અકસ્માત વખતે રિષભ પંત 67 લાખની Mercedes GLCમાં મુસાફરી કરી રહ્યા હતા, જાણો તેમના કાર કલેક્શન અને પ્રોપર્ટી વિશે


  • Published By :
  • Published Date : 2022-12-30 15:35:51

25 વર્ષીય ભારતીય ક્રિકેટર રિષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકીના વતની છે અને તે તેમની લક્ઝરી અને લેવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2020-21 માટે GQની સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં રિષભ પંતને પણ સ્થાન મળ્યું છે.


રિષભ પંત પાસે કેટલી પ્રોપર્ટી છે? 


વર્ષ 2021માં ઋષભ પંતની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા હોવાનું અનુમાન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંતની દિલ્હી, રૂરકી, હરિદ્વાર અને દેહરાદૂનમાં પ્રોપર્ટી છે.


એકથી વધુ લક્ઝરી ગાડીઓના માલિક છે રિષભ પંત 



ભારતીય ક્રિકેટર ઋષભ પંત પણ લક્ઝરી લક્ઝરી ગાડીઓના શોખીન છે. પંતે 2017માં Audi A8 ખરીદી હતી, જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, (Mercedes-Benz C-class) ફોર્ડ મસ્ટંગ (Ford Mustang) અને મર્સિડીઝ જીએલઈ (Mercedes GLE) જેવી ગાડીઓ પણ સમાવેશ થાય છે.


અકસ્માત સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં સવાર હતા


દુર્ઘટના સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં મુસાફરી કરી રહ્યા હતા. તે પ્રીમિયમ એસયુવી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 61 લાખની આસપાસ છે અને ટોપ મોડલ 67 લાખની આસપાસ આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે