વધતી ઠંડીને કારણે દિલ્હી સહિતના રાજ્યોમાં ઘટી વિઝીબીલીટી


  • Published By :
  • Published Date : 2023-01-05 11:26:30

નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ હતી. દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેર તેમજ કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં આવનાર સમયમાં હજી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને વિઝીબીલીટી પર ઘટી રહી છે. 


આવનાર દિવસોમાં વધશે ઠંડીનો પારો 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર હિમવર્ષા પણ થઈ રહી છે. દિલ્હીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે વિઝીબીલીટી ઘટી રહી છે.  દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે. 


અનેક સ્થળો પર થઈ હિમવર્ષા 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ચાર-પાંચ દિવસો દરમિયાન વધારે ઠંડી પડી શકે છે. 7 જાન્યુઆરી સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.  વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં વધતી ઠંડીને કારણે આની અસર અનેક રાજ્યોના તાપમાન પર પડી શકે છે. 


કેદારનાથ મંદિર બહાર પથરાઈ બરફની ચાદર  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે જ કેદરનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે ત્યાની ધરા બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ હોય તેવા દ્શ્યો સર્જાયા હતા.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.