સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, જેલમાં બોડી મસાજ કરાવતા સમયના CCTV ફૂટેજ થઈ રહ્યા છે વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-19 10:53:00

છેલ્લા અનેક દિવસોથી દિલ્હી સરકારના મંત્રી તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલમાં સજા ભોગવી રહ્યા છે, પરંતુ જેલમાં રહેલા સત્યેન્દ્ર જેનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે સત્યેન્દ્ર જૈનને જેલમાં વીવીઆપી સુવિધા મળી રહી છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં જોઈ શકાય છે કે તેઓ આરામથી બોડી મસાજ કરાવી રહ્યા છે.  

ત્રણ અલગ અલગ દિવસોના છે વીડિયો

જેલમાં બંધ આપના નેતાના ત્રણ વીડિયો સામે આવ્યા છે. આ બધા વીડિયોમાં તેઓ મસાજ કરવાતા દેખાય છે. વીડિયો સામે આવ્યો તે પહેલા પણ ઈડીએ એવો દાવો કર્યો હતો કે જેલમાં સત્યેન્દ્ર જૈનને વીવીઆપી ટ્રિટમેન્ટ મળે છે. આ ત્રણ ફુટેજની વાત કરીએ તો પહેલો વીડિયો 13 સપ્ટેમ્બરનો છે, બીજા બે વીડિયો 14 સપ્ટેમ્બરના છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.