સચિન પાયલટે ફરી CM ગેહલોત પર કર્યા પ્રહાર, ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ નહીં


  • Published By :
  • Published Date : 2023-04-23 18:53:12

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરી એક વખત CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે અશોક ગેહલોત ખુલ્લેઆમ આકરા પ્રહારો પ્રહારો કર્યા છે. પાયલોટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. 


ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું


સચિન પાયલટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ અશોક ગેહલોત સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. સચિન પાયલોટે કહ્યું કે અમે વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ માટે જનતા પાસેથી વોટ માંગ્યા હતા, તલાટી પરના દરોડાની તપાસની માંગ માટે વોટ નથી માંગ્યા. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીના લોકોને તે ભ્રમ ફેલાવવા દેવાની તક ન આપવી જોઈએ કે અહીં કોઈ પ્રકારની સાંઠગાંઠ છે. ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું હોય છે અને લોકોમાં એવી ધારણા ન હોવી જોઈએ કે તેમની વચ્ચે મિલીભગત છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.