એક પછી એક ભારત વિરોધી આતંકવાદીઓનો પાકિસ્તાનમાં સફાયો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-19 19:09:39

હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે . આનો પ્લોટ તમને સમજાઈ જશે કેમ કે , તમે ઘણી વેબસીરીઝ તો જોઈ જ હશે . હમણાં જ પાકિસ્તાનમાં ૨૬/૧૧નો મુંબઈ હુમલો કરાવનાર હાફિઝ સઈદના ખાસ માણસ અબુ કતલની ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઇ ચુકી છે .  જોકે હંમેશાની જેમ પાકિસ્તાન ભારતનો જ વાંક કાઢતું રહે છે . પાકિસ્તાન એક એવો દેશ જે ઘણા સમયથી ખુબ ચિંતિત છે . તેની પર હમણાં જ થોડા સમય પેહલા અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . આ પછી ગયા અઠવાડીએ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો હુમલો બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો . 

Hafiz Saeed - Wikipedia

હવે પાકિસ્તાનમાં કેટલાક ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાઓ થઈ રહી છે . હાફિઝ સઈદ , કે જે લશ્કરે તયબા નામનું સંગઠન ચલાવે છે તેનો ખાસ માણસ અબુ કતલની પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઈ ચુકી છે સાથે જ તેનો એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો હતો . અબુ કતલએ "કતલ સિંધી" તરીકે પણ જાણીતો હતો. અબુ કતલએ એલીટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો . તેની પર હુમલાવરોએ ૧૫ થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કરી હતી . અબુ કતલએ હાફિઝ સઈદનો ખુબ વિશ્વાસુ વ્યક્તિ હતો . તે જૂન ૨૦૨૪માં જમ્મુ કાશ્મીરમાં થયેલા રિયાસી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો . ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેનું નામ ચાર્જશીટમાં પણ એડ કર્યું હતું .આ અબુ કતલ જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૦ની સાલમાં ઘૂસણખોરી કરીને ઘુસ્યો હતો આ પછી તે ૨૦૦૫માં ચુપચાપ નીકળી પણ ગયો હતો . તેની પાસે જમ્મુકાશ્મીરના પુંચ અને રાજોરીમાં ઓવરગ્રાઉન્ડ કાર્યકરોનું જબરદસ્ત નેટવર્ક પણ હતું . અબુ કતલે આ બેઉ જિલ્લાઓમાં નવા યુવાનોની ભરતીનું આયોજન કર્યું હતું . જોકે આ હુમલા પછી હાફિઝ સઈદના દીકરા તાલહા સઈદની સુરક્ષા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા વધારી દેવામાં આવી છે . હાફિઝ સઈદ ઘણા લાંબા સમયથી આવા હુમલાઓનો સામનો કરી રહ્યો છે . ૨૦૨૧ના વર્ષમાં લાહોરમાં તેના છુપા ઠેકાણા નજીક જે સુસાઇડ હુમલો થયો હતો તેમાં તે માંડમાંડ બચ્યો હતો . જોકે આ હુમલાઓથી લશ્કરે તયબ્બામાં જબરદસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે . આની માટે એક જ દાખલો પૂરતો છે તે છે , અબ્દુલ રેહમાન મક્કી , જે LETમાં સેકન્ડ ઈન કમાન્ડ હતો , તેનું ડિસેમ્બર ૨૦૨૪માં મૃત્યુ થયું આ પછી હાફિઝ સઈદ તેની અંતિમયાત્રામાં હત્યાના ડરના કારણે હાજર નહોતો રહી શક્યો. મક્કીની આ યાત્રામાં હાફિઝ સઈદના દીકરાએ હાજરી આપી હતી . હવે સંભાવના વધી ગઈ છે કે , હાફિઝ સઈદ પણ આવી રીતે ગમે ત્યારે ઠાર મરાઈ શકે છે .  પાકિસ્તાન હંમેશાની જેમ ભારતને જ પોતાના ત્યાં થયેલા હુમલાઓ માટે જવાબદાર ગણે છે .  અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના સદસ્ય અને રાજકારણી હિલેરી ક્લિન્ટનને યાદ કરવા જોઈએ . કેમ કે તેમણે એકવાર કહ્યું હતું કે , "જો તમે તમારા ઘરના આંગણામાં સાપ પાળો છો તે તમારા પાડોશીને નઈ ડંખે પણ તમને ડંખ મારશે. " લાગી રહ્યું છે કે , પાકિસ્તાન પર આ વાત બરાબર લાગુ પડે છે . 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.