કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટ, હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ હથિયાર બતાવી ભરબપોરે લૂંટ ચલાવી


  • Published By :
  • Published Date : 2023-05-22 18:28:08

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં રૂ 1 કરોડની લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રૂ 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ લૂંટની ઘટનામાં 4 લોકોનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ લૂંટને અંજામ આપનારા આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. 


લૂંટની ઘટનાથી ચકચાર


ગાંધીધામ શહેરની જવાહર ચોક, ખન્ના માર્કેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાંથી હેલ્મેટ પહેરી હથિયાર બતાવી લૂંટ કરી ફરાર થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના સૌથી સુરક્ષિત વિસ્તારમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લૂંટની ઘટના બનતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.


શહેરમાં લૂંટની ઘટનાઓ વધી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા માંગ ઉઠી છે. અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે, શહેરમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ વધતા શહેરનીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં ભર બપોરે PM આંગડિયા પેઢીમાં એક કરોડ રોકડની લુંટી થયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભાર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.