મની લોન્ડ્રિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી વધી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:14:51

દિલ્હી લિકર પોલીસી કેસમાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટને ફરી ફરીથી ઝટકો મળ્યો છે. ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 17 એપ્રિલ 2023 સુધી વધારી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ખતમ થયા બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.


મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી


મનીષ સિસોદિયાના વકીલે જામીન માટે ધારદાર દલીલો કરી હતી તેમ છતાં તેમની કોઈ દલીલ કોર્ટમાં કામ આવી શકી નહોતી. આ પહેલા પણ રાઉઝ એવન્યુ કોર્ટે જ મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 17 એપ્રિલ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે આ બંને કેસમાં સિસોદિયા માટે 17 એપ્રિલ સુધી જેલમાં થી બહાર આવવું મુશ્કેલ છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.