સચિન પાયલટે ફરી CM ગેહલોત પર કર્યા પ્રહાર, ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ નહીં


  • Published By :
  • Published Date : 2023-04-23 18:53:12

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરી એક વખત CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે અશોક ગેહલોત ખુલ્લેઆમ આકરા પ્રહારો પ્રહારો કર્યા છે. પાયલોટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. 


ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું


સચિન પાયલટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ અશોક ગેહલોત સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. સચિન પાયલોટે કહ્યું કે અમે વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ માટે જનતા પાસેથી વોટ માંગ્યા હતા, તલાટી પરના દરોડાની તપાસની માંગ માટે વોટ નથી માંગ્યા. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીના લોકોને તે ભ્રમ ફેલાવવા દેવાની તક ન આપવી જોઈએ કે અહીં કોઈ પ્રકારની સાંઠગાંઠ છે. ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું હોય છે અને લોકોમાં એવી ધારણા ન હોવી જોઈએ કે તેમની વચ્ચે મિલીભગત છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.