સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાક ફાઈનલ, અંગત મિત્રે કર્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:32:48

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું લગ્ન જીવન તુટવાના આરે છે તેવી અફવાઓ સતત થઈ રહી છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે સતત દાવા થઈ રહ્યા છે. હવે બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો છે કે આ યુગલ થોડા દિવસમાં જ તલાક લેવાનું છે. બંને વચ્ચે બધુ જ ફાઈનલ થઈ ગયું છે, હાલ શોએબ પાકિસ્તાનમાં જ છે, જ્યારે સાનિયા મિર્ઝા દુબઈમાં છે. 

મીડિયા રિપોર્ટમાં શોએબ મલિકના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સભ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે તલાક થઈ ગયો છે, અને બંને હવે અલગ થઈ ગયા છે.

શા માટે બંને અલગ થયા?


પાકિસ્તાની મિડીયા રિપોર્ટ પ્રમાણે શોએબ મલિક અન્ય યુવતી સાથે ડેટ કરી રહ્યો છે. આ કારણે શોએબ અને સાનિયાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે 12 એપ્રિલ 2010ના દિવસે આ સેલિબ્રિટી યુગલ ભવ્ય સમારોહમાં લગ્ન ગ્રંથીથી જોડાયું હતું.  





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.