રિલાયન્સ જિયો Q4:ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 4,716 કરોડ થયો; આવક 12% વધી


  • Published By :
  • Published Date : 2023-04-21 19:50:54

રિલાયન્સ ગ્રુપની કંપની જિયોના ચોથા ત્રિમાસિકના પરીણામો જાહેર થઈ ચુક્યા છે. રિલાયન્સ દ્વારા જિયોના ત્રિમાસિક પરિણામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામો મુકેશ અંબાણીને રાહત આપનારા છે. માર્ચ 2023 ત્રિમાસિકમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ.4716 કરોડને પહોંચી ગયો છે. આજે બજાર બંધ હોવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરી દીધા છે. 


Jioનું પરિણામ જાહેર 


રિલાયન્સ જિયોના પરિણામો સારા આવતા તેણે ભવિષ્ય માટે આશા વધારી છે. કંપનીના પ્રોફિટ અને રેવન્યુ બંને વધ્યા છે. ત્યાં જ કંપનીનું માર્જિન ફ્લેટ 52 ટકા રહ્યો છે. જ્યારે રેવન્યુની વાત કરીએ તો નાણાકિય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં જિયોનું નેટ પ્રોફિટ 13 ટકા વધ્યું છે.


કંપનીએ રૂ.4716 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં Jioનો નફો 4173 કરોડ રૂપિયા હતો. આ વર્ષે તેમાં 1.7 ટકાનો વધારો થયો છે. વર્ષ માટે કંપનીની ઓપરેશનલ રેવન્યુ રૂ. 23,394 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ, EBITDA વિશે વાત કરીએ તો, તે ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 1.7 ટકા વધીને રૂ. 12210 કરોડ થયો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.