સૌરાષ્ટ્રના આ 5 તાલુકામાં માવઠાથી પાક નુકસાનીના સર્વેનું 80 ટકા કામ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2023-04-03 19:33:14

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાઓમાં માવઠાંથી પાકના નુકસાનનો સર્વેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિવિધ પાકોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખેડૂતોનો પાક પલળી જતા તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ કારણે રાજકોટ જિલ્લાના 5 તાલુકાઓમાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 


સરકારને સોંપાશે રિપોર્ટ


કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ફરિયાદો ઉઠી હતી. જેના કારણે  સરકાર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા આ નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલ 80 ટકા જેટલો સર્વે પૂરો પણ થઈ ગયો છે અને આગામી દિવસોમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોપવામાં આવશે. રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 5 તાલુકામાં પાકને નુકસાન થયું છે. 


આ તાલુકામાં સર્વેનું કામ પુરૂ થયું


કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના 5 તાલુકા જસદણ, ઉપલેટા, રાજકોટ, ગોંડલ અનેકોટડામાં સર્વે માટે જુદી જુદી 28 ટીમ બનાવવામાં આવી હતી. અત્યારે રાજકોટ, ગોંડલ, જસદણ અને કોટડામાં સર્વે પૂરો થઈ ગયો છે, અને ઉપલેટામાં સર્વે ચાલુ છે જે 2 દિવસમાં પૂરો થઈ જશે.


પાંચ તાલુકાના 171 ગામમાં સર્વે


કૃષિ વિભાગના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે માવઠાથી અસરગ્રસ્ત 827 હેક્ટર વિસ્તારનમાં સર્વે કરવામાં આવ્યો છે. 171 ગામમાં આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 790 છે. અત્યારે ઉપલેટા તાલુકામાં સર્વે ચાલુ છે. સર્વે પુરો થયા  બાદ સંપુર્ણ રિપોર્ટ કલેક્ટરની મંજુરી બાદ સરકારમાં રજુ કરવામાં આવશે.


આ કૃષિ પાકને થયું નુકસાન 


કૃષિ વિભાગના સર્વે મુજબ પાંચ તાલુકામાં માવઠાના કારણે ઘઉં, ચણા, ધાણા અને જીરૂના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. વરસાદ પહેલા 95 ટકા ઘઉંની કાપણી થઈ ગઈ હતી.જે પલળી જતા અથવા તો વરસાદના કારણે આ પાકને નુકસાન થયું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે