રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી મામલે એસ. જયશંકરે આપ્યો આ જડબાતોડ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-17 15:59:08

યુરોપિયન યુનિયન (EU) છેલ્લા એક વર્ષથી રશિયાના ક્રુડના વ્યાપાર પર નિયંત્રણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હવે તેમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે ભારત પર નિશાન સાધ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ નિતી બાબતોના સર્વોચ્ચ પ્રતિનિધી જોસેફ બોરેલે રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.   


એસ. જયશંકરે આપ્યો આ જવાબ


રશિયન ક્રૂડ અંગે બોરેલે કહ્યું કે યુરોપિયન યુનિયનને ખબર છે કે ભારતીય રિફાઈનરી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહી છે, પછી તેને પ્રોસેસ કરીને યુરોપમાં વેચી રહી છે. આ અંગે યુરોપિયન યુનિયને મોટું પગલું ભરવાની જરૂર છે, ત્યાર બાદ જયશંકરે બોરેલને ઈયુ કાઉન્સિલના નિયમ 833/2014ની ભારપૂર્વક યાદ અપાવી. આ નિયમ હેઠળ તે બાબત સ્પષ્ટ છે કે રશિયા આવનારુ ક્રુડ ઓઈલને કોઈ ત્રીજા દેશમાં પ્રોસેસ થઈ પસાર થાય તો તેને રશિયન ક્રુડ સમજવામાં આવતું નથી. જયશંકરે બોરેલ સાથે મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદનની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.