માંગરોળ વિસ્તારમાં નર્મદા મૈયાને અર્પણ કરાઈ સાડી, નર્મદા જયંતીની કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-28 18:08:29

દેવી નર્મદા અથવા તો નર્મદા નદીની આજે જયંતી છે. નર્મદા જયંતીના દિવસે નર્મદા નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારે નર્મદા નદીના કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી નર્મદામૈયાને અર્પણ કરવામાં આવી છે. 


સપ્તમીના દિવસે ઉજવાય છે નર્મદા જયંતી  

હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનાની શુક્લપક્ષની સપ્તમીના દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. રામાયણથી લઈને મહાભારતમાં નર્મદા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. અમરકંટકમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે. નર્મદા નદીને પોષક અને તારણહાર નદી માનવામાં આવે છે. 


1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ

ભારતમાં અનેક નદીઓ આવી છે. ગંગા, તાપી સહિત અનેક નદીઓ છે પરંતુ નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ભારતની એકમાત્ર નદી છે જેની ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ ખાતે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નમામિ દેવી નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.