કર્ણાટકમાં હાર બાદ સંજય રાઉતનો ભાજપને ટોણો, 'મોદી લહેર ખતમ થઈ છે, સરમુખત્યારશાહીને પણ હરાવી શકાય છે'


  • Published By :
  • Published Date : 2023-05-14 14:10:27

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કર્ણાટક  ચૂંટણીમાં ભાજપના પરાજયને લઈ આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટોણો મારતા કહ્યું કે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેમની લહેર આવવાની છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર સંજય રાઉતે કહ્યું કે બજરંગ બલીએ ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની તૈયારીઓને લઈને રવિવારે શરદ પવારના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે.


'મોદી લહેર સમાપ્ત'


સંજય રાઉતે કહ્યું કે 'મોદી લહેર ખતમ થઈ ગઈ છે અને હવે દેશમાં અમારી લહેર આવવાની છે. 2024ની લોકસભા ચૂંટણી માટે અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


સરમુખત્યારશાહીને હરાવી શકાય છે

 

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર રાઉતે કહ્યું કે કર્ણાટકની જનતાએ બતાવી દીધું છે કે સરમુખત્યારશાહીને હરાવી શકાય છે. જો કોંગ્રેસ જીતી છે તો તેનો અર્થ એ છે કે બજરંગ બલી કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે નથી. આપણા ગૃહમંત્રી કહેતા હતા કે જો ભાજપ હારી જશે તો રમખાણો થશે. કર્ણાટકમાં સર્વત્ર શાંતિ અને ખુશીનો માહોલ છે. રમખાણો ક્યાં થઈ રહ્યા છે?



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.