Gujaratના યુવાનોમાં વધતો Heart Attackનો ખતરો! ગરબે ઘૂમતા યુવાનો મોતને ભેટ્યા! જાણો ક્યાંથી કેટલા કિસ્સાઓ સામે આવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-21 15:53:48

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો સતત હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સોમાં પ્રતિદિન સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 7 જેટલા લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ગરબે ઘૂમતા ઘૂમતા 3 ખેલૈયાઓના મોત થયા છે.  17 વર્ષના યુવાનનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે જ્યારે અમદાવાદમાં પણ એક આશાવાદી યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ધોરાજીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.

 


Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

રાજકોટમાં હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત 

નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.હા ર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં ગરબે ઘૂમતા ઘૂમતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે અને અંદાજે 24 કલાકની અંદર 7 જેટલા લોકોના મોત થયા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. અમદાવાદમાં એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. વ્યક્તિ અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. રાજકોટમાં વધુ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. રાજકોટના ધોરાજીમાં 28 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. બીજી ઘટનામાં મૃતકનું મોત ચાલુ ફરજ દરમિયાન થયું હતું, રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન તેમને એટેક આવ્યો અને સવાઈસિંહ સોઢા નામના વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 

કપડવંજમાં પણ યુવાને ગુમાવ્યો જીવ  

તે ઉપરાંત ખેડાના કપડવંજમાં ગરબે ઘૂમતા યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવક ગરબે ઘૂમી રહ્યો હતો અને અચાનક તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું, યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. દ્વારકામાં પણ હાર્ટ એટેકના કિસ્સા બન્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે દ્વારકામાં એક જ દિવસમાં 3 લોકો મોતને ભેટ્યા છે. ઉપરાંત વડોદરાથી પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે અનેક આશાવાદી યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.