સાળંગપુર મંદિર વિવાદ વધુ વકર્યો, ભક્તની લાગણી દુભાતા વિવાદિત ચિત્ર પર ફેરવ્યો કાળો રંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-02 18:28:31

સાળંગપુર વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. મોટી મૂર્તિઓ નીચે રાખવામાં આવેલી મૂર્તિઓને લઈ વિવાદ છેડાયો હતો. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વમીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવવામાં આવ્યા છે. આ પ્રતિમાઓને કારણે અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. અનેક કથાકારો, સંતોએ, લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

 


લાગણી દુભાતા વિવાદિત ભીંતચિત્રો પર ભક્તે કાળો કલર લગાવી દીધો!

ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે. જે ભીંત ચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો તે વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કોઈ ભક્તે મારી દીધો છે. ભક્તની લાગણી દુભાતા આ કદમ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મંદિરના પ્રાઈવેટ બાઉન્સર તેમજ પોલીસ ભીતચિત્રોની આજુબાજુ ઉભા રહેશે. ભીતચિત્રોની આજુબાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ કામ કર્યું છે તેમનું નામ હર્ષદ ગઢવી છે. 


શું છે સમગ્ર વિવાદ? 

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. ભક્તોની લાગણી દુભાઈ ગઈ છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.