એક પછી એક ભારત વિરોધી આતંકવાદીઓનો પાકિસ્તાનમાં સફાયો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-19 19:09:39

હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે . આનો પ્લોટ તમને સમજાઈ જશે કેમ કે , તમે ઘણી વેબસીરીઝ તો જોઈ જ હશે . હમણાં જ પાકિસ્તાનમાં ૨૬/૧૧નો મુંબઈ હુમલો કરાવનાર હાફિઝ સઈદના ખાસ માણસ અબુ કતલની ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઇ ચુકી છે .  જોકે હંમેશાની જેમ પાકિસ્તાન ભારતનો જ વાંક કાઢતું રહે છે . પાકિસ્તાન એક એવો દેશ જે ઘણા સમયથી ખુબ ચિંતિત છે . તેની પર હમણાં જ થોડા સમય પેહલા અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . આ પછી ગયા અઠવાડીએ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો હુમલો બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો . 

Hafiz Saeed - Wikipedia

હવે પાકિસ્તાનમાં કેટલાક ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાઓ થઈ રહી છે . હાફિઝ સઈદ , કે જે લશ્કરે તયબા નામનું સંગઠન ચલાવે છે તેનો ખાસ માણસ અબુ કતલની પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઈ ચુકી છે સાથે જ તેનો એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો હતો . અબુ કતલએ "કતલ સિંધી" તરીકે પણ જાણીતો હતો. અબુ કતલએ એલીટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો . તેની પર હુમલાવરોએ ૧૫ થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કરી હતી . અબુ કતલએ હાફિઝ સઈદનો ખુબ વિશ્વાસુ વ્યક્તિ હતો . તે જૂન ૨૦૨૪માં જમ્મુ કાશ્મીરમાં થયેલા રિયાસી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો . ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેનું નામ ચાર્જશીટમાં પણ એડ કર્યું હતું .આ અબુ કતલ જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૦ની સાલમાં ઘૂસણખોરી કરીને ઘુસ્યો હતો આ પછી તે ૨૦૦૫માં ચુપચાપ નીકળી પણ ગયો હતો . તેની પાસે જમ્મુકાશ્મીરના પુંચ અને રાજોરીમાં ઓવરગ્રાઉન્ડ કાર્યકરોનું જબરદસ્ત નેટવર્ક પણ હતું . અબુ કતલે આ બેઉ જિલ્લાઓમાં નવા યુવાનોની ભરતીનું આયોજન કર્યું હતું . જોકે આ હુમલા પછી હાફિઝ સઈદના દીકરા તાલહા સઈદની સુરક્ષા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા વધારી દેવામાં આવી છે . હાફિઝ સઈદ ઘણા લાંબા સમયથી આવા હુમલાઓનો સામનો કરી રહ્યો છે . ૨૦૨૧ના વર્ષમાં લાહોરમાં તેના છુપા ઠેકાણા નજીક જે સુસાઇડ હુમલો થયો હતો તેમાં તે માંડમાંડ બચ્યો હતો . જોકે આ હુમલાઓથી લશ્કરે તયબ્બામાં જબરદસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે . આની માટે એક જ દાખલો પૂરતો છે તે છે , અબ્દુલ રેહમાન મક્કી , જે LETમાં સેકન્ડ ઈન કમાન્ડ હતો , તેનું ડિસેમ્બર ૨૦૨૪માં મૃત્યુ થયું આ પછી હાફિઝ સઈદ તેની અંતિમયાત્રામાં હત્યાના ડરના કારણે હાજર નહોતો રહી શક્યો. મક્કીની આ યાત્રામાં હાફિઝ સઈદના દીકરાએ હાજરી આપી હતી . હવે સંભાવના વધી ગઈ છે કે , હાફિઝ સઈદ પણ આવી રીતે ગમે ત્યારે ઠાર મરાઈ શકે છે .  પાકિસ્તાન હંમેશાની જેમ ભારતને જ પોતાના ત્યાં થયેલા હુમલાઓ માટે જવાબદાર ગણે છે .  અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના સદસ્ય અને રાજકારણી હિલેરી ક્લિન્ટનને યાદ કરવા જોઈએ . કેમ કે તેમણે એકવાર કહ્યું હતું કે , "જો તમે તમારા ઘરના આંગણામાં સાપ પાળો છો તે તમારા પાડોશીને નઈ ડંખે પણ તમને ડંખ મારશે. " લાગી રહ્યું છે કે , પાકિસ્તાન પર આ વાત બરાબર લાગુ પડે છે . 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.