રિલાયન્સ જિયો Q4:ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 4,716 કરોડ થયો; આવક 12% વધી


  • Published By :
  • Published Date : 2023-04-21 19:50:54

રિલાયન્સ ગ્રુપની કંપની જિયોના ચોથા ત્રિમાસિકના પરીણામો જાહેર થઈ ચુક્યા છે. રિલાયન્સ દ્વારા જિયોના ત્રિમાસિક પરિણામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામો મુકેશ અંબાણીને રાહત આપનારા છે. માર્ચ 2023 ત્રિમાસિકમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ.4716 કરોડને પહોંચી ગયો છે. આજે બજાર બંધ હોવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરી દીધા છે. 


Jioનું પરિણામ જાહેર 


રિલાયન્સ જિયોના પરિણામો સારા આવતા તેણે ભવિષ્ય માટે આશા વધારી છે. કંપનીના પ્રોફિટ અને રેવન્યુ બંને વધ્યા છે. ત્યાં જ કંપનીનું માર્જિન ફ્લેટ 52 ટકા રહ્યો છે. જ્યારે રેવન્યુની વાત કરીએ તો નાણાકિય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં જિયોનું નેટ પ્રોફિટ 13 ટકા વધ્યું છે.


કંપનીએ રૂ.4716 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં Jioનો નફો 4173 કરોડ રૂપિયા હતો. આ વર્ષે તેમાં 1.7 ટકાનો વધારો થયો છે. વર્ષ માટે કંપનીની ઓપરેશનલ રેવન્યુ રૂ. 23,394 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ, EBITDA વિશે વાત કરીએ તો, તે ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 1.7 ટકા વધીને રૂ. 12210 કરોડ થયો છે.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .