સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રિવાબા જાડેજાની તસવીરો! ફૂડ પેકેટ બનાવી મદદે તો આવ્યા પણ પેકેટ પર લગાવેલા ફોટોને કારણે ટ્રોલ થઈ ગયા!


  • Published By :
  • Published Date : 2023-06-16 16:48:03

ભાજપ દ્વારા આપત્તિને અવસરમાં બદલવાની વાતો કરવામાં આવતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ વાત નેતાઓ સાર્થક કરતા હોય છે. વાવાઝોડાના સમાચારો વચ્ચે આ વાત એટલા માટે કરાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર રિવાબા જાડેજાની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવામાં આવ્યો છે. વિકટ પરિસ્થિતિમાં પણ ધારાસભ્ય જાણે પોતાનો પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. રિવાબા ફૂડ પેકેટ બનાવી સેવા કરવા ગયા પરંતુ ફોટાના મોહને કારણે ટ્રોલ થઈ રહ્યા છે.    

 પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છપાયો! 

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. અનેક જિલ્લાઓમાં તબાહી પણ મચાવી હતી તેના દ્રશ્યો સામે આવ્યા હતા. તે ઉપરાંત NDRFની ટીમ દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુની કામગીરીના પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બચાવ માટે તંત્ર પણ સજ્જ હતું. અનેક નેતાઓને તેમજ ધારાસભ્યોને અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓ તેમજ ધારાસભ્યો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર ફૂડ પેકેટની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવવામાં આવ્યો છે. 

પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

વિકટ સમયે પણ નેતા કરી રહ્યા છે પ્રચાર!

નેતાઓને પોતાની પ્રસિદ્ધિ તેમજ લોકચાહનાની ભૂખ રહેતી હોય છે. પાર્ટીનો તેમજ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી એવી વાતો આપણે હંમેશા કરતા હોઈએ છીએ. નેતાઓ પોતાનો પ્રચાર કરે તેનો વાંધો નહી, પરંતુ તે પેહલા પણ પરિસ્થિતિ જોવી જોઈએ. રિવાબાએ સેવા કરી તે સારી વાત છે પરંતુ ફૂડ પેકેટ પર ફોટો શા માટે રાખ્યો તે પ્રશ્ન છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો પ્રચાર કરવો કેટલું યોગ્ય છે? સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે અંગે તમારું શું કહેવું છે?   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.