માંગરોળ વિસ્તારમાં નર્મદા મૈયાને અર્પણ કરાઈ સાડી, નર્મદા જયંતીની કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-28 18:08:29

દેવી નર્મદા અથવા તો નર્મદા નદીની આજે જયંતી છે. નર્મદા જયંતીના દિવસે નર્મદા નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારે નર્મદા નદીના કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી નર્મદામૈયાને અર્પણ કરવામાં આવી છે. 


સપ્તમીના દિવસે ઉજવાય છે નર્મદા જયંતી  

હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનાની શુક્લપક્ષની સપ્તમીના દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. રામાયણથી લઈને મહાભારતમાં નર્મદા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. અમરકંટકમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે. નર્મદા નદીને પોષક અને તારણહાર નદી માનવામાં આવે છે. 


1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ

ભારતમાં અનેક નદીઓ આવી છે. ગંગા, તાપી સહિત અનેક નદીઓ છે પરંતુ નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ભારતની એકમાત્ર નદી છે જેની ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ ખાતે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નમામિ દેવી નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.