માંગરોળ વિસ્તારમાં નર્મદા મૈયાને અર્પણ કરાઈ સાડી, નર્મદા જયંતીની કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-28 18:08:29

દેવી નર્મદા અથવા તો નર્મદા નદીની આજે જયંતી છે. નર્મદા જયંતીના દિવસે નર્મદા નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારે નર્મદા નદીના કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી નર્મદામૈયાને અર્પણ કરવામાં આવી છે. 


સપ્તમીના દિવસે ઉજવાય છે નર્મદા જયંતી  

હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનાની શુક્લપક્ષની સપ્તમીના દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. રામાયણથી લઈને મહાભારતમાં નર્મદા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. અમરકંટકમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે. નર્મદા નદીને પોષક અને તારણહાર નદી માનવામાં આવે છે. 


1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ

ભારતમાં અનેક નદીઓ આવી છે. ગંગા, તાપી સહિત અનેક નદીઓ છે પરંતુ નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ભારતની એકમાત્ર નદી છે જેની ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ ખાતે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નમામિ દેવી નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.