Gujaratના યુવાનોમાં વધતો Heart Attackનો ખતરો! ગરબે ઘૂમતા યુવાનો મોતને ભેટ્યા! જાણો ક્યાંથી કેટલા કિસ્સાઓ સામે આવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-21 15:53:48

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો સતત હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સોમાં પ્રતિદિન સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 7 જેટલા લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ગરબે ઘૂમતા ઘૂમતા 3 ખેલૈયાઓના મોત થયા છે.  17 વર્ષના યુવાનનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે જ્યારે અમદાવાદમાં પણ એક આશાવાદી યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ધોરાજીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.

 


Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

રાજકોટમાં હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત 

નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.હા ર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં ગરબે ઘૂમતા ઘૂમતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે અને અંદાજે 24 કલાકની અંદર 7 જેટલા લોકોના મોત થયા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. અમદાવાદમાં એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. વ્યક્તિ અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. રાજકોટમાં વધુ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. રાજકોટના ધોરાજીમાં 28 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. બીજી ઘટનામાં મૃતકનું મોત ચાલુ ફરજ દરમિયાન થયું હતું, રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન તેમને એટેક આવ્યો અને સવાઈસિંહ સોઢા નામના વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 

કપડવંજમાં પણ યુવાને ગુમાવ્યો જીવ  

તે ઉપરાંત ખેડાના કપડવંજમાં ગરબે ઘૂમતા યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવક ગરબે ઘૂમી રહ્યો હતો અને અચાનક તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું, યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. દ્વારકામાં પણ હાર્ટ એટેકના કિસ્સા બન્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે દ્વારકામાં એક જ દિવસમાં 3 લોકો મોતને ભેટ્યા છે. ઉપરાંત વડોદરાથી પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે અનેક આશાવાદી યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.