ગુજરાતમાં વધતો XBB 1.5 વેરિઅન્ટનો ખતરો, ગુજરાતમાં નોંધાયા 3 કેસ


  • Published By :
  • Published Date : 2023-01-04 08:34:42

દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની સાથે સાથે કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB1.5ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ કેસ નોંધાવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. 

Corona: contributions from the Max Planck Society | Max-Planck-Gesellschaft

અમદાવાદમાં નોંધાયો વધુ એક XBB 1.5 વેરિઅન્ટનો કેસ 

કોરોના સંક્રમણને રોકવા એક તરફ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ XBB 1.5 વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. 


ગુજરાતમાં XBB 1.5 વેરિઅન્ટના સંક્રમિતોનો આંકડો વધ્યો 

XBB 1.5 વેરિઅન્ટે અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી લીધી છે. ગુજરાતમાં વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવી શકે છે. પહેલા માત્ર અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો પરંતુ આ વેરિઅન્ટના વધુ બે કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.