Loksabha Election પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસના આ નેતા આજે કેસરિયો કરી શકે છે ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 15:28:36

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જેમની વાત થઈ રહી છે તે જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા છે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે નેતાઓ પહોંચી ગયા છે.

Image

કોંગ્રેસના ધારાસભ્યો આપી ચૂક્યા છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું   

ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી સમયે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. પક્ષને રામ રામ કરી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ જતા હોય છે અને ચૂંટણી સમયે તો આવું અવારનવાર જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું તે બાદ કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ સી.જે.ચાવડાએ પદને છોડ્યું હતું. તો થોડા દિવસ પહેલા વિપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવી લાગી રહ્યું હતું કે આ લોકો ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે આજે કમલમમાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 


પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયો ધારણ

ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. કમલમ ખાતે પૂર્વ ધારાસભ્ય પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઘરવાપસી કરી શકે છે. તે ઉપરાંત બીજા નામની જે ચર્ચા થઈ રહી છે તે ચિરાગ કાલરિયા છે. જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. કમલમમાં નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બાલકૃષ્ણ પટેલ તો પહેલા ભાજપના જ હતા. 2022માં ટિકિટ ન મળવાને કારણે તેમણે ભાજપ છોડી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.