Rotomac: લિખતે-લિખતે ફ્રોડ હો જાય! કંપની સામે CBIએ દાખલ કરી FIR


  • Published By :
  • Published Date : 2022-11-17 21:32:45

લિખતે-લિખતે લવ હો જાય આ એડ તો તમે બાળપણમાં ટીવી પર જોઈ જ હશે. જે પેન માટે આ એડ બની તે  Rotomac Pen પણ તમે જોઈ હશે. આજકાલ આ પેન મેકર કંપની કાયદાકીય આંટીઘુટીમાં ફસાઈ છે. રોટોમેક કંપની પર 750 કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો આરોપ લાગ્યો છે જેના પગલે CBIએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટરો સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)સાથે જોડાયેલી બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 750.54 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 90ના દશકમાં રોટોમેક ગ્લોબલ કંપનીની સ્થાપના થઈ હતી.


રોટોમેક  કંપની પર2,919 કરોડનું દેવું


રોટોમેક કંપની  પર બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 7 બેંકોના કન્સોર્ટિયમનું કુલ રૂ. 2,919 કરોડનું દેવું છે. જેમાં સૌથી મોટો 23 ટકા હિસ્સો ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો છે. CBIના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી) હેઠળ ફર્મ અને તેના ડિરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


 કંપની સામે મની લોન્ડરિંગની તપાસ 


CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. 28 જૂન, 2012ના દિવસે ફર્મને રૂપિયા 500 કરોડની બિન ભંડોળ આધારિત મર્યાદા ફાળવવામાં આવ્યા હતા. તેમના ખાતાને 30 જૂન, 2016ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે તેની પાસે રૂપિયા 750.54 કરોડનું બાકી હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.