સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રિવાબા જાડેજાની તસવીરો! ફૂડ પેકેટ બનાવી મદદે તો આવ્યા પણ પેકેટ પર લગાવેલા ફોટોને કારણે ટ્રોલ થઈ ગયા!


  • Published By :
  • Published Date : 2023-06-16 16:48:03

ભાજપ દ્વારા આપત્તિને અવસરમાં બદલવાની વાતો કરવામાં આવતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ વાત નેતાઓ સાર્થક કરતા હોય છે. વાવાઝોડાના સમાચારો વચ્ચે આ વાત એટલા માટે કરાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર રિવાબા જાડેજાની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવામાં આવ્યો છે. વિકટ પરિસ્થિતિમાં પણ ધારાસભ્ય જાણે પોતાનો પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. રિવાબા ફૂડ પેકેટ બનાવી સેવા કરવા ગયા પરંતુ ફોટાના મોહને કારણે ટ્રોલ થઈ રહ્યા છે.    

 પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છપાયો! 

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. અનેક જિલ્લાઓમાં તબાહી પણ મચાવી હતી તેના દ્રશ્યો સામે આવ્યા હતા. તે ઉપરાંત NDRFની ટીમ દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુની કામગીરીના પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બચાવ માટે તંત્ર પણ સજ્જ હતું. અનેક નેતાઓને તેમજ ધારાસભ્યોને અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓ તેમજ ધારાસભ્યો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર ફૂડ પેકેટની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવવામાં આવ્યો છે. 

પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

વિકટ સમયે પણ નેતા કરી રહ્યા છે પ્રચાર!

નેતાઓને પોતાની પ્રસિદ્ધિ તેમજ લોકચાહનાની ભૂખ રહેતી હોય છે. પાર્ટીનો તેમજ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી એવી વાતો આપણે હંમેશા કરતા હોઈએ છીએ. નેતાઓ પોતાનો પ્રચાર કરે તેનો વાંધો નહી, પરંતુ તે પેહલા પણ પરિસ્થિતિ જોવી જોઈએ. રિવાબાએ સેવા કરી તે સારી વાત છે પરંતુ ફૂડ પેકેટ પર ફોટો શા માટે રાખ્યો તે પ્રશ્ન છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો પ્રચાર કરવો કેટલું યોગ્ય છે? સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે અંગે તમારું શું કહેવું છે?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.