સચિન પાયલટે ફરી CM ગેહલોત પર કર્યા પ્રહાર, ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ નહીં


  • Published By :
  • Published Date : 2023-04-23 18:53:12

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરી એક વખત CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે અશોક ગેહલોત ખુલ્લેઆમ આકરા પ્રહારો પ્રહારો કર્યા છે. પાયલોટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. 


ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું


સચિન પાયલટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ અશોક ગેહલોત સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. સચિન પાયલોટે કહ્યું કે અમે વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ માટે જનતા પાસેથી વોટ માંગ્યા હતા, તલાટી પરના દરોડાની તપાસની માંગ માટે વોટ નથી માંગ્યા. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીના લોકોને તે ભ્રમ ફેલાવવા દેવાની તક ન આપવી જોઈએ કે અહીં કોઈ પ્રકારની સાંઠગાંઠ છે. ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું હોય છે અને લોકોમાં એવી ધારણા ન હોવી જોઈએ કે તેમની વચ્ચે મિલીભગત છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.