સજાતીય લગ્ન મુદ્દે મોદી સરકારને RSSનો ટેકો, જનરલ સેક્રેટરી હોસબાલે કહ્યું "કેન્દ્રના અભિપ્રાય સાથે સંઘ સંમત"


  • Published By :
  • Published Date : 2023-03-14 18:14:38

સજાતીય લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે, કેન્દ્ર સરકારે સજાતીય લગ્નને કાનુની માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટમાં જોરદાર વિરોધ કર્યો હતો. સરકારના એટર્ની જનરલે આ મામલે ધારદાર દલીલો કરતા સુપ્રીમ કોર્ટે આ કેસ હવે બંધારણીય બેચને હવાલે કર્યો છે. જો કે આ મુદ્દે કેન્દ્ર સરકારને RSSનું પણ સમર્થન મળ્યું છે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલે પણ કહ્યું કે લગ્ન માત્ર અપોઝિટ લોકો વચ્ચે જ થઈ શકે છે.


મોદી સરકારને સંઘનું સમર્થન


રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પાનીપતમાં ચાલી રહેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલે પણ સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું છે. RSSના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલેએ મંગળવારે (14 માર્ચ) જણાવ્યું કે સંઘ સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્રના અભિપ્રાય સાથે સંમત છે. હોસબાલેએ દાવો કર્યો હતો કે લગ્ન ફક્ત વિજાતીય લોકો વચ્ચે જ થઈ શકે છે, વધુમાં તેમણે કહ્યું કે 'ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે. તે બે વ્યક્તિઓના આનંદ માટેનો કરાર કે વસ્તુ નથી.'


શા માટે યોજાઈ ABPSની બેઠક?


હરિયાણાના પાણીપતમાં 12 માર્ચથી શરૂ થયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)ની 3 દિવસની આ બેઠકનું ખુબ મહત્વ છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (ABPS)એ RSSનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ એકમ છે, તેને સંઘની વિચારસરણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેઠકમાં સંઘ સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો અને વ્યૂહરચના અંગે વિચાર-વિમર્સ કરવામાં આવે છે. પાનીપતમાં યોજાયેલી આ બેઠકમાં ત્રણેય દિવસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.