અકસ્માત વખતે રિષભ પંત 67 લાખની Mercedes GLCમાં મુસાફરી કરી રહ્યા હતા, જાણો તેમના કાર કલેક્શન અને પ્રોપર્ટી વિશે


  • Published By :
  • Published Date : 2022-12-30 15:35:51

25 વર્ષીય ભારતીય ક્રિકેટર રિષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકીના વતની છે અને તે તેમની લક્ઝરી અને લેવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2020-21 માટે GQની સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં રિષભ પંતને પણ સ્થાન મળ્યું છે.


રિષભ પંત પાસે કેટલી પ્રોપર્ટી છે? 


વર્ષ 2021માં ઋષભ પંતની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા હોવાનું અનુમાન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંતની દિલ્હી, રૂરકી, હરિદ્વાર અને દેહરાદૂનમાં પ્રોપર્ટી છે.


એકથી વધુ લક્ઝરી ગાડીઓના માલિક છે રિષભ પંત 



ભારતીય ક્રિકેટર ઋષભ પંત પણ લક્ઝરી લક્ઝરી ગાડીઓના શોખીન છે. પંતે 2017માં Audi A8 ખરીદી હતી, જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, (Mercedes-Benz C-class) ફોર્ડ મસ્ટંગ (Ford Mustang) અને મર્સિડીઝ જીએલઈ (Mercedes GLE) જેવી ગાડીઓ પણ સમાવેશ થાય છે.


અકસ્માત સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં સવાર હતા


દુર્ઘટના સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં મુસાફરી કરી રહ્યા હતા. તે પ્રીમિયમ એસયુવી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 61 લાખની આસપાસ છે અને ટોપ મોડલ 67 લાખની આસપાસ આવે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.