વધતી ઠંડીને કારણે દિલ્હી સહિતના રાજ્યોમાં ઘટી વિઝીબીલીટી


  • Published By :
  • Published Date : 2023-01-05 11:26:30

નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ હતી. દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેર તેમજ કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં આવનાર સમયમાં હજી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને વિઝીબીલીટી પર ઘટી રહી છે. 


આવનાર દિવસોમાં વધશે ઠંડીનો પારો 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર હિમવર્ષા પણ થઈ રહી છે. દિલ્હીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે વિઝીબીલીટી ઘટી રહી છે.  દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે. 


અનેક સ્થળો પર થઈ હિમવર્ષા 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ચાર-પાંચ દિવસો દરમિયાન વધારે ઠંડી પડી શકે છે. 7 જાન્યુઆરી સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.  વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં વધતી ઠંડીને કારણે આની અસર અનેક રાજ્યોના તાપમાન પર પડી શકે છે. 


કેદારનાથ મંદિર બહાર પથરાઈ બરફની ચાદર  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે જ કેદરનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે ત્યાની ધરા બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ હોય તેવા દ્શ્યો સર્જાયા હતા.          



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.