રિલાયન્સ જિયો Q4:ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 4,716 કરોડ થયો; આવક 12% વધી


  • Published By :
  • Published Date : 2023-04-21 19:50:54

રિલાયન્સ ગ્રુપની કંપની જિયોના ચોથા ત્રિમાસિકના પરીણામો જાહેર થઈ ચુક્યા છે. રિલાયન્સ દ્વારા જિયોના ત્રિમાસિક પરિણામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામો મુકેશ અંબાણીને રાહત આપનારા છે. માર્ચ 2023 ત્રિમાસિકમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ.4716 કરોડને પહોંચી ગયો છે. આજે બજાર બંધ હોવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરી દીધા છે. 


Jioનું પરિણામ જાહેર 


રિલાયન્સ જિયોના પરિણામો સારા આવતા તેણે ભવિષ્ય માટે આશા વધારી છે. કંપનીના પ્રોફિટ અને રેવન્યુ બંને વધ્યા છે. ત્યાં જ કંપનીનું માર્જિન ફ્લેટ 52 ટકા રહ્યો છે. જ્યારે રેવન્યુની વાત કરીએ તો નાણાકિય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં જિયોનું નેટ પ્રોફિટ 13 ટકા વધ્યું છે.


કંપનીએ રૂ.4716 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં Jioનો નફો 4173 કરોડ રૂપિયા હતો. આ વર્ષે તેમાં 1.7 ટકાનો વધારો થયો છે. વર્ષ માટે કંપનીની ઓપરેશનલ રેવન્યુ રૂ. 23,394 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ, EBITDA વિશે વાત કરીએ તો, તે ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 1.7 ટકા વધીને રૂ. 12210 કરોડ થયો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.