Rotomac: લિખતે-લિખતે ફ્રોડ હો જાય! કંપની સામે CBIએ દાખલ કરી FIR


  • Published By :
  • Published Date : 2022-11-17 21:32:45

લિખતે-લિખતે લવ હો જાય આ એડ તો તમે બાળપણમાં ટીવી પર જોઈ જ હશે. જે પેન માટે આ એડ બની તે  Rotomac Pen પણ તમે જોઈ હશે. આજકાલ આ પેન મેકર કંપની કાયદાકીય આંટીઘુટીમાં ફસાઈ છે. રોટોમેક કંપની પર 750 કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો આરોપ લાગ્યો છે જેના પગલે CBIએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટરો સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)સાથે જોડાયેલી બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 750.54 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 90ના દશકમાં રોટોમેક ગ્લોબલ કંપનીની સ્થાપના થઈ હતી.


રોટોમેક  કંપની પર2,919 કરોડનું દેવું


રોટોમેક કંપની  પર બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 7 બેંકોના કન્સોર્ટિયમનું કુલ રૂ. 2,919 કરોડનું દેવું છે. જેમાં સૌથી મોટો 23 ટકા હિસ્સો ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો છે. CBIના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી) હેઠળ ફર્મ અને તેના ડિરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


 કંપની સામે મની લોન્ડરિંગની તપાસ 


CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. 28 જૂન, 2012ના દિવસે ફર્મને રૂપિયા 500 કરોડની બિન ભંડોળ આધારિત મર્યાદા ફાળવવામાં આવ્યા હતા. તેમના ખાતાને 30 જૂન, 2016ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે તેની પાસે રૂપિયા 750.54 કરોડનું બાકી હતું.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.