જૂનાગઢઃ પરિક્રમા બેઠકમાં હરિગીરી મહારાજ થયા હાવી, કોઈને બોલવા ના દીધા


  • Published By :
  • Published Date : 2022-11-01 15:52:58

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્યએ લીલી પરિક્રમામાં સુવિધાઓ વિશે પોતાની વાત રજૂ કરી ત્યારે સાધુ સંતોએ તેમનો ઉધડો લીધો હતો અને અન્ય આગેવાનોને અથવા અન્ન ક્ષેત્રોને બોલતા રોકી દીધા.....

આગામી 4 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે લીલીપરિક્રમા ચાલુ થાય છે ત્યારે તમામ લોકોને અગવડ ના પડે માટે કલેક્ટર, સાધુ-સંતો અને નેતાઓ વચ્ચે બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં લોકો માટે લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાઓ મામલે ચર્ચા કરવામાં આવે છે. આ વર્ષે પણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સાધુ સમાજ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે તુતુ-મેમે થઈ હતી. સ્થાનિક આગેવાન અન્ન ક્ષેત્ર અને બટુક મકવાણાએ પણ બોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાધુ મહારાજે  કોઈને બોલવાનો મોકો નહોતો આપ્યો. 


ધારાસભ્ય ભીખા જોશી અને હરિગીરી બાપુ વચ્ચે ઉગ્ર બોલાચાલી 

લીલી પરિક્રમાની બેઠક દરમિયાન જ્યારે સ્થાનિક ધારાસભ્ય સુવિધાઓ ના સંદર્ભમાં પોતાની વાત કરી રહ્યા હતા કે કેટલી સુવિધાઓ હોવી જોઈએ અને આ પરિક્રમામાં શું નવી સુવિધાઓ રહેશે જેથી લોકોને તકલીફ ના પડે ત્યારે હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીનો ઉધડો લીધો હતો. 


હરિગીરી મહારાજે ધારાસભ્યને શું કહ્યું?

હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીને વચ્ચે રોકતા જણાવ્યું હતું કે તમને બધી જગ્યામાં ખોટું જ દેખાય છે. સારી કામગીરી તમને દેખાતી જ નથી. કલેક્ટર અને સાધુ સમાજના લોકો સારી રીતે સંચાલન કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ભીખા જોશીને કંઈ સારું નથી દેખાતું. બાદમાં હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે ભીખાભાઈ જોશી મારા સારા મિત્ર છે. બે ઘડી માટે હોય છે બધું પછી કંઈ હોતું નથી. 


કલેક્ટર રચિત રાજે કહ્યું, "આ ચાર વ્યવસ્થા તમને પસંદ આવશે"

જૂનાગઢના કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે હર વર્ષની જેમ આ વર્ષો પણ સંવાદ માટે બેઠક યોજાવમાં આવી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 કમિટીની રચના કરવામાં આવી છે, 10 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા છે માટે આ વખતે ખાસ ચાર સેવા આપવામાં આવશે. ગીરનારની લીલી પરિક્રમામાં પહેલીવાર ગાદી ફેસિલિટી, લાકડી આપવામાં આવશે, તમામ જગ્યાઓ પર પાણીની સુવિધા આપવામાં આવશે સાથે દવાઓની પણ સુવિધા આપવામાં આવશે. પરિક્રમા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.