લુણાવાડાના ભુવનેશ્વરી મંદિરમાં રાજવી પરિવારે કર્યું ચોસઠ જોગણી કુંભ સ્થાપન, જવારા વાવી પરિવારે નિભાવી વર્ષો જૂની પરંપરા


  • Published By :
  • Published Date : 2023-10-16 15:55:30

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી હોવાને કારણે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. માતાજીના આશીર્વાદ મળે તે માટે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ઘટ સ્થાપન કરી તેમાં જવેરાનું વાવેતર કરવામાં આવે છે. નવરાત્રીને લઈ અનેક રાજવી પરિવારો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં પાંચસો ચોપન(554) વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવીનું ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ચોસઠ જોગણી કુંભ સ્થાપન કરી જવારા વાવી અનોખી પરંપરાથી  નવરાત્રી મનાવવામાં આવે છે.   



રાજવી પરિવાર દ્વારા કરાયું જવેરાનું વાવેતર 

નવરાત્રી દરમિયાન જવેરા વાવમાં આવે છે. નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે. માતાજીની પૂજા અલગ અલગ દ્રવ્યોથી અલગ અલગ ઉપચારથી કરવામાં આવે છે. જવેરાનું મહત્વ વિશેષ હોય છે. જવેરાને લઈ એવી માન્યતા છે કે જવારા ભવિષ્ય સંબંધિત અનેક સંકેતો આપે છે. એવું માનવામાં આવે છે કે જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપત્તિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃદ્ધિ આવે છે. ત્યારે મહીસાગરના રાજવી પરિવાર દ્વારા તેમની કુળદેવી ભુવનેશ્વરી માતાજી મંદિરમાં રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનું સ્થાપન કરી જવારા વાવવામાં આવ્યા છે.  



રાજમહેલનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે  

524 વર્ષ જૂના એવા પૌરાણીક મંદિરમાં લુણાવાડાના ચુમાલિસમાં મહારાજ શ્રી સિદ્ધરાજસિંહ દ્વારા જવારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જવેરાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો મહીસાગર આવતા હોય છે. જવેરાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સામાન્ય દિવસોમાં રાજમહેલમાં આવેલું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવતું હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન રાજ મહેલમાં આવેલું રાજવી પરિવારના કુળદેવીનું મંદિર નવરાત્રી દરમિયાન ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.