તહેવાર દરમિયાન રાજ્યમાં વધ્યા રોડ અકસ્માતના કિસ્સા, અમદાવાદમાં સર્જાયા વધુ અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:48:44

દિવાળીના સમય દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે અથવા તો અનેક લોકો પોતાના વતન દિવાળી મનાવવા જતા હોય છે. દિવાળીના સમયગાળા દરમિયાન રોડ રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળે છે જેને કારણે વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નજરે પડે છે. જેને કારણએ અકસ્માતોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં અંદાજે 1000 જેટલા અકસ્માતો સર્જાયા છે. 

અકસ્માતમાં 45 ટકા જેટલો થયો વધારો

દિનપ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે ઘટના સ્થળે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ટ્રાફિક નિયમોમાં હળવાશ આપી છે. જેને કારણે લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. દિવાળીના સમયે રસ્તાઓ પર પણ વધારે ટ્રાફિક જોવા નથી મળતો. જેને કારણે વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે. ઓવર સ્પીડ હોવાને કારણે અકસ્માતનો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના દિવસોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 1000 જેટલા રોડ અકસ્માત થયા છે. સામાન્ય દિવસો કરતા તહેવાર દરમિયાન થતાં અકસ્માતમાં 45 ટકા જેટલો વધારો થયો છે. 


અમદાવાદમાં સર્જાયા વધુ રોડ અકસ્માત

અમદાવાદમાં સૌથી વધારે અકસ્માતોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અંદાજીત 110, ભાવનગરમાં 32, સુરતમાં 88 તેમજ રાજકોટમાં પણ 46 જેટલા અકસ્માતો સર્જાયા છે. આ આંકડો વધી પણ શકે છે. આ આંકડાઓ 1200ને પણ પાર કરી શકે છે. માત્ર એટલું જ કહેવું છે કે આપણી મજા બીજાના માટે સજા ન બની જાય. જો પરિવારનું એક વ્યક્તિ પણ ઈજા અથવા તો મૃત્યુ પામે છે તો આખા પરિવારને સહન કરવાનો વારો આવે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.