દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌંભાંડમાં EDએ દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 11:47:48

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરતા દેશના સૌથી પ્રખ્યાત દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. આ પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ અને થોડા વર્ષો સુધી AAPના સંચાર પ્રભારી રહી ચુકેલા વિજય નાયરની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 


EDના રડાર પર હતા સમીર મહેન્દ્રુ


EDએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં સમીર મહેન્દ્રુની ધરપકડ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ સમીર મહેન્દ્રુની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી હતી. નવી આબકારી નીતિ અંગે તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંપૂર્ણ ખાતરી થયા બાદ EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. પ્રખ્યાત દારૂના વેપારીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમીર મહેન્દ્રુને બુધવારે જ કોર્ટમાં રજૂ કરી શકે છે.


દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌંભાંડ શું છે?


દિલ્હી સરકારની જૂની દારૂની નીતિની તુલનામાં આબકારી મંત્રી મનીષ સિસોદિયા વર્ષ 2021-22માં નવી નીતિ લાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તપાસ એજન્સીનો દાવો છે કે, નવી નીતિએ દારૂ વેચનારાઓના છૂટક માર્જિનમાં 989%નો વધારો કર્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં સીબીઆઈ પણ કાર્યવાહી કરી રહી છે. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસમાં સક્રિય થયું અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.