ગુજરાતમાં વધતો XBB 1.5 વેરિઅન્ટનો ખતરો, ગુજરાતમાં નોંધાયા 3 કેસ


  • Published By :
  • Published Date : 2023-01-04 08:34:42

દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની સાથે સાથે કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB1.5ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ કેસ નોંધાવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. 

Corona: contributions from the Max Planck Society | Max-Planck-Gesellschaft

અમદાવાદમાં નોંધાયો વધુ એક XBB 1.5 વેરિઅન્ટનો કેસ 

કોરોના સંક્રમણને રોકવા એક તરફ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ XBB 1.5 વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. 


ગુજરાતમાં XBB 1.5 વેરિઅન્ટના સંક્રમિતોનો આંકડો વધ્યો 

XBB 1.5 વેરિઅન્ટે અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી લીધી છે. ગુજરાતમાં વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવી શકે છે. પહેલા માત્ર અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો પરંતુ આ વેરિઅન્ટના વધુ બે કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે