Loksabha Election પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસના આ નેતા આજે કેસરિયો કરી શકે છે ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 15:28:36

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જેમની વાત થઈ રહી છે તે જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા છે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે નેતાઓ પહોંચી ગયા છે.

Image

કોંગ્રેસના ધારાસભ્યો આપી ચૂક્યા છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું   

ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી સમયે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. પક્ષને રામ રામ કરી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ જતા હોય છે અને ચૂંટણી સમયે તો આવું અવારનવાર જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું તે બાદ કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ સી.જે.ચાવડાએ પદને છોડ્યું હતું. તો થોડા દિવસ પહેલા વિપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવી લાગી રહ્યું હતું કે આ લોકો ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે આજે કમલમમાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 


પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયો ધારણ

ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. કમલમ ખાતે પૂર્વ ધારાસભ્ય પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઘરવાપસી કરી શકે છે. તે ઉપરાંત બીજા નામની જે ચર્ચા થઈ રહી છે તે ચિરાગ કાલરિયા છે. જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. કમલમમાં નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બાલકૃષ્ણ પટેલ તો પહેલા ભાજપના જ હતા. 2022માં ટિકિટ ન મળવાને કારણે તેમણે ભાજપ છોડી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.