પેગાસસ સોફ્ટવેરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું મારા ફોનમાં પેગાસસ હતું, અધિકારીએ કહ્યું ફોન પર સાચવીને વાત કરો


  • Published By :
  • Published Date : 2023-03-03 11:24:37

7 દિવસના બ્રિટનના પ્રવાસે રાહુલ ગાંધી ગયા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે લેક્ચર આપ્યું હતું. વિવિધ મુદ્દાઓ પર તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પરંતુ પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમના ફોનમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર હતું. એટલું જ નહીં વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં પેગાસસ છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે અધિકારીએ ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હતી. કારણ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. 


લેક્ચરમાં રાહુલે શેર કર્યો ભારત જોડો યાત્રાનો અનુભવ 

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી હંમેશા ચર્ચામાં રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રામાં રાહુલ ગાંધીને લોકો તરફથી સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. પોતાની આ યાત્રાનો અનુભવ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો હતો. ઉપરાંત પોતાના લેક્ચરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી જ્યારે બ્રિટન પહોંચ્યા તે દરમિયાનનો તેમનો લૂક ચર્ચામાં આવી ગયો હતો. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની વધતી દાઢી પર ચર્ચા થઈ રહી હતી તો તેમના નવા લુકની પણ ચર્ચામાં આવ્યો છે. સેટ કરેલી દાઢી, સૂટ ટાઈમાં લેક્ચર લેવા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા હતા.


ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીનું લેક્ચર સાંભળવાની કલા પર કેન્દ્રિત હતું. પોતાના લેક્ચર દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી ઉપરાંત ભારતની કેન્દ્ર સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. તેમના લેક્ચર ત્રણ ભાગમાં વહેચાયેલા હતા. પરંતુ આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમના ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું. પેગાસસ સોફ્ટવેરની વાત કરીએ તો આ એક જાસૂસ સોફ્ટવેર છે. આ એક સોફ્ટવેર છે જે ટાર્ગેટના ફોનમાં જાય છે અને ડેટા લઈને પોતાના સેન્ટરમાં ટ્રાન્સમિટ કરે છે. વધુમાં રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે તેમની પાસે તેમના ફોનમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર હતું. એટલું જ  નહીં પરંતુ ભારતમાં મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં પેગાસસ છે. મને ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમે ફોન ઉપર જે પણ કહો છો તેવા વિશે ખૂબ સાવધાન રહો. કારણ કે અમે તેને રેકોર્ડ કરી રહ્યા છીએ.          


અનેક રાજનેતાઓના ફોનમાં પેગાસસ હોવાનો રાહુલનો દાવો 

રાહુલ ગાંધીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહીં રહ્યા છે મારા ફોનની જાસૂસી થાય છે. વિપક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે. ભારતમાં વિપક્ષી નેતા તરીકેનું દબાણ છે જે સતત સહન કરવું પડે છે. મોટા ભાગના રાજનૈતિક નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારા ફોનમાં પણ પેગાસસ હતું. વધુમાં તેમણે કહ્યું કે મારી સામે ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે પરંતુ આ કેસ બાબતો માટે દાખલ કરવામાં આવ્યા હતા જે ગુનાહિત ન હતી. દેશમાં મીડિયા અને લોકશાહી માળખા પર આવો હુમલો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષ તરીકે તમારા માટે લોકો સાથે વાત કરવી મુશ્કેલ બની જાય છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.