સરકાર શાળાઓમાં વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ્સ આપે: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:32

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા તમામ સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને એક ખાસ સુચના આપી છે. આ સુચના હેઠળ તમામ વિદ્યાર્થિનીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ દેશની તે તમામ સ્કૂલો માટે છે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


સુપ્રીમ કોર્ટમાં જયા ઠાકુરે એક જાહેર હિતની અરજી કરી હતી, જેની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમુર્તિ ડીવાય ચંદ્રચૂડ. જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ જેબી પારડીવાલાની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપતા વિદ્યાર્થિનીઓ માટે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અંગે SOP અને નેશનલ મોડેલ તૈયાર કરવાનું કહ્યું છે.


સરકાર પાસે માંગ્યો સ્ટેટ્સ રિપોર્ટ


સુપ્રીમ કોર્ટે પિરીયડ્સ દરમિયાન સ્વચ્છતાને એક મોટો મુદ્દો ગણાવતા કેન્દ્ર સરકારને આ મુદ્દે રાષ્ટ્રીય નીતિ બનાવવાનું કહ્યું છે. તે માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેતી ડેટા મેળવવાનું કહ્યું છે. બેંચએ સરકાર પાસે જુલાઈ અંત સુધીનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.