વધતી ઠંડીને કારણે દિલ્હી સહિતના રાજ્યોમાં ઘટી વિઝીબીલીટી


  • Published By :
  • Published Date : 2023-01-05 11:26:30

નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ હતી. દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેર તેમજ કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં આવનાર સમયમાં હજી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને વિઝીબીલીટી પર ઘટી રહી છે. 


આવનાર દિવસોમાં વધશે ઠંડીનો પારો 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર હિમવર્ષા પણ થઈ રહી છે. દિલ્હીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે વિઝીબીલીટી ઘટી રહી છે.  દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે. 


અનેક સ્થળો પર થઈ હિમવર્ષા 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ચાર-પાંચ દિવસો દરમિયાન વધારે ઠંડી પડી શકે છે. 7 જાન્યુઆરી સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.  વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં વધતી ઠંડીને કારણે આની અસર અનેક રાજ્યોના તાપમાન પર પડી શકે છે. 


કેદારનાથ મંદિર બહાર પથરાઈ બરફની ચાદર  

નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે જ કેદરનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે ત્યાની ધરા બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ હોય તેવા દ્શ્યો સર્જાયા હતા.          



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.