અમદાવાદમાં ગત વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે ફરી પડ્યો ભૂવો! જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ, સાંભળો શું કહ્યું લોકોએ


  • Published By :
  • Published Date : 2023-05-27 18:04:56

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી સાચી પણ પડી હતી. ગઈકાલે સાંજે થોડા સમય માટે વરસાદ વરસ્યો પણ હતો. વરસાદને કારણે વાતાવરણ બદલાયું હતું. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા ઉપરાંત જુહાપૂરામાં ભૂવો પડ્યો હતો. ચોમાસા આવવાને હજી વાર છે. પરંતુ ચોમાસું આવે તેની પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગયા વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ ફરી એકવાર ભૂવો પડ્યો છે. ગયા વર્ષે ભૂવામાં એક્ટિવા પડ્યું હતું પરંતુ આ વખતે ભૂવામાં ગાડી પડી ગઈ હતી.

  

જૂહાપુરામાં પડેલા ભૂવામાં ગાડીનો થયો ગરકાવ!

ગઈકાલ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણી ભરાયા ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે વરસેલા વરસાદમાં જૂહાપુરામાં ભૂવો પડી ગયો હતો. આ ભૂવા  એટલો ઉંડો હતો કે આખી ગાડી એની અંદર ગરકાવ થઈ ગઈ હતી. બીજી એક ગાડી પણ ભૂવામાં પડવાની હતી પરંતુ લોકોએ બચાવી લીધી હતી. વરસાદની સિઝન પહેલા પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.  

જમાવટ સામે લોકોએ ઠાલવ્યો રોષ!

અહીં વરસાદની સિઝન શરૂ પણ નથી થઈ તે પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તે સિવાય જમાવટની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તે દરમિયાન લોકોનો તંત્ર સામેનો રોષ છલકાઈને બહાર આવ્યો હતો. જે જગ્યાએ ગયા વર્ષે ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે પણ વરસાદ પહેલા ભૂવો પડ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.