સૌરાષ્ટ્રના આ 5 તાલુકામાં માવઠાથી પાક નુકસાનીના સર્વેનું 80 ટકા કામ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2023-04-03 19:33:14

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાઓમાં માવઠાંથી પાકના નુકસાનનો સર્વેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિવિધ પાકોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખેડૂતોનો પાક પલળી જતા તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ કારણે રાજકોટ જિલ્લાના 5 તાલુકાઓમાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 


સરકારને સોંપાશે રિપોર્ટ


કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ફરિયાદો ઉઠી હતી. જેના કારણે  સરકાર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા આ નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલ 80 ટકા જેટલો સર્વે પૂરો પણ થઈ ગયો છે અને આગામી દિવસોમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોપવામાં આવશે. રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 5 તાલુકામાં પાકને નુકસાન થયું છે. 


આ તાલુકામાં સર્વેનું કામ પુરૂ થયું


કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના 5 તાલુકા જસદણ, ઉપલેટા, રાજકોટ, ગોંડલ અનેકોટડામાં સર્વે માટે જુદી જુદી 28 ટીમ બનાવવામાં આવી હતી. અત્યારે રાજકોટ, ગોંડલ, જસદણ અને કોટડામાં સર્વે પૂરો થઈ ગયો છે, અને ઉપલેટામાં સર્વે ચાલુ છે જે 2 દિવસમાં પૂરો થઈ જશે.


પાંચ તાલુકાના 171 ગામમાં સર્વે


કૃષિ વિભાગના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે માવઠાથી અસરગ્રસ્ત 827 હેક્ટર વિસ્તારનમાં સર્વે કરવામાં આવ્યો છે. 171 ગામમાં આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 790 છે. અત્યારે ઉપલેટા તાલુકામાં સર્વે ચાલુ છે. સર્વે પુરો થયા  બાદ સંપુર્ણ રિપોર્ટ કલેક્ટરની મંજુરી બાદ સરકારમાં રજુ કરવામાં આવશે.


આ કૃષિ પાકને થયું નુકસાન 


કૃષિ વિભાગના સર્વે મુજબ પાંચ તાલુકામાં માવઠાના કારણે ઘઉં, ચણા, ધાણા અને જીરૂના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. વરસાદ પહેલા 95 ટકા ઘઉંની કાપણી થઈ ગઈ હતી.જે પલળી જતા અથવા તો વરસાદના કારણે આ પાકને નુકસાન થયું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.