માંગરોળ વિસ્તારમાં નર્મદા મૈયાને અર્પણ કરાઈ સાડી, નર્મદા જયંતીની કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-28 18:08:29

દેવી નર્મદા અથવા તો નર્મદા નદીની આજે જયંતી છે. નર્મદા જયંતીના દિવસે નર્મદા નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારે નર્મદા નદીના કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી નર્મદામૈયાને અર્પણ કરવામાં આવી છે. 


સપ્તમીના દિવસે ઉજવાય છે નર્મદા જયંતી  

હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનાની શુક્લપક્ષની સપ્તમીના દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. રામાયણથી લઈને મહાભારતમાં નર્મદા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. અમરકંટકમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે. નર્મદા નદીને પોષક અને તારણહાર નદી માનવામાં આવે છે. 


1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ

ભારતમાં અનેક નદીઓ આવી છે. ગંગા, તાપી સહિત અનેક નદીઓ છે પરંતુ નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ભારતની એકમાત્ર નદી છે જેની ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ ખાતે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નમામિ દેવી નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.