સરકાર શાળાઓમાં વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ્સ આપે: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:32

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા તમામ સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને એક ખાસ સુચના આપી છે. આ સુચના હેઠળ તમામ વિદ્યાર્થિનીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ દેશની તે તમામ સ્કૂલો માટે છે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


સુપ્રીમ કોર્ટમાં જયા ઠાકુરે એક જાહેર હિતની અરજી કરી હતી, જેની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમુર્તિ ડીવાય ચંદ્રચૂડ. જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ જેબી પારડીવાલાની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપતા વિદ્યાર્થિનીઓ માટે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અંગે SOP અને નેશનલ મોડેલ તૈયાર કરવાનું કહ્યું છે.


સરકાર પાસે માંગ્યો સ્ટેટ્સ રિપોર્ટ


સુપ્રીમ કોર્ટે પિરીયડ્સ દરમિયાન સ્વચ્છતાને એક મોટો મુદ્દો ગણાવતા કેન્દ્ર સરકારને આ મુદ્દે રાષ્ટ્રીય નીતિ બનાવવાનું કહ્યું છે. તે માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેતી ડેટા મેળવવાનું કહ્યું છે. બેંચએ સરકાર પાસે જુલાઈ અંત સુધીનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.