સાબરડેરીએ ઘીના ભાવમાં કર્યો તોતિંગ વધારો, ભાવ વધતા ખોરવાઈ જશે ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2022-12-15 16:32:21

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.  ત્યારે હવે ઘીના ભાવમાં વધારો નોંધાયો છે. સાબર ડેરીએ ઘીની કિંમતમાં વધારો કર્યો છે. સાબર ડેરીએ પ્રતિ કીલોએ 35 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેને કારણે 15 કિલો ઘીના ડબ્બામાં 525 રુપિયાનો તોતિંગ ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 

Cow Ghee - ઘરમા ગાય઼નુ શુદ્ધ દેશી ઘી કેવી રીતે બનાવશો ?

પ્રતિકિલોએ કરાયો 35 રૂપિયાનો વધારો

મોંઘવારીનો માર સામાન્ય માણસને સહન કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ તો વધે છે પરંતુ જીવનજરૂરીયાતની  ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં પ્રતિકિલોએ 35 રૂપિયાનો વધારો કરાયો છે. જેને કારણે મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસની સ્થિતિ કફોળી બની છે.  આ અગાઉ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો હતો. મોંઘવારીને કારણે મધ્યમવર્ગની કમર તૂટી રહી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.