મની લોન્ડ્રિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી વધી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:14:51

દિલ્હી લિકર પોલીસી કેસમાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટને ફરી ફરીથી ઝટકો મળ્યો છે. ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 17 એપ્રિલ 2023 સુધી વધારી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ખતમ થયા બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.


મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી


મનીષ સિસોદિયાના વકીલે જામીન માટે ધારદાર દલીલો કરી હતી તેમ છતાં તેમની કોઈ દલીલ કોર્ટમાં કામ આવી શકી નહોતી. આ પહેલા પણ રાઉઝ એવન્યુ કોર્ટે જ મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 17 એપ્રિલ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે આ બંને કેસમાં સિસોદિયા માટે 17 એપ્રિલ સુધી જેલમાં થી બહાર આવવું મુશ્કેલ છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.