સતત વધતા રોડ અકસ્માત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-07 13:54:24

અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક અકસ્માત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રોડ અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. શ્રીસત્ય સાઈ જિલ્લામાં આ ઘટના બની છે. બળદગાડીમાં જઈ રહેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


ધુમ્મસને કારણે અકસ્માત થયાનું અનુમાન 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. હાલ શિયાળાને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ હોય છે. અનેક વખત અકસ્માત પણ સર્જાતો હોય છે. ત્યારે આ ઘટના ધુમ્મસને કારણે સર્જાઈ હોય તેવો અનુમાન પોલીસ લગાવી રહી છે. 


થાંભલા સાથે અથડાઈ બાઈક

રોડ અકસ્માતનો બીજો બનાવ તેલંગાણામાં બની છે. રંગારેડ્ડીમાં આ બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસની જાણકારી અનુસાર ખંભા સાથે અથડાતા આ અકસ્માત થયો છે. મરનાર બે લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતને કારણે એક જ દિવસમાં 4 લોકો મોતને ભેટ્યા છે. અકસ્માતને કારણે હજારો લોકો કાળનો કોળીયો બની રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.