અકસ્માત વખતે રિષભ પંત 67 લાખની Mercedes GLCમાં મુસાફરી કરી રહ્યા હતા, જાણો તેમના કાર કલેક્શન અને પ્રોપર્ટી વિશે


  • Published By :
  • Published Date : 2022-12-30 15:35:51

25 વર્ષીય ભારતીય ક્રિકેટર રિષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકીના વતની છે અને તે તેમની લક્ઝરી અને લેવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2020-21 માટે GQની સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં રિષભ પંતને પણ સ્થાન મળ્યું છે.


રિષભ પંત પાસે કેટલી પ્રોપર્ટી છે? 


વર્ષ 2021માં ઋષભ પંતની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા હોવાનું અનુમાન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંતની દિલ્હી, રૂરકી, હરિદ્વાર અને દેહરાદૂનમાં પ્રોપર્ટી છે.


એકથી વધુ લક્ઝરી ગાડીઓના માલિક છે રિષભ પંત 



ભારતીય ક્રિકેટર ઋષભ પંત પણ લક્ઝરી લક્ઝરી ગાડીઓના શોખીન છે. પંતે 2017માં Audi A8 ખરીદી હતી, જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, (Mercedes-Benz C-class) ફોર્ડ મસ્ટંગ (Ford Mustang) અને મર્સિડીઝ જીએલઈ (Mercedes GLE) જેવી ગાડીઓ પણ સમાવેશ થાય છે.


અકસ્માત સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં સવાર હતા


દુર્ઘટના સમયે રિષભ પંત મર્સિડીઝ GLCમાં મુસાફરી કરી રહ્યા હતા. તે પ્રીમિયમ એસયુવી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 61 લાખની આસપાસ છે અને ટોપ મોડલ 67 લાખની આસપાસ આવે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.