કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટ, હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ હથિયાર બતાવી ભરબપોરે લૂંટ ચલાવી


  • Published By :
  • Published Date : 2023-05-22 18:28:08

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં રૂ 1 કરોડની લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રૂ 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ લૂંટની ઘટનામાં 4 લોકોનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ લૂંટને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. 


લૂંટની ઘટનાથી ચકચાર


ગાંધીધામ શહેરની જવાહર ચોક, ખન્ના માર્કેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાંથી હેલ્મેટ પહેરી હથિયાર બતાવી લૂંટ કરી ફરાર થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લૂંટની ઘટના બનતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.


શહેરમાં લૂંટની ઘટનાઓ વધી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા માંગ ઉઠી છે. અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે, શહેરમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ વધતા શહેરનીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લુંટી થયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભાર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.