. વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતા પાણીપૂરીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેના ક્વોલિટીની ચકાસણી કરવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વડોદરા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 10 દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.   


ગઈકાલે આરોગ્યવિભાગે પાડ્યા હતા દરોડા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝન દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. અનેક લોકો બિમારીનો શિકાર બનતા હોય છે. સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનો પર તેમજ સ્ટોલ પર દરોડા પાડવામાં આવતા હોય છે કેવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપૂરી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.  


દરોડા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો નિર્ણય   

આરોગ્ય વર્ધક વસ્તુઓ ન હોવાને કારણે તેમજ રોગચાળો વધતો હોવાને કારણે આગામી 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે કરવામાં આવેલા દરોડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.