જૂનાગઢઃ પરિક્રમા બેઠકમાં હરિગીરી મહારાજ થયા હાવી, કોઈને બોલવા ના દીધા


  • Published By :
  • Published Date : 2022-11-01 15:52:58

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્યએ લીલી પરિક્રમામાં સુવિધાઓ વિશે પોતાની વાત રજૂ કરી ત્યારે સાધુ સંતોએ તેમનો ઉધડો લીધો હતો અને અન્ય આગેવાનોને અથવા અન્ન ક્ષેત્રોને બોલતા રોકી દીધા.....

આગામી 4 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે લીલીપરિક્રમા ચાલુ થાય છે ત્યારે તમામ લોકોને અગવડ ના પડે માટે કલેક્ટર, સાધુ-સંતો અને નેતાઓ વચ્ચે બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં લોકો માટે લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાઓ મામલે ચર્ચા કરવામાં આવે છે. આ વર્ષે પણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સાધુ સમાજ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે તુતુ-મેમે થઈ હતી. સ્થાનિક આગેવાન અન્ન ક્ષેત્ર અને બટુક મકવાણાએ પણ બોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાધુ મહારાજે  કોઈને બોલવાનો મોકો નહોતો આપ્યો. 


ધારાસભ્ય ભીખા જોશી અને હરિગીરી બાપુ વચ્ચે ઉગ્ર બોલાચાલી 

લીલી પરિક્રમાની બેઠક દરમિયાન જ્યારે સ્થાનિક ધારાસભ્ય સુવિધાઓ ના સંદર્ભમાં પોતાની વાત કરી રહ્યા હતા કે કેટલી સુવિધાઓ હોવી જોઈએ અને આ પરિક્રમામાં શું નવી સુવિધાઓ રહેશે જેથી લોકોને તકલીફ ના પડે ત્યારે હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીનો ઉધડો લીધો હતો. 


હરિગીરી મહારાજે ધારાસભ્યને શું કહ્યું?

હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીને વચ્ચે રોકતા જણાવ્યું હતું કે તમને બધી જગ્યામાં ખોટું જ દેખાય છે. સારી કામગીરી તમને દેખાતી જ નથી. કલેક્ટર અને સાધુ સમાજના લોકો સારી રીતે સંચાલન કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ભીખા જોશીને કંઈ સારું નથી દેખાતું. બાદમાં હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે ભીખાભાઈ જોશી મારા સારા મિત્ર છે. બે ઘડી માટે હોય છે બધું પછી કંઈ હોતું નથી. 


કલેક્ટર રચિત રાજે કહ્યું, "આ ચાર વ્યવસ્થા તમને પસંદ આવશે"

જૂનાગઢના કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે હર વર્ષની જેમ આ વર્ષો પણ સંવાદ માટે બેઠક યોજાવમાં આવી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 કમિટીની રચના કરવામાં આવી છે, 10 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા છે માટે આ વખતે ખાસ ચાર સેવા આપવામાં આવશે. ગીરનારની લીલી પરિક્રમામાં પહેલીવાર ગાદી ફેસિલિટી, લાકડી આપવામાં આવશે, તમામ જગ્યાઓ પર પાણીની સુવિધા આપવામાં આવશે સાથે દવાઓની પણ સુવિધા આપવામાં આવશે. પરિક્રમા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.