સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો, હાથમાં બંદૂક સાથે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપ્યું અલ્ટિમેટમ, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-01 21:05:11

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. આ મુદ્દે રાજ્યના સાધુ-સંતો, મહંતો, અને ધર્મગુરૂઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આક્રોશ દર્શાવ્યો છે. મહંત દ્વારા 24 કલાકમાં વિવાદિત ચિત્ર હટાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.


શું કહ્યું મહંત પરમેશ્વર મહારાજે?


સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે તેયાર કરાયેલી પ્રતિમાઓનો વિવાદ વકરતો જાય છે. ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજીના મહંત દ્વારા હાથમાં હથિયાર ઉઠાવીને ખુલ્લી ચીમકી આપી દેવામાં આવી છે. રોકડિયા હનુમાનના મહંત દ્વારા સુધરી જવા સાળંગપુરના કષ્ટભંજન દેવના મંદિરના સંચાલકોને જણાવવામાં આવ્યું છે. મહંત પરમેશ્વર મહારાજે ચિમકી આપતા કહ્યું કે, 'હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.' આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.'



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.