સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રિવાબા જાડેજાની તસવીરો! ફૂડ પેકેટ બનાવી મદદે તો આવ્યા પણ પેકેટ પર લગાવેલા ફોટોને કારણે ટ્રોલ થઈ ગયા!


  • Published By :
  • Published Date : 2023-06-16 16:48:03

ભાજપ દ્વારા આપત્તિને અવસરમાં બદલવાની વાતો કરવામાં આવતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ વાત નેતાઓ સાર્થક કરતા હોય છે. વાવાઝોડાના સમાચારો વચ્ચે આ વાત એટલા માટે કરાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર રિવાબા જાડેજાની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવામાં આવ્યો છે. વિકટ પરિસ્થિતિમાં પણ ધારાસભ્ય જાણે પોતાનો પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. રિવાબા ફૂડ પેકેટ બનાવી સેવા કરવા ગયા પરંતુ ફોટાના મોહને કારણે ટ્રોલ થઈ રહ્યા છે.    

 પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છપાયો! 

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. અનેક જિલ્લાઓમાં તબાહી પણ મચાવી હતી તેના દ્રશ્યો સામે આવ્યા હતા. તે ઉપરાંત NDRFની ટીમ દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુની કામગીરીના પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બચાવ માટે તંત્ર પણ સજ્જ હતું. અનેક નેતાઓને તેમજ ધારાસભ્યોને અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓ તેમજ ધારાસભ્યો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર ફૂડ પેકેટની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવવામાં આવ્યો છે. 

પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

વિકટ સમયે પણ નેતા કરી રહ્યા છે પ્રચાર!

નેતાઓને પોતાની પ્રસિદ્ધિ તેમજ લોકચાહનાની ભૂખ રહેતી હોય છે. પાર્ટીનો તેમજ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી એવી વાતો આપણે હંમેશા કરતા હોઈએ છીએ. નેતાઓ પોતાનો પ્રચાર કરે તેનો વાંધો નહી, પરંતુ તે પેહલા પણ પરિસ્થિતિ જોવી જોઈએ. રિવાબાએ સેવા કરી તે સારી વાત છે પરંતુ ફૂડ પેકેટ પર ફોટો શા માટે રાખ્યો તે પ્રશ્ન છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો પ્રચાર કરવો કેટલું યોગ્ય છે? સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે અંગે તમારું શું કહેવું છે?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.