અમદાવાદમાં ગત વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે ફરી પડ્યો ભૂવો! જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ, સાંભળો શું કહ્યું લોકોએ


  • Published By :
  • Published Date : 2023-05-27 18:04:56

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી સાચી પણ પડી હતી. ગઈકાલે સાંજે થોડા સમય માટે વરસાદ વરસ્યો પણ હતો. વરસાદને કારણે વાતાવરણ બદલાયું હતું. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા ઉપરાંત જુહાપૂરામાં ભૂવો પડ્યો હતો. ચોમાસા આવવાને હજી વાર છે. પરંતુ ચોમાસું આવે તેની પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગયા વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ ફરી એકવાર ભૂવો પડ્યો છે. ગયા વર્ષે ભૂવામાં એક્ટિવા પડ્યું હતું પરંતુ આ વખતે ભૂવામાં ગાડી પડી ગઈ હતી.

  

જૂહાપુરામાં પડેલા ભૂવામાં ગાડીનો થયો ગરકાવ!

ગઈકાલ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણી ભરાયા ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે વરસેલા વરસાદમાં જૂહાપુરામાં ભૂવો પડી ગયો હતો. આ ભૂવા  એટલો ઉંડો હતો કે આખી ગાડી એની અંદર ગરકાવ થઈ ગઈ હતી. બીજી એક ગાડી પણ ભૂવામાં પડવાની હતી પરંતુ લોકોએ બચાવી લીધી હતી. વરસાદની સિઝન પહેલા પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.  

જમાવટ સામે લોકોએ ઠાલવ્યો રોષ!

અહીં વરસાદની સિઝન શરૂ પણ નથી થઈ તે પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તે સિવાય જમાવટની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તે દરમિયાન લોકોનો તંત્ર સામેનો રોષ છલકાઈને બહાર આવ્યો હતો. જે જગ્યાએ ગયા વર્ષે ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે પણ વરસાદ પહેલા ભૂવો પડ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.