સાબરડેરીએ ઘીના ભાવમાં કર્યો તોતિંગ વધારો, ભાવ વધતા ખોરવાઈ જશે ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2022-12-15 16:32:21

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.  ત્યારે હવે ઘીના ભાવમાં વધારો નોંધાયો છે. સાબર ડેરીએ ઘીની કિંમતમાં વધારો કર્યો છે. સાબર ડેરીએ પ્રતિ કીલોએ 35 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેને કારણે 15 કિલો ઘીના ડબ્બામાં 525 રુપિયાનો તોતિંગ ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 

Cow Ghee - ઘરમા ગાય઼નુ શુદ્ધ દેશી ઘી કેવી રીતે બનાવશો ?

પ્રતિકિલોએ કરાયો 35 રૂપિયાનો વધારો

મોંઘવારીનો માર સામાન્ય માણસને સહન કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ તો વધે છે પરંતુ જીવનજરૂરીયાતની  ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં પ્રતિકિલોએ 35 રૂપિયાનો વધારો કરાયો છે. જેને કારણે મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસની સ્થિતિ કફોળી બની છે.  આ અગાઉ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો હતો. મોંઘવારીને કારણે મધ્યમવર્ગની કમર તૂટી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.