સરકારે સંસદમાં સ્વિકાર્યું, દેશની 279 નદીઓ 311 સ્થાનો પર અત્યંત પ્રદુષિત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:07:17

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી નદીઓનો મહિમાગાન થતો આવ્યો છે. જો કે તાજેતરમાં કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશની મોટાભાગની નદીઓનું પાણી પીવા યોગ્ય નથી. આ રિપોર્ટ માટે દેશની 279 નદીઓના 311 વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે મુજબ આ નદીઓનું પાણી સરકારના માપદંડો સામે ખુબ જ ખરાબ છે. પર્યાવરણ વિભાગે આ રિપોર્ટના આધારે સંસદમાં આ જાણકારી આપી છે.


603 નદીઓના પાણીનું એનાલિસીસ


રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા  4484 સ્થાનો પર પાણીની ગુણવત્તા પર નજર રાખવામાં આવે છે. આ તપાસમાં 2022, 2021 અને 2019 માં 603 નદીઓના પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ દેશના તમામ રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારની નદીઓ સૌથી વધુ પ્રદુષિત છે. દેશના 11 રાજ્યો એવા છે, જ્યાં નદી ખુબ જ પ્રદુષિત છે. આ રાજ્યોમાં આસામ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.