Loksabha Election પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસના આ નેતા આજે કેસરિયો કરી શકે છે ધારણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 15:28:36

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જેમની વાત થઈ રહી છે તે જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા છે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે નેતાઓ પહોંચી ગયા છે.

Image

કોંગ્રેસના ધારાસભ્યો આપી ચૂક્યા છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું   

ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી સમયે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. પક્ષને રામ રામ કરી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ જતા હોય છે અને ચૂંટણી સમયે તો આવું અવારનવાર જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું તે બાદ કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ સી.જે.ચાવડાએ પદને છોડ્યું હતું. તો થોડા દિવસ પહેલા વિપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવી લાગી રહ્યું હતું કે આ લોકો ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે આજે કમલમમાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 


પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયો ધારણ

ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. કમલમ ખાતે પૂર્વ ધારાસભ્ય પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઘરવાપસી કરી શકે છે. તે ઉપરાંત બીજા નામની જે ચર્ચા થઈ રહી છે તે ચિરાગ કાલરિયા છે. જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. કમલમમાં નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બાલકૃષ્ણ પટેલ તો પહેલા ભાજપના જ હતા. 2022માં ટિકિટ ન મળવાને કારણે તેમણે ભાજપ છોડી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.