વધતી ઠંડીને કારણે દિલ્હી સહિતના રાજ્યોમાં ઘટી વિઝીબીલીટી


  • Published By :
  • Published Date : 2023-01-05 11:26:30

નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ હતી. દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેર તેમજ કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં આવનાર સમયમાં હજી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને વિઝીબીલીટી પર ઘટી રહી છે. 


આવનાર દિવસોમાં વધશે ઠંડીનો પારો 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર હિમવર્ષા પણ થઈ રહી છે. દિલ્હીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે વિઝીબીલીટી ઘટી રહી છે.  દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે. 


અનેક સ્થળો પર થઈ હિમવર્ષા 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ચાર-પાંચ દિવસો દરમિયાન વધારે ઠંડી પડી શકે છે. 7 જાન્યુઆરી સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.  વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં વધતી ઠંડીને કારણે આની અસર અનેક રાજ્યોના તાપમાન પર પડી શકે છે. 


કેદારનાથ મંદિર બહાર પથરાઈ બરફની ચાદર  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે જ કેદરનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે ત્યાની ધરા બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ હોય તેવા દ્શ્યો સર્જાયા હતા.          



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.