સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વકર્યો, હાથમાં બંદૂક સાથે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપ્યું અલ્ટિમેટમ, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-01 21:05:11

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. આ મુદ્દે રાજ્યના સાધુ-સંતો, મહંતો, અને ધર્મગુરૂઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આક્રોશ દર્શાવ્યો છે. મહંત દ્વારા 24 કલાકમાં વિવાદિત ચિત્ર હટાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.


શું કહ્યું મહંત પરમેશ્વર મહારાજે?


સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની વિશાળ મૂર્તિની નીચે તેયાર કરાયેલી પ્રતિમાઓનો વિવાદ વકરતો જાય છે. ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજીના મહંત દ્વારા હાથમાં હથિયાર ઉઠાવીને ખુલ્લી ચીમકી આપી દેવામાં આવી છે. રોકડિયા હનુમાનના મહંત દ્વારા સુધરી જવા સાળંગપુરના કષ્ટભંજન દેવના મંદિરના સંચાલકોને જણાવવામાં આવ્યું છે. મહંત પરમેશ્વર મહારાજે ચિમકી આપતા કહ્યું કે, 'હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.' આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.'



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી