સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, જેલમાં બોડી મસાજ કરાવતા સમયના CCTV ફૂટેજ થઈ રહ્યા છે વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-19 10:53:00

છેલ્લા અનેક દિવસોથી દિલ્હી સરકારના મંત્રી તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલમાં સજા ભોગવી રહ્યા છે, પરંતુ જેલમાં રહેલા સત્યેન્દ્ર જેનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે સત્યેન્દ્ર જૈનને જેલમાં વીવીઆપી સુવિધા મળી રહી છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં જોઈ શકાય છે કે તેઓ આરામથી બોડી મસાજ કરાવી રહ્યા છે.  

ત્રણ અલગ અલગ દિવસોના છે વીડિયો

જેલમાં બંધ આપના નેતાના ત્રણ વીડિયો સામે આવ્યા છે. આ બધા વીડિયોમાં તેઓ મસાજ કરવાતા દેખાય છે. વીડિયો સામે આવ્યો તે પહેલા પણ ઈડીએ એવો દાવો કર્યો હતો કે જેલમાં સત્યેન્દ્ર જૈનને વીવીઆપી ટ્રિટમેન્ટ મળે છે. આ ત્રણ ફુટેજની વાત કરીએ તો પહેલો વીડિયો 13 સપ્ટેમ્બરનો છે, બીજા બે વીડિયો 14 સપ્ટેમ્બરના છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.