Loksabha Election પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસના આ નેતા આજે કેસરિયો કરી શકે છે ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 15:28:36

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જેમની વાત થઈ રહી છે તે જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા છે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે નેતાઓ પહોંચી ગયા છે.

Image

કોંગ્રેસના ધારાસભ્યો આપી ચૂક્યા છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું   

ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી સમયે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. પક્ષને રામ રામ કરી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ જતા હોય છે અને ચૂંટણી સમયે તો આવું અવારનવાર જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું તે બાદ કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ સી.જે.ચાવડાએ પદને છોડ્યું હતું. તો થોડા દિવસ પહેલા વિપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવી લાગી રહ્યું હતું કે આ લોકો ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે આજે કમલમમાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 


પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયો ધારણ

ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. કમલમ ખાતે પૂર્વ ધારાસભ્ય પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઘરવાપસી કરી શકે છે. તે ઉપરાંત બીજા નામની જે ચર્ચા થઈ રહી છે તે ચિરાગ કાલરિયા છે. જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. કમલમમાં નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બાલકૃષ્ણ પટેલ તો પહેલા ભાજપના જ હતા. 2022માં ટિકિટ ન મળવાને કારણે તેમણે ભાજપ છોડી હતી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે