સજાતીય લગ્ન મુદ્દે મોદી સરકારને RSSનો ટેકો, જનરલ સેક્રેટરી હોસબાલે કહ્યું "કેન્દ્રના અભિપ્રાય સાથે સંઘ સંમત"


  • Published By :
  • Published Date : 2023-03-14 18:14:38

સજાતીય લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારે સજાતીય લગ્નને કાનુની માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટમાં જોરદાર વિરોધ કર્યો હતો. સરકારના એટર્ની જનરલે આ મામલે ધારદાર દલીલો કરતા સુપ્રીમ કોર્ટે આ કેસ હવે બંધારણીય બેચને હવાલે કર્યો છે. જો કે આ મુદ્દે કેન્દ્ર સરકારને RSSનું પણ સમર્થન મળ્યું છે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલે પણ કહ્યું કે લગ્ન માત્ર અપોઝિટ લોકો વચ્ચે જ થઈ શકે છે.


મોદી સરકારને સંઘનું સમર્થન


રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પાનીપતમાં ચાલી રહેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલે પણ સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું છે. RSSના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલેએ મંગળવારે (14 માર્ચ) જણાવ્યું કે સંઘ સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્રના અભિપ્રાય સાથે સંમત છે. હોસબાલેએ દાવો કર્યો હતો કે લગ્ન ફક્ત વિજાતીય લોકો વચ્ચે જ થઈ શકે છે, વધુમાં તેમણે કહ્યું કે 'ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે. તે બે વ્યક્તિઓના આનંદ માટેનો કરાર કે વસ્તુ નથી.'


શા માટે યોજાઈ ABPSની બેઠક?


હરિયાણાના પાણીપતમાં 12 માર્ચથી શરૂ થયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)ની 3 દિવસની આ બેઠકનું ખુબ મહત્વ છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)એ RSSનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ એકમ છે, તેને સંઘની વિચારસરણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેઠકમાં સંઘ સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો અને વ્યૂહરચના અંગે વિચાર-વિમર્સ કરવામાં આવે છે. પાનીપતમાં યોજાયેલી આ બેઠકમાં ત્રણેય દિવસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.