સરકારે સંસદમાં સ્વિકાર્યું, દેશની 279 નદીઓ 311 સ્થાનો પર અત્યંત પ્રદુષિત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:07:17

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી નદીઓનો મહિમાગાન થતો આવ્યો છે. જો કે તાજેતરમાં કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશની મોટાભાગની નદીઓનું પાણી પીવા યોગ્ય નથી. આ રિપોર્ટ માટે દેશની 279 નદીઓના 311 વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે મુજબ આ નદીઓનું પાણી સરકારના માપદંડો સામે ખુબ જ ખરાબ છે. પર્યાવરણ વિભાગે આ રિપોર્ટના આધારે સંસદમાં આ જાણકારી આપી છે.


603 નદીઓના પાણીનું એનાલિસીસ


રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા  4484 સ્થાનો પર પાણીની ગુણવત્તા પર નજર રાખવામાં આવે છે. આ તપાસમાં 2022, 2021 અને 2019 માં 603 નદીઓના પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ દેશના તમામ રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારની નદીઓ સૌથી વધુ પ્રદુષિત છે. દેશના 11 રાજ્યો એવા છે, જ્યાં નદી ખુબ જ પ્રદુષિત છે. આ રાજ્યોમાં આસામ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.