BMW હિટ એન્ડ રનનો ફરાર આરોપી અંતે ઝડપાયો, સત્યમ શર્માની ક્રાઇમ બ્રાન્ચે ડુંગરપુરથી કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-03-05 20:04:42

અમદાવાદ SG હાઇવે પર BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્મા આખરે પકડાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ડુંગરપૂરથી સત્યમ શર્માની અટકાયત કરી છે. સત્યમ શર્માએ બેફામ ડ્રાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 2 લોકો અમીતભાઈ અને મેઘનાબેનને ગંભીર રીતે ઘાયલ થયા હતા.


ઘટના શું હતી?


અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ અન્ડ રનની ઘટના બની હતી. સત્યમ શર્માએ SG હાઇવે પર દંપતીને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. BMW કારચાલક સત્યમ શર્માએ SG હાઇવે પર જતા 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં એક દંપતી  BMWની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયું હતું. 


પોલીસ તપાસમાં થયો ખુલાસો 


અકસ્માત બાદ સત્યમ ઘટના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર BMW કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી તદઉપરાંત દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં BMW કાર તેના પિતા શ્રીક્રિષ્ના શર્માના નામે રજીસ્ટર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ધનાઢ્ય પરિવારનો નબીરો સત્યમ શર્મા અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાર ગુના નોંધાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.