સતત વધતા રોડ અકસ્માત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-07 13:54:24

અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક અકસ્માત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રોડ અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. શ્રીસત્ય સાઈ જિલ્લામાં આ ઘટના બની છે. બળદગાડીમાં જઈ રહેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


ધુમ્મસને કારણે અકસ્માત થયાનું અનુમાન 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. હાલ શિયાળાને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ હોય છે. અનેક વખત અકસ્માત પણ સર્જાતો હોય છે. ત્યારે આ ઘટના ધુમ્મસને કારણે સર્જાઈ હોય તેવો અનુમાન પોલીસ લગાવી રહી છે. 


થાંભલા સાથે અથડાઈ બાઈક

રોડ અકસ્માતનો બીજો બનાવ તેલંગાણામાં બની છે. રંગારેડ્ડીમાં આ બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસની જાણકારી અનુસાર ખંભા સાથે અથડાતા આ અકસ્માત થયો છે. મરનાર બે લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતને કારણે એક જ દિવસમાં 4 લોકો મોતને ભેટ્યા છે. અકસ્માતને કારણે હજારો લોકો કાળનો કોળીયો બની રહ્યા છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.