સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી, ડેમની જળ સપાટી 122.84 મીટરે પહોંચી, વીજ ઉત્પાદન શરૂ


  • Published By :
  • Published Date : 2023-07-07 16:41:10

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 38 સે.મીનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમે 122.84 મીટરની સપાટી વટાવી છે. નર્મદા ડેમમાં પાણી આવક 23495 ક્યુસેક છે, જ્યારે ડેમમાંથી પાણીની જાવક 5,178 ક્યુસેક છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે.


 વીજ ઉત્પાદન માટે ચાલુ કરાયું


મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના પગલે ઇન્દિરા સાગર અને તવા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, ત્યારે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 23,303 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે પહોંચી છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના વીજ ઉત્પાદનના CHPHના 1 પાવર હાઉસના યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.


નર્મદા ડેમ જોવા ઉમટ્યા પ્રવાસીઓ


આજે પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં 1732 મ્યુલયન ક્યુબીક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. જોકે આજે ડેમ 122.84 મીટરે પહોંચ્યો છે, જ્યારે નર્મદા ડેમ પર દરવાજા ન લાગ્યા હોત તો આજે નર્મદા ડેમ ઓવરફ્લો જોવા મળ્યો હોત. કારણ કે, ડેમના દરવાજા સુધી ડેમની હાઈટ 122.84 મીટર છે અને હાલ ડેમના દરવાજા સાથે 1 મીટર પાણી ભરાયેલ છે, ત્યારે હાલ આવનારા પ્રવાસીઓ પણ આ નઝારો જોઈ ખુશ થઈ રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.