સાળંગપુર મંદિર વિવાદ વધુ વકર્યો, ભક્તની લાગણી દુભાતા વિવાદિત ચિત્ર પર ફેરવ્યો કાળો રંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-02 18:28:31

સાળંગપુર વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. મોટી મૂર્તિઓ નીચે રાખવામાં આવેલી મૂર્તિઓને લઈ વિવાદ છેડાયો હતો. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વમીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવવામાં આવ્યા છે. આ પ્રતિમાઓને કારણે અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. અનેક કથાકારો, સંતોએ, લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

 


લાગણી દુભાતા વિવાદિત ભીંતચિત્રો પર ભક્તે કાળો કલર લગાવી દીધો!

ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે. જે ભીંત ચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો તે વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કોઈ ભક્તે મારી દીધો છે. ભક્તની લાગણી દુભાતા આ કદમ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મંદિરના પ્રાઈવેટ બાઉન્સર તેમજ પોલીસ ભીતચિત્રોની આજુબાજુ ઉભા રહેશે. ભીતચિત્રોની આજુબાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ કામ કર્યું છે તેમનું નામ હર્ષદ ગઢવી છે. 


શું છે સમગ્ર વિવાદ? 

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. ભક્તોની લાગણી દુભાઈ ગઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.