જૂનાગઢઃ પરિક્રમા બેઠકમાં હરિગીરી મહારાજ થયા હાવી, કોઈને બોલવા ના દીધા


  • Published By :
  • Published Date : 2022-11-01 15:52:58

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્યએ લીલી પરિક્રમામાં સુવિધાઓ વિશે પોતાની વાત રજૂ કરી ત્યારે સાધુ સંતોએ તેમનો ઉધડો લીધો હતો અને અન્ય આગેવાનોને અથવા અન્ન ક્ષેત્રોને બોલતા રોકી દીધા.....

આગામી 4 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે લીલીપરિક્રમા ચાલુ થાય છે ત્યારે તમામ લોકોને અગવડ ના પડે માટે કલેક્ટર, સાધુ-સંતો અને નેતાઓ વચ્ચે બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં લોકો માટે લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાઓ મામલે ચર્ચા કરવામાં આવે છે. આ વર્ષે પણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સાધુ સમાજ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે તુતુ-મેમે થઈ હતી. સ્થાનિક આગેવાન અન્ન ક્ષેત્ર અને બટુક મકવાણાએ પણ બોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાધુ મહારાજે  કોઈને બોલવાનો મોકો નહોતો આપ્યો. 


ધારાસભ્ય ભીખા જોશી અને હરિગીરી બાપુ વચ્ચે ઉગ્ર બોલાચાલી 

લીલી પરિક્રમાની બેઠક દરમિયાન જ્યારે સ્થાનિક ધારાસભ્ય સુવિધાઓ ના સંદર્ભમાં પોતાની વાત કરી રહ્યા હતા કે કેટલી સુવિધાઓ હોવી જોઈએ અને આ પરિક્રમામાં શું નવી સુવિધાઓ રહેશે જેથી લોકોને તકલીફ ના પડે ત્યારે હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીનો ઉધડો લીધો હતો. 


હરિગીરી મહારાજે ધારાસભ્યને શું કહ્યું?

હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીને વચ્ચે રોકતા જણાવ્યું હતું કે તમને બધી જગ્યામાં ખોટું જ દેખાય છે. સારી કામગીરી તમને દેખાતી જ નથી. કલેક્ટર અને સાધુ સમાજના લોકો સારી રીતે સંચાલન કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ભીખા જોશીને કંઈ સારું નથી દેખાતું. બાદમાં હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે ભીખાભાઈ જોશી મારા સારા મિત્ર છે. બે ઘડી માટે હોય છે બધું પછી કંઈ હોતું નથી. 


કલેક્ટર રચિત રાજે કહ્યું, "આ ચાર વ્યવસ્થા તમને પસંદ આવશે"

જૂનાગઢના કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે હર વર્ષની જેમ આ વર્ષો પણ સંવાદ માટે બેઠક યોજાવમાં આવી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 કમિટીની રચના કરવામાં આવી છે, 10 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા છે માટે આ વખતે ખાસ ચાર સેવા આપવામાં આવશે. ગીરનારની લીલી પરિક્રમામાં પહેલીવાર ગાદી ફેસિલિટી, લાકડી આપવામાં આવશે, તમામ જગ્યાઓ પર પાણીની સુવિધા આપવામાં આવશે સાથે દવાઓની પણ સુવિધા આપવામાં આવશે. પરિક્રમા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.