કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટ, હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ હથિયાર બતાવી ભરબપોરે લૂંટ ચલાવી


  • Published By :
  • Published Date : 2023-05-22 18:28:08

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં રૂ 1 કરોડની લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રૂ 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ લૂંટની ઘટનામાં 4 લોકોનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ લૂંટને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. 


લૂંટની ઘટનાથી ચકચાર


ગાંધીધામ શહેરની જવાહર ચોક, ખન્ના માર્કેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાંથી હેલ્મેટ પહેરી હથિયાર બતાવી લૂંટ કરી ફરાર થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લૂંટની ઘટના બનતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.


શહેરમાં લૂંટની ઘટનાઓ વધી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા માંગ ઉઠી છે. અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે, શહેરમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ વધતા શહેરનીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લુંટી થયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભાર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.