સચિન પાયલોટે રાજસ્થાન સરકારને આપ્યું અલ્ટિમેટમ! સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો માગ નહીં પૂરી થાય તો... સાંભળો શું કહ્યું સચિન પાયલોટે?


  • Published By :
  • Published Date : 2023-05-16 10:20:39

રાજસ્થાનનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ વિરોધ શરૂ કર્યો છે. તપાસ કરવામાં આવે તેવી તેમની માગ છે. સચિન પાયલોટે જનસંઘર્ષ યાત્રા કરી હતી તે પહેલા એક દિવસના ધરણા પ્રદર્શન કર્યું હતું. આ યાત્રાનું સમાપન સોમવારે થયું હતું પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની સરકારને આપી છે.

  

સચિન પાયલોટે આંદોલન કરવાની આપી ચીમકી!       

સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલતો વિવાદ હાલ ચર્ચામાં છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. જન સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું જેનું સમાપન ગઈ કાલે થઈ ગયું છે. ત્યારે પોતાની જ સરકારને પાયલોટે અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની જ સરકારને આપી છે. સચિન પાયલોટને મંત્રી રાજેન્દ્ર ગુઢાનું સમર્થન મળ્યું છે. પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું  કે સરકારનું અલાઈનમેંટ ખરાબ થઈ ગયું છે અને તેમણે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી દીધા છે. 

આખા રાજ્યમાં આંદોલન કરવાની કરી વાત!

સોમવારે સચિન પાયલોટની યાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. 5 દિવસની યાત્રાનું આયોજન તેમણે કર્યું હતું. ત્યારે પાયલોટે જયપુર નજીક મહાપુરા ગામમાં જનસભા સંબોધી હતી અને પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને 30મે સુધીનો સમય આપ્યો છે. અને જો તેમની ત્રણ માગ પૂરી નહીં થાય તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. જો ત્રણ માગની વાત કરીએ તો રાજસ્થાનના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરવામાં આવે અને ફરી રચવામાં આવે. તે સિવાય વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તે સિવાય પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે. 


રાજેન્દ્ર ગુઢાનું સચિન પાયલોટને મળ્યું સમર્થન!

સચિન પાયલોટે પોતાની જ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે એવું પણ કહ્યું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે. સચિન પાયલોટના સમર્થનમાં અશોક ગેહલોત સરકારના અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યો આવ્યા છે. સમર્થનમાં આવેલા રાજેન્દ્ર ગુઢાએ પોતાની સરકાર પર જ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની સરકારમાં તો 40 ટકા જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સચિન પાયલોટ દ્વારા કરવામાં આવેલો વિરોધ વિધાનસભા ચૂંટણીમાં કેટલી અસર કરશે કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.