સચિન પાયલોટે રાજસ્થાન સરકારને આપ્યું અલ્ટિમેટમ! સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો માગ નહીં પૂરી થાય તો... સાંભળો શું કહ્યું સચિન પાયલોટે?


  • Published By :
  • Published Date : 2023-05-16 10:20:39

રાજસ્થાનનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ વિરોધ શરૂ કર્યો છે. તપાસ કરવામાં આવે તેવી તેમની માગ છે. સચિન પાયલોટે જનસંઘર્ષ યાત્રા કરી હતી તે પહેલા એક દિવસના ધરણા પ્રદર્શન કર્યું હતું. આ યાત્રાનું સમાપન સોમવારે થયું હતું પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની સરકારને આપી છે.

  

સચિન પાયલોટે આંદોલન કરવાની આપી ચીમકી!       

સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલતો વિવાદ હાલ ચર્ચામાં છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. જન સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું જેનું સમાપન ગઈ કાલે થઈ ગયું છે. ત્યારે પોતાની જ સરકારને પાયલોટે અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની જ સરકારને આપી છે. સચિન પાયલોટને મંત્રી રાજેન્દ્ર ગુઢાનું સમર્થન મળ્યું છે. પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું  કે સરકારનું અલાઈનમેંટ ખરાબ થઈ ગયું છે અને તેમણે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી દીધા છે. 

આખા રાજ્યમાં આંદોલન કરવાની કરી વાત!

સોમવારે સચિન પાયલોટની યાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. 5 દિવસની યાત્રાનું આયોજન તેમણે કર્યું હતું. ત્યારે પાયલોટે જયપુર નજીક મહાપુરા ગામમાં જનસભા સંબોધી હતી અને પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને 30મે સુધીનો સમય આપ્યો છે. અને જો તેમની ત્રણ માગ પૂરી નહીં થાય તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. જો ત્રણ માગની વાત કરીએ તો રાજસ્થાનના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરવામાં આવે અને ફરી રચવામાં આવે. તે સિવાય વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તે સિવાય પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે. 


રાજેન્દ્ર ગુઢાનું સચિન પાયલોટને મળ્યું સમર્થન!

સચિન પાયલોટે પોતાની જ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે એવું પણ કહ્યું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે. સચિન પાયલોટના સમર્થનમાં અશોક ગેહલોત સરકારના અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યો આવ્યા છે. સમર્થનમાં આવેલા રાજેન્દ્ર ગુઢાએ પોતાની સરકાર પર જ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની સરકારમાં તો 40 ટકા જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સચિન પાયલોટ દ્વારા કરવામાં આવેલો વિરોધ વિધાનસભા ચૂંટણીમાં કેટલી અસર કરશે કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.      




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.