તહેવાર દરમિયાન રાજ્યમાં વધ્યા રોડ અકસ્માતના કિસ્સા, અમદાવાદમાં સર્જાયા વધુ અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:48:44

દિવાળીના સમય દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે અથવા તો અનેક લોકો પોતાના વતન દિવાળી મનાવવા જતા હોય છે. દિવાળીના સમયગાળા દરમિયાન રોડ રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળે છે જેને કારણે વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નજરે પડે છે. જેને કારણએ અકસ્માતોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં અંદાજે 1000 જેટલા અકસ્માતો સર્જાયા છે. 

અકસ્માતમાં 45 ટકા જેટલો થયો વધારો

દિનપ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે ઘટના સ્થળે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ટ્રાફિક નિયમોમાં હળવાશ આપી છે. જેને કારણે લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. દિવાળીના સમયે રસ્તાઓ પર પણ વધારે ટ્રાફિક જોવા નથી મળતો. જેને કારણે વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે. ઓવર સ્પીડ હોવાને કારણે અકસ્માતનો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના દિવસોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 1000 જેટલા રોડ અકસ્માત થયા છે. સામાન્ય દિવસો કરતા તહેવાર દરમિયાન થતાં અકસ્માતમાં 45 ટકા જેટલો વધારો થયો છે. 


અમદાવાદમાં સર્જાયા વધુ રોડ અકસ્માત

અમદાવાદમાં સૌથી વધારે અકસ્માતોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અંદાજીત 110, ભાવનગરમાં 32, સુરતમાં 88 તેમજ રાજકોટમાં પણ 46 જેટલા અકસ્માતો સર્જાયા છે. આ આંકડો વધી પણ શકે છે. આ આંકડાઓ 1200ને પણ પાર કરી શકે છે. માત્ર એટલું જ કહેવું છે કે આપણી મજા બીજાના માટે સજા ન બની જાય. જો પરિવારનું એક વ્યક્તિ પણ ઈજા અથવા તો મૃત્યુ પામે છે તો આખા પરિવારને સહન કરવાનો વારો આવે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.