અમદાવાદમાં ગત વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે ફરી પડ્યો ભૂવો! જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ, સાંભળો શું કહ્યું લોકોએ


  • Published By :
  • Published Date : 2023-05-27 18:04:56

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી સાચી પણ પડી હતી. ગઈકાલે સાંજે થોડા સમય માટે વરસાદ વરસ્યો પણ હતો. વરસાદને કારણે વાતાવરણ બદલાયું હતું. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા ઉપરાંત જુહાપૂરામાં ભૂવો પડ્યો હતો. ચોમાસા આવવાને હજી વાર છે. પરંતુ ચોમાસું આવે તેની પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગયા વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ ફરી એકવાર ભૂવો પડ્યો છે. ગયા વર્ષે ભૂવામાં એક્ટિવા પડ્યું હતું પરંતુ આ વખતે ભૂવામાં ગાડી પડી ગઈ હતી.

  

જૂહાપુરામાં પડેલા ભૂવામાં ગાડીનો થયો ગરકાવ!

ગઈકાલ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણી ભરાયા ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે વરસેલા વરસાદમાં જૂહાપુરામાં ભૂવો પડી ગયો હતો. આ ભૂવા  એટલો ઉંડો હતો કે આખી ગાડી એની અંદર ગરકાવ થઈ ગઈ હતી. બીજી એક ગાડી પણ ભૂવામાં પડવાની હતી પરંતુ લોકોએ બચાવી લીધી હતી. વરસાદની સિઝન પહેલા પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.  

જમાવટ સામે લોકોએ ઠાલવ્યો રોષ!

અહીં વરસાદની સિઝન શરૂ પણ નથી થઈ તે પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તે સિવાય જમાવટની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તે દરમિયાન લોકોનો તંત્ર સામેનો રોષ છલકાઈને બહાર આવ્યો હતો. જે જગ્યાએ ગયા વર્ષે ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે પણ વરસાદ પહેલા ભૂવો પડ્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.