Gujaratના યુવાનોમાં વધતો Heart Attackનો ખતરો! ગરબે ઘૂમતા યુવાનો મોતને ભેટ્યા! જાણો ક્યાંથી કેટલા કિસ્સાઓ સામે આવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-21 15:53:48

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો સતત હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સોમાં પ્રતિદિન સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 7 જેટલા લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ગરબે ઘૂમતા ઘૂમતા 3 ખેલૈયાઓના મોત થયા છે.  17 વર્ષના યુવાનનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે જ્યારે અમદાવાદમાં પણ એક આશાવાદી યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ધોરાજીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.

 


Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

રાજકોટમાં હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત 

નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.હા ર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં ગરબે ઘૂમતા ઘૂમતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે અને અંદાજે 24 કલાકની અંદર 7 જેટલા લોકોના મોત થયા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. અમદાવાદમાં એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. વ્યક્તિ અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. રાજકોટમાં વધુ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. રાજકોટના ધોરાજીમાં 28 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. બીજી ઘટનામાં મૃતકનું મોત ચાલુ ફરજ દરમિયાન થયું હતું, રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન તેમને એટેક આવ્યો અને સવાઈસિંહ સોઢા નામના વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 

કપડવંજમાં પણ યુવાને ગુમાવ્યો જીવ  

તે ઉપરાંત ખેડાના કપડવંજમાં ગરબે ઘૂમતા યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવક ગરબે ઘૂમી રહ્યો હતો અને અચાનક તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું, યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. દ્વારકામાં પણ હાર્ટ એટેકના કિસ્સા બન્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે દ્વારકામાં એક જ દિવસમાં 3 લોકો મોતને ભેટ્યા છે. ઉપરાંત વડોદરાથી પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે અનેક આશાવાદી યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી