ગુજરાતમાં વધતો XBB 1.5 વેરિઅન્ટનો ખતરો, ગુજરાતમાં નોંધાયા 3 કેસ


  • Published By :
  • Published Date : 2023-01-04 08:34:42

દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની સાથે સાથે કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB1.5ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ કેસ નોંધાવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. 

Corona: contributions from the Max Planck Society | Max-Planck-Gesellschaft

અમદાવાદમાં નોંધાયો વધુ એક XBB 1.5 વેરિઅન્ટનો કેસ 

કોરોના સંક્રમણને રોકવા એક તરફ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ XBB 1.5 વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. 


ગુજરાતમાં XBB 1.5 વેરિઅન્ટના સંક્રમિતોનો આંકડો વધ્યો 

XBB 1.5 વેરિઅન્ટે અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી લીધી છે. ગુજરાતમાં વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવી શકે છે. પહેલા માત્ર અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો પરંતુ આ વેરિઅન્ટના વધુ બે કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.