રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી મામલે એસ. જયશંકરે આપ્યો આ જડબાતોડ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-17 15:59:08

યુરોપિયન યુનિયન (EU) છેલ્લા એક વર્ષથી રશિયાના ક્રુડના વ્યાપાર પર નિયંત્રણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હવે તેમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે ભારત પર નિશાન સાધ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ નિતી બાબતોના સર્વોચ્ચ પ્રતિનિધી જોસેફ બોરેલે રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.   


એસ. જયશંકરે આપ્યો આ જવાબ


રશિયન ક્રૂડ અંગે બોરેલે કહ્યું કે યુરોપિયન યુનિયનને ખબર છે કે ભારતીય રિફાઈનરી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહી છે, પછી તેને પ્રોસેસ કરીને યુરોપમાં વેચી રહી છે. આ અંગે યુરોપિયન યુનિયને મોટું પગલું ભરવાની જરૂર છે, ત્યાર બાદ જયશંકરે બોરેલને ઈયુ કાઉન્સિલના નિયમ 833/2014ની ભારપૂર્વક યાદ અપાવી. આ નિયમ હેઠળ તે બાબત સ્પષ્ટ છે કે રશિયા આવનારુ ક્રુડ ઓઈલને કોઈ ત્રીજા દેશમાં પ્રોસેસ થઈ પસાર થાય તો તેને રશિયન ક્રુડ સમજવામાં આવતું નથી. જયશંકરે બોરેલ સાથે મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદનની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.