સચિન પાયલોટે રાજસ્થાન સરકારને આપ્યું અલ્ટિમેટમ! સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો માગ નહીં પૂરી થાય તો... સાંભળો શું કહ્યું સચિન પાયલોટે?


  • Published By :
  • Published Date : 2023-05-16 10:20:39

રાજસ્થાનનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ વિરોધ શરૂ કર્યો છે. તપાસ કરવામાં આવે તેવી તેમની માગ છે. સચિન પાયલોટે જનસંઘર્ષ યાત્રા કરી હતી તે પહેલા એક દિવસના ધરણા પ્રદર્શન કર્યું હતું. આ યાત્રાનું સમાપન સોમવારે થયું હતું પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની સરકારને આપી છે.

  

સચિન પાયલોટે આંદોલન કરવાની આપી ચીમકી!       

સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલતો વિવાદ હાલ ચર્ચામાં છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. જન સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું જેનું સમાપન ગઈ કાલે થઈ ગયું છે. ત્યારે પોતાની જ સરકારને પાયલોટે અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની જ સરકારને આપી છે. સચિન પાયલોટને મંત્રી રાજેન્દ્ર ગુઢાનું સમર્થન મળ્યું છે. પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું  કે સરકારનું અલાઈનમેંટ ખરાબ થઈ ગયું છે અને તેમણે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી દીધા છે. 

આખા રાજ્યમાં આંદોલન કરવાની કરી વાત!

સોમવારે સચિન પાયલોટની યાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. 5 દિવસની યાત્રાનું આયોજન તેમણે કર્યું હતું. ત્યારે પાયલોટે જયપુર નજીક મહાપુરા ગામમાં જનસભા સંબોધી હતી અને પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને 30મે સુધીનો સમય આપ્યો છે. અને જો તેમની ત્રણ માગ પૂરી નહીં થાય તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. જો ત્રણ માગની વાત કરીએ તો રાજસ્થાનના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરવામાં આવે અને ફરી રચવામાં આવે. તે સિવાય વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તે સિવાય પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે. 


રાજેન્દ્ર ગુઢાનું સચિન પાયલોટને મળ્યું સમર્થન!

સચિન પાયલોટે પોતાની જ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે એવું પણ કહ્યું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે. સચિન પાયલોટના સમર્થનમાં અશોક ગેહલોત સરકારના અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યો આવ્યા છે. સમર્થનમાં આવેલા રાજેન્દ્ર ગુઢાએ પોતાની સરકાર પર જ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની સરકારમાં તો 40 ટકા જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સચિન પાયલોટ દ્વારા કરવામાં આવેલો વિરોધ વિધાનસભા ચૂંટણીમાં કેટલી અસર કરશે કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.