એક પછી એક ભારત વિરોધી આતંકવાદીઓનો પાકિસ્તાનમાં સફાયો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-19 19:09:39

હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે . આનો પ્લોટ તમને સમજાઈ જશે કેમ કે , તમે ઘણી વેબસીરીઝ તો જોઈ જ હશે . હમણાં જ પાકિસ્તાનમાં ૨૬/૧૧નો મુંબઈ હુમલો કરાવનાર હાફિઝ સઈદના ખાસ માણસ અબુ કતલની ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઇ ચુકી છે .  જોકે હંમેશાની જેમ પાકિસ્તાન ભારતનો જ વાંક કાઢતું રહે છે . પાકિસ્તાન એક એવો દેશ જે ઘણા સમયથી ખુબ ચિંતિત છે . તેની પર હમણાં જ થોડા સમય પેહલા અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . આ પછી ગયા અઠવાડીએ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો હુમલો બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો . 

Hafiz Saeed - Wikipedia

હવે પાકિસ્તાનમાં કેટલાક ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાઓ થઈ રહી છે . હાફિઝ સઈદ , કે જે લશ્કરે તયબા નામનું સંગઠન ચલાવે છે તેનો ખાસ માણસ અબુ કતલની પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઈ ચુકી છે સાથે જ તેનો એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો હતો . અબુ કતલએ "કતલ સિંધી" તરીકે પણ જાણીતો હતો. અબુ કતલએ એલીટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો . તેની પર હુમલાવરોએ ૧૫ થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કરી હતી . અબુ કતલએ હાફિઝ સઈદનો ખુબ વિશ્વાસુ વ્યક્તિ હતો . તે જૂન ૨૦૨૪માં જમ્મુ કાશ્મીરમાં થયેલા રિયાસી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો . ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેનું નામ ચાર્જશીટમાં પણ એડ કર્યું હતું .આ અબુ કતલ જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૦ની સાલમાં ઘૂસણખોરી કરીને ઘુસ્યો હતો આ પછી તે ૨૦૦૫માં ચુપચાપ નીકળી પણ ગયો હતો . તેની પાસે જમ્મુકાશ્મીરના પુંચ અને રાજોરીમાં ઓવરગ્રાઉન્ડ કાર્યકરોનું જબરદસ્ત નેટવર્ક પણ હતું . અબુ કતલે આ બેઉ જિલ્લાઓમાં નવા યુવાનોની ભરતીનું આયોજન કર્યું હતું . જોકે આ હુમલા પછી હાફિઝ સઈદના દીકરા તાલહા સઈદની સુરક્ષા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા વધારી દેવામાં આવી છે . હાફિઝ સઈદ ઘણા લાંબા સમયથી આવા હુમલાઓનો સામનો કરી રહ્યો છે . ૨૦૨૧ના વર્ષમાં લાહોરમાં તેના છુપા ઠેકાણા નજીક જે સુસાઇડ હુમલો થયો હતો તેમાં તે માંડમાંડ બચ્યો હતો . જોકે આ હુમલાઓથી લશ્કરે તયબ્બામાં જબરદસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે . આની માટે એક જ દાખલો પૂરતો છે તે છે , અબ્દુલ રેહમાન મક્કી , જે LETમાં સેકન્ડ ઈન કમાન્ડ હતો , તેનું ડિસેમ્બર ૨૦૨૪માં મૃત્યુ થયું આ પછી હાફિઝ સઈદ તેની અંતિમયાત્રામાં હત્યાના ડરના કારણે હાજર નહોતો રહી શક્યો. મક્કીની આ યાત્રામાં હાફિઝ સઈદના દીકરાએ હાજરી આપી હતી . હવે સંભાવના વધી ગઈ છે કે , હાફિઝ સઈદ પણ આવી રીતે ગમે ત્યારે ઠાર મરાઈ શકે છે .  પાકિસ્તાન હંમેશાની જેમ ભારતને જ પોતાના ત્યાં થયેલા હુમલાઓ માટે જવાબદાર ગણે છે .  અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના સદસ્ય અને રાજકારણી હિલેરી ક્લિન્ટનને યાદ કરવા જોઈએ . કેમ કે તેમણે એકવાર કહ્યું હતું કે , "જો તમે તમારા ઘરના આંગણામાં સાપ પાળો છો તે તમારા પાડોશીને નઈ ડંખે પણ તમને ડંખ મારશે. " લાગી રહ્યું છે કે , પાકિસ્તાન પર આ વાત બરાબર લાગુ પડે છે . 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.