સાળંગપુર મંદિર વિવાદ વધુ વકર્યો, ભક્તની લાગણી દુભાતા વિવાદિત ચિત્ર પર ફેરવ્યો કાળો રંગ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-02 18:28:31

સાળંગપુર વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. મોટી મૂર્તિઓ નીચે રાખવામાં આવેલી મૂર્તિઓને લઈ વિવાદ છેડાયો હતો. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વમીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવવામાં આવ્યા છે. આ પ્રતિમાઓને કારણે અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. અનેક કથાકારો, સંતોએ, લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

 


લાગણી દુભાતા વિવાદિત ભીંતચિત્રો પર ભક્તે કાળો કલર લગાવી દીધો!

ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે. જે ભીંત ચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો તે વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કોઈ ભક્તે મારી દીધો છે. ભક્તની લાગણી દુભાતા આ કદમ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મંદિરના પ્રાઈવેટ બાઉન્સર તેમજ પોલીસ ભીતચિત્રોની આજુબાજુ ઉભા રહેશે. ભીતચિત્રોની આજુબાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ કામ કર્યું છે તેમનું નામ હર્ષદ ગઢવી છે. 


શું છે સમગ્ર વિવાદ? 

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. ભક્તોની લાગણી દુભાઈ ગઈ છે. 



ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...