સરકાર શાળાઓમાં વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ્સ આપે: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:32

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા તમામ સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને એક ખાસ સુચના આપી છે. આ સુચના હેઠળ તમામ વિદ્યાર્થિનીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ દેશની તે તમામ સ્કૂલો માટે છે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


સુપ્રીમ કોર્ટમાં જયા ઠાકુરે એક જાહેર હિતની અરજી કરી હતી, જેની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમુર્તિ ડીવાય ચંદ્રચૂડ. જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ જેબી પારડીવાલાની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપતા વિદ્યાર્થિનીઓ માટે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અંગે SOP અને નેશનલ મોડેલ તૈયાર કરવાનું કહ્યું છે.


સરકાર પાસે માંગ્યો સ્ટેટ્સ રિપોર્ટ


સુપ્રીમ કોર્ટે પિરીયડ્સ દરમિયાન સ્વચ્છતાને એક મોટો મુદ્દો ગણાવતા કેન્દ્ર સરકારને આ મુદ્દે રાષ્ટ્રીય નીતિ બનાવવાનું કહ્યું છે. તે માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેતી ડેટા મેળવવાનું કહ્યું છે. બેંચએ સરકાર પાસે જુલાઈ અંત સુધીનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.