સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી, ડેમની જળ સપાટી 122.84 મીટરે પહોંચી, વીજ ઉત્પાદન શરૂ


  • Published By :
  • Published Date : 2023-07-07 16:41:10

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 38 સે.મીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમે 122.84 મીટરની સપાટી વટાવી છે. નર્મદા ડેમમાં પાણી આવક 23495 ક્યુસેક છે, જ્યારે ડેમમાંથી પાણીની જાવક 5,178 ક્યુસેક છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે.


 વીજ ઉત્પાદન માટે ચાલુ કરાયું


મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના પગલે ઇન્દિરા સાગર અને તવા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 23,303 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના વીજ ઉત્પાદનના CHPHના 1 પાવર હાઉસના યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.


નર્મદા ડેમ જોવા ઉમટ્યા પ્રવાસીઓ


આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં 1732 મ્યુલયન ક્યુબીક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. જોકે આજે ડેમ 122.84 મીટરે પહોંચ્યો છે, જ્યારે નર્મદા ડેમ પર દરવાજા ન લાગ્યા હોત તો આજે નર્મદા ડેમ ઓવરફ્લો જોવા મળ્યો હોત. કારણ કે, ડેમના દરવાજા સુધી ડેમની હાઈટ 122.84 મીટર છે અને હાલ ડેમના દરવાજા સાથે 1 મીટર પાણી ભરાયેલ છે, ત્યારે હાલ આવનારા પ્રવાસીઓ પણ આ નઝારો જોઈ ખુશ થઈ રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.