ગુજરાતમાં વધતો XBB 1.5 વેરિઅન્ટનો ખતરો, ગુજરાતમાં નોંધાયા 3 કેસ


  • Published By :
  • Published Date : 2023-01-04 08:34:42

દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની સાથે સાથે કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB1.5ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ કેસ નોંધાવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. 

Corona: contributions from the Max Planck Society | Max-Planck-Gesellschaft

અમદાવાદમાં નોંધાયો વધુ એક XBB 1.5 વેરિઅન્ટનો કેસ 

કોરોના સંક્રમણને રોકવા એક તરફ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ XBB 1.5 વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. 


ગુજરાતમાં XBB 1.5 વેરિઅન્ટના સંક્રમિતોનો આંકડો વધ્યો 

XBB 1.5 વેરિઅન્ટે અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી લીધી છે. ગુજરાતમાં વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવી શકે છે. પહેલા માત્ર અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો પરંતુ આ વેરિઅન્ટના વધુ બે કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.