તહેવાર દરમિયાન રાજ્યમાં વધ્યા રોડ અકસ્માતના કિસ્સા, અમદાવાદમાં સર્જાયા વધુ અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:48:44

દિવાળીના સમય દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે અથવા તો અનેક લોકો પોતાના વતન દિવાળી મનાવવા જતા હોય છે. દિવાળીના સમયગાળા દરમિયાન રોડ રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળે છે જેને કારણે વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નજરે પડે છે. જેને કારણએ અકસ્માતોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં અંદાજે 1000 જેટલા અકસ્માતો સર્જાયા છે. 

અકસ્માતમાં 45 ટકા જેટલો થયો વધારો

દિનપ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે ઘટના સ્થળે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ટ્રાફિક નિયમોમાં હળવાશ આપી છે. જેને કારણે લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. દિવાળીના સમયે રસ્તાઓ પર પણ વધારે ટ્રાફિક જોવા નથી મળતો. જેને કારણે વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે. ઓવર સ્પીડ હોવાને કારણે અકસ્માતનો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના દિવસોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 1000 જેટલા રોડ અકસ્માત થયા છે. સામાન્ય દિવસો કરતા તહેવાર દરમિયાન થતાં અકસ્માતમાં 45 ટકા જેટલો વધારો થયો છે. 


અમદાવાદમાં સર્જાયા વધુ રોડ અકસ્માત

અમદાવાદમાં સૌથી વધારે અકસ્માતોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અંદાજીત 110, ભાવનગરમાં 32, સુરતમાં 88 તેમજ રાજકોટમાં પણ 46 જેટલા અકસ્માતો સર્જાયા છે. આ આંકડો વધી પણ શકે છે. આ આંકડાઓ 1200ને પણ પાર કરી શકે છે. માત્ર એટલું જ કહેવું છે કે આપણી મજા બીજાના માટે સજા ન બની જાય. જો પરિવારનું એક વ્યક્તિ પણ ઈજા અથવા તો મૃત્યુ પામે છે તો આખા પરિવારને સહન કરવાનો વારો આવે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.