સરકાર શાળાઓમાં વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ્સ આપે: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:32

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા તમામ સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને એક ખાસ સુચના આપી છે. આ સુચના હેઠળ તમામ વિદ્યાર્થિનીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ દેશની તે તમામ સ્કૂલો માટે છે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


સુપ્રીમ કોર્ટમાં જયા ઠાકુરે એક જાહેર હિતની અરજી કરી હતી, જેની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમુર્તિ ડીવાય ચંદ્રચૂડ. જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ જેબી પારડીવાલાની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપતા વિદ્યાર્થિનીઓ માટે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અંગે SOP અને નેશનલ મોડેલ તૈયાર કરવાનું કહ્યું છે.


સરકાર પાસે માંગ્યો સ્ટેટ્સ રિપોર્ટ


સુપ્રીમ કોર્ટે પિરીયડ્સ દરમિયાન સ્વચ્છતાને એક મોટો મુદ્દો ગણાવતા કેન્દ્ર સરકારને આ મુદ્દે રાષ્ટ્રીય નીતિ બનાવવાનું કહ્યું છે. તે માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેતી ડેટા મેળવવાનું કહ્યું છે. બેંચએ સરકાર પાસે જુલાઈ અંત સુધીનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.