સુરતની સારોલી પોલીસે કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 17:46:59


સુરત જિલ્લાના સારોલી પોલીસે એક રાજસ્થાની યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ વ્યક્તિ પાસેથી સારોલી વિસ્તારમાં 1.71 કિલોનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 1 કરોડ 65 લાખ રૂપિયા થાય છે. 


મુંબઈથી પહોંચ્યું હતું ડ્રગ્સ 

હજુ તો સારોલી પોલીસ સ્ટેશન શરૂ થયું છે તે પહેલા જ કેસમાં પોલીસે આટલી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનનો અફઝલ સૈયદ નામનો એક વ્યક્તિ મુંબઈથી મેફેડ્રોન નામનું માદક દ્રવ્ય એટલે કે ડ્રગ્સ લઈને સુરત પહોંચ્યો હતો. સારોલી પોલીસને સમગ્ર બાબતની જાણ થતાં આરોપીને દબોચી લીધો હતો અને કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. 


અગાઉ સુરત પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાંથી કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાને 78.2 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.