રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી મામલે એસ. જયશંકરે આપ્યો આ જડબાતોડ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-17 15:59:08

યુરોપિયન યુનિયન (EU) છેલ્લા એક વર્ષથી રશિયાના ક્રુડના વ્યાપાર પર નિયંત્રણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હવે તેમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે ભારત પર નિશાન સાધ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ નિતી બાબતોના સર્વોચ્ચ પ્રતિનિધી જોસેફ બોરેલે રશિયન ક્રુડનું યુરોપમાં વેચાણ કરતી ભારતીય રિફાઈનરીઝ પર કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી છે.   


એસ. જયશંકરે આપ્યો આ જવાબ


રશિયન ક્રૂડ અંગે બોરેલે કહ્યું કે યુરોપિયન યુનિયનને ખબર છે કે ભારતીય રિફાઈનરી મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહી છે, પછી તેને પ્રોસેસ કરીને યુરોપમાં વેચી રહી છે. આ અંગે યુરોપિયન યુનિયને મોટું પગલું ભરવાની જરૂર છે, ત્યાર બાદ જયશંકરે બોરેલને ઈયુ કાઉન્સિલના નિયમ 833/2014ની ભારપૂર્વક યાદ અપાવી. આ નિયમ હેઠળ તે બાબત સ્પષ્ટ છે કે રશિયા આવનારુ ક્રુડ ઓઈલને કોઈ ત્રીજા દેશમાં પ્રોસેસ થઈ પસાર થાય તો તેને રશિયન ક્રુડ સમજવામાં આવતું નથી. જયશંકરે બોરેલ સાથે મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદનની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.