સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાક ફાઈનલ, અંગત મિત્રે કર્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-10 17:32:48

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું લગ્ન જીવન તુટવાના આરે છે તેવી અફવાઓ સતત થઈ રહી છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે સતત દાવા થઈ રહ્યા છે. હવે બંનેના કોમન મિત્રએ પણ દાવો કર્યો છે કે આ યુગલ થોડા દિવસમાં જ તલાક લેવાનું છે. બંને વચ્ચે બધુ જ ફાઈનલ થઈ ગયું છે, હાલ શોએબ પાકિસ્તાનમાં જ છે, જ્યારે સાનિયા મિર્ઝા દુબઈમાં છે. 

મીડિયા રિપોર્ટમાં શોએબ મલિકના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સભ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે તલાક થઈ ગયો છે, અને બંને હવે અલગ થઈ ગયા છે.

શા માટે બંને અલગ થયા?


પાકિસ્તાની મિડીયા રિપોર્ટ પ્રમાણે શોએબ મલિક અન્ય યુવતી સાથે ડેટ કરી રહ્યો છે. આ કારણે શોએબ અને સાનિયાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે 12 એપ્રિલ 2010ના દિવસે આ સેલિબ્રિટી યુગલ ભવ્ય સમારોહમાં લગ્ન ગ્રંથીથી જોડાયું હતું.  





રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.