જૂનાગઢઃ પરિક્રમા બેઠકમાં હરિગીરી મહારાજ થયા હાવી, કોઈને બોલવા ના દીધા


  • Published By :
  • Published Date : 2022-11-01 15:52:58

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્યએ લીલી પરિક્રમામાં સુવિધાઓ વિશે પોતાની વાત રજૂ કરી ત્યારે સાધુ સંતોએ તેમનો ઉધડો લીધો હતો અને અન્ય આગેવાનોને અથવા અન્ન ક્ષેત્રોને બોલતા રોકી દીધા.....

આગામી 4 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે લીલીપરિક્રમા ચાલુ થાય છે ત્યારે તમામ લોકોને અગવડ ના પડે માટે કલેક્ટર, સાધુ-સંતો અને નેતાઓ વચ્ચે બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં લોકો માટે લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાઓ મામલે ચર્ચા કરવામાં આવે છે. આ વર્ષે પણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સાધુ સમાજ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે તુતુ-મેમે થઈ હતી. સ્થાનિક આગેવાન અન્ન ક્ષેત્ર અને બટુક મકવાણાએ પણ બોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાધુ મહારાજે  કોઈને બોલવાનો મોકો નહોતો આપ્યો. 


ધારાસભ્ય ભીખા જોશી અને હરિગીરી બાપુ વચ્ચે ઉગ્ર બોલાચાલી 

લીલી પરિક્રમાની બેઠક દરમિયાન જ્યારે સ્થાનિક ધારાસભ્ય સુવિધાઓ ના સંદર્ભમાં પોતાની વાત કરી રહ્યા હતા કે કેટલી સુવિધાઓ હોવી જોઈએ અને આ પરિક્રમામાં શું નવી સુવિધાઓ રહેશે જેથી લોકોને તકલીફ ના પડે ત્યારે હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીનો ઉધડો લીધો હતો. 


હરિગીરી મહારાજે ધારાસભ્યને શું કહ્યું?

હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીને વચ્ચે રોકતા જણાવ્યું હતું કે તમને બધી જગ્યામાં ખોટું જ દેખાય છે. સારી કામગીરી તમને દેખાતી જ નથી. કલેક્ટર અને સાધુ સમાજના લોકો સારી રીતે સંચાલન કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ભીખા જોશીને કંઈ સારું નથી દેખાતું. બાદમાં હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે ભીખાભાઈ જોશી મારા સારા મિત્ર છે. બે ઘડી માટે હોય છે બધું પછી કંઈ હોતું નથી. 


કલેક્ટર રચિત રાજે કહ્યું, "આ ચાર વ્યવસ્થા તમને પસંદ આવશે"

જૂનાગઢના કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે હર વર્ષની જેમ આ વર્ષો પણ સંવાદ માટે બેઠક યોજાવમાં આવી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 કમિટીની રચના કરવામાં આવી છે, 10 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા છે માટે આ વખતે ખાસ ચાર સેવા આપવામાં આવશે. ગીરનારની લીલી પરિક્રમામાં પહેલીવાર ગાદી ફેસિલિટી, લાકડી આપવામાં આવશે, તમામ જગ્યાઓ પર પાણીની સુવિધા આપવામાં આવશે સાથે દવાઓની પણ સુવિધા આપવામાં આવશે. પરિક્રમા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"