અમદાવાદમાં ગત વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે ફરી પડ્યો ભૂવો! જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ, સાંભળો શું કહ્યું લોકોએ


  • Published By :
  • Published Date : 2023-05-27 18:04:56

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ આગાહી સાચી પણ પડી હતી. ગઈકાલે સાંજે થોડા સમય માટે વરસાદ વરસ્યો પણ હતો. વરસાદને કારણે વાતાવરણ બદલાયું હતું. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા ઉપરાંત જુહાપૂરામાં ભૂવો પડ્યો હતો. ચોમાસા આવવાને હજી વાર છે. પરંતુ ચોમાસું આવે તેની પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગયા વર્ષે જ્યાં ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ ફરી એકવાર ભૂવો પડ્યો છે. ગયા વર્ષે ભૂવામાં એક્ટિવા પડ્યું હતું પરંતુ આ વખતે ભૂવામાં ગાડી પડી ગઈ હતી.

  

જૂહાપુરામાં પડેલા ભૂવામાં ગાડીનો થયો ગરકાવ!

ગઈકાલ સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી. અનેક સોસાયટીઓની બહાર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણી ભરાયા ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે વરસેલા વરસાદમાં જૂહાપુરામાં ભૂવો પડી ગયો હતો. આ ભૂવા  એટલો ઉંડો હતો કે આખી ગાડી એની અંદર ગરકાવ થઈ ગઈ હતી. બીજી એક ગાડી પણ ભૂવામાં પડવાની હતી પરંતુ લોકોએ બચાવી લીધી હતી. વરસાદની સિઝન પહેલા પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.  

જમાવટ સામે લોકોએ ઠાલવ્યો રોષ!

અહીં વરસાદની સિઝન શરૂ પણ નથી થઈ તે પહેલા તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તે સિવાય જમાવટની ટીમે જ્યારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તે દરમિયાન લોકોનો તંત્ર સામેનો રોષ છલકાઈને બહાર આવ્યો હતો. જે જગ્યાએ ગયા વર્ષે ભૂવો પડ્યો હતો તે જ જગ્યાએ આ વર્ષે પણ વરસાદ પહેલા ભૂવો પડ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.