રિલાયન્સ જિયો Q4:ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 4,716 કરોડ થયો; આવક 12% વધી


  • Published By :
  • Published Date : 2023-04-21 19:50:54

રિલાયન્સ ગ્રુપની કંપની જિયોના ચોથા ત્રિમાસિકના પરીણામો જાહેર થઈ ચુક્યા છે. રિલાયન્સ દ્વારા જિયોના ત્રિમાસિક પરિણામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામો મુકેશ અંબાણીને રાહત આપનારા છે. માર્ચ 2023 ત્રિમાસિકમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ.4716 કરોડને પહોંચી ગયો છે. આજે બજાર બંધ હોવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરી દીધા છે. 


Jioનું પરિણામ જાહેર 


રિલાયન્સ જિયોના પરિણામો સારા આવતા તેણે ભવિષ્ય માટે આશા વધારી છે. કંપનીના પ્રોફિટ અને રેવન્યુ બંને વધ્યા છે. ત્યાં જ કંપનીનું માર્જિન ફ્લેટ 52 ટકા રહ્યો છે. જ્યારે રેવન્યુની વાત કરીએ તો નાણાકિય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં જિયોનું નેટ પ્રોફિટ 13 ટકા વધ્યું છે.


કંપનીએ રૂ.4716 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં Jioનો નફો 4173 કરોડ રૂપિયા હતો. આ વર્ષે તેમાં 1.7 ટકાનો વધારો થયો છે. વર્ષ માટે કંપનીની ઓપરેશનલ રેવન્યુ રૂ. 23,394 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ, EBITDA વિશે વાત કરીએ તો, તે ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 1.7 ટકા વધીને રૂ. 12210 કરોડ થયો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.