સલમાન ખાનના ફેન્સ અને બિગ બોસ 16ના દર્શકો માટે ખરાબ સમાચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:27:07

સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં અટક્યું અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ

કરણ જોહરને સલમાન ખાને બિગ બોસ 16 હોસ્ટ કરવા ફોન કરતાં તરત જ પાડી દીધી 'હા'

બિગ બોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યો હોવાથી કરણ જોહર પાસે છે રિયાલિટી શોનો અનુભવ

Salman Khan down with dengue, Bollywood star to return as Bigg Boss 16 host  from THIS date: Reports | Celebrities News – India TV

સલમાન ખાનના ફેન્સ અને બિગ બોસ 16ના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. વિવાદાસ્પદ રિયાલિટી શોના આગામી કેટલાક અઠવાડિયાના એપિસોડમાં 'ભાઈજાન' નહીં પરંતુ કરણ જોહર જોવા મળશે. વાત એમ છે કે, એક્ટરને ડેન્ગ્યુ થઈ ગયો છે અને તેથી જ બિગ બોસ 16ના કેટલાક એપિસોડ હોસ્ટ નહીં કરી શકે. શોમાં દર શુક્રવારે જ્યારે સલમાન ખાન આવે છે ત્યારે દરેક કન્ટેસ્ટન્ટની ક્લાસ લે છે પરંતુ આગામી થોડા દિવસ તેમ નહીં જોવા મળે. સલમાનને ડેન્ગ્યુ થયો હોવાથી ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. મેકર્સ જ્યારે શોની ઓફર લઈને કરણ જોહર પાસે ગયા ત્યારે તેણે એક પણ મિનિટ વિચાર્યા વગર 'હા' પાડી દીધી હતી. કારણ કે, તેની પાસે આ શો વિશેનો અનુભવ છે અને અગાઉ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યો છે.

Down with dengue, Salman Khan takes break from 'Bigg Boss'; know who will  host the reality show now | Hindi Movie News - Bollywood - Times of India

સલમાન ખાનને થયો ડેન્ગ્યુ

રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને પોતે જ કરણ જોહરને ફોન કર્યો હતો અને બિગ બોસ 16 હોસ્ટ કરવા માટે કહ્યું હતું. તો ફિલ્મમેકર પણ ના પાડી શક્યો નહોતો. કરણ હકીકતમાં સલમાનનો આદર કરે છે. જ્યારે તેની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં સાઈડ રોલ માટે કેટલાક એક્ટર્સે કામ કરવાની ના પાડી હતી ત્યારે તે સલમાન જ હતો, જે તે રોલ કરવા માટે તૈયાર થયો હતો. સલમાનની જેમ કરણ જોહરને પણ શો હોસ્ટ કરવા મોટી રકમ આપવામાં આવી છે.


'કિસી કા ભાઈ કિસી કી જાન'નું અટક્યું શૂટિંગ

Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser out: Salman Khan's new look will make his  fans go gaga

બિગ બોસ 16 સિવાય સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ પણ કરી રહ્યો હતો. તે હવે બીમાર છે ત્યારે આગામી કેટલાક દિવસો તેનું શૂટિંગ બંધ રહેશે. આ ફિલ્મનું નામ પહેલા કભી ઈદ કભી દિવાલી હતું. જો કે, ત્યારબાદ તેને બદલી નાખવામાં આવ્યું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં પૂજા હેગડે જોવા મળશે. આ સિવાય શહેનાઝ ગિલ, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ મહત્વના રોલમાં છે. આયુષ શર્મા પણ શરૂઆતમાં ફિલ્મનો ભાગ હતો પરંતુ કેટલાક ઈશ્યૂના કારણે તે બહાર થયો હતો. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં ઈદ પર રિલીઝ થશે


સલમાન ખાનની અપકમિંગ ફિલ્મો

સલમાન ખાન પાસે કબીર સિંહની ફિલ્મ 'ટાઈગર 3' પણ છે, જેમાં કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, એક્ટરે થોડા દિવસ પહેલા જ તે આવતા વર્ષે એટલે કે 2023માં દિવાળી પર રિલીઝ થવાની જાહેરાત કરી હતી. આ સિવાય એક્ટર રોહિત શેટ્ટીની રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'સર્કસ'માં કેમિયો કરતો દેખાશે, જે આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.