સતત વધતા રોડ અકસ્માત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-07 13:54:24

અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક અકસ્માત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રોડ અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. શ્રીસત્ય સાઈ જિલ્લામાં આ ઘટના બની છે. બળદગાડીમાં જઈ રહેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


ધુમ્મસને કારણે અકસ્માત થયાનું અનુમાન 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. હાલ શિયાળાને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ હોય છે. અનેક વખત અકસ્માત પણ સર્જાતો હોય છે. ત્યારે આ ઘટના ધુમ્મસને કારણે સર્જાઈ હોય તેવો અનુમાન પોલીસ લગાવી રહી છે. 


થાંભલા સાથે અથડાઈ બાઈક

રોડ અકસ્માતનો બીજો બનાવ તેલંગાણામાં બની છે. રંગારેડ્ડીમાં આ બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસની જાણકારી અનુસાર ખંભા સાથે અથડાતા આ અકસ્માત થયો છે. મરનાર બે લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતને કારણે એક જ દિવસમાં 4 લોકો મોતને ભેટ્યા છે. અકસ્માતને કારણે હજારો લોકો કાળનો કોળીયો બની રહ્યા છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.