સાબરડેરીએ ઘીના ભાવમાં કર્યો તોતિંગ વધારો, ભાવ વધતા ખોરવાઈ જશે ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2022-12-15 16:32:21

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.  ત્યારે હવે ઘીના ભાવમાં વધારો નોંધાયો છે. સાબર ડેરીએ ઘીની કિંમતમાં વધારો કર્યો છે. સાબર ડેરીએ પ્રતિ કીલોએ 35 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેને કારણે 15 કિલો ઘીના ડબ્બામાં 525 રુપિયાનો તોતિંગ ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 

Cow Ghee - ઘરમા ગાય઼નુ શુદ્ધ દેશી ઘી કેવી રીતે બનાવશો ?

પ્રતિકિલોએ કરાયો 35 રૂપિયાનો વધારો

મોંઘવારીનો માર સામાન્ય માણસને સહન કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ તો વધે છે પરંતુ જીવનજરૂરીયાતની  ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. સાબરકાંઠાની સાબરડેરીએ પ્રતિકિલો ઘીના ભાવમાં પ્રતિકિલોએ 35 રૂપિયાનો વધારો કરાયો છે. જેને કારણે મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસની સ્થિતિ કફોળી બની છે.  આ અગાઉ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો હતો. મોંઘવારીને કારણે મધ્યમવર્ગની કમર તૂટી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.