Rotomac: લિખતે-લિખતે ફ્રોડ હો જાય! કંપની સામે CBIએ દાખલ કરી FIR


  • Published By :
  • Published Date : 2022-11-17 21:32:45

લિખતે-લિખતે લવ હો જાય આ એડ તો તમે બાળપણમાં ટીવી પર જોઈ જ હશે. જે પેન માટે આ એડ બની તે  Rotomac Pen પણ તમે જોઈ હશે. આજકાલ આ પેન મેકર કંપની કાયદાકીય આંટીઘુટીમાં ફસાઈ છે. રોટોમેક કંપની પર 750 કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો આરોપ લાગ્યો છે જેના પગલે CBIએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટરો સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)સાથે જોડાયેલી બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 750.54 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 90ના દશકમાં રોટોમેક ગ્લોબલ કંપનીની સ્થાપના થઈ હતી.


રોટોમેક  કંપની પર2,919 કરોડનું દેવું


રોટોમેક કંપની  પર બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 7 બેંકોના કન્સોર્ટિયમનું કુલ રૂ. 2,919 કરોડનું દેવું છે. જેમાં સૌથી મોટો 23 ટકા હિસ્સો ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો છે. CBIના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી) હેઠળ ફર્મ અને તેના ડિરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


 કંપની સામે મની લોન્ડરિંગની તપાસ 


CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. 28 જૂન, 2012ના દિવસે ફર્મને રૂપિયા 500 કરોડની બિન ભંડોળ આધારિત મર્યાદા ફાળવવામાં આવ્યા હતા. તેમના ખાતાને 30 જૂન, 2016ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે તેની પાસે રૂપિયા 750.54 કરોડનું બાકી હતું.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.