સૌરાષ્ટ્રના આ 5 તાલુકામાં માવઠાથી પાક નુકસાનીના સર્વેનું 80 ટકા કામ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2023-04-03 19:33:14

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાઓમાં માવઠાંથી પાકના નુકસાનનો સર્વેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિવિધ પાકોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખેડૂતોનો પાક પલળી જતા તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ કારણે રાજકોટ જિલ્લાના 5 તાલુકાઓમાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 


સરકારને સોંપાશે રિપોર્ટ


કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ફરિયાદો ઉઠી હતી. જેના કારણે  સરકાર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા આ નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલ 80 ટકા જેટલો સર્વે પૂરો પણ થઈ ગયો છે અને આગામી દિવસોમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોપવામાં આવશે. રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 5 તાલુકામાં પાકને નુકસાન થયું છે. 


આ તાલુકામાં સર્વેનું કામ પુરૂ થયું


કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના 5 તાલુકા જસદણ, ઉપલેટા, રાજકોટ, ગોંડલ અનેકોટડામાં સર્વે માટે જુદી જુદી 28 ટીમ બનાવવામાં આવી હતી. અત્યારે રાજકોટ, ગોંડલ, જસદણ અને કોટડામાં સર્વે પૂરો થઈ ગયો છે, અને ઉપલેટામાં સર્વે ચાલુ છે જે 2 દિવસમાં પૂરો થઈ જશે.


પાંચ તાલુકાના 171 ગામમાં સર્વે


કૃષિ વિભાગના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે માવઠાથી અસરગ્રસ્ત 827 હેક્ટર વિસ્તારનમાં સર્વે કરવામાં આવ્યો છે. 171 ગામમાં આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 790 છે. અત્યારે ઉપલેટા તાલુકામાં સર્વે ચાલુ છે. સર્વે પુરો થયા  બાદ સંપુર્ણ રિપોર્ટ કલેક્ટરની મંજુરી બાદ સરકારમાં રજુ કરવામાં આવશે.


આ કૃષિ પાકને થયું નુકસાન 


કૃષિ વિભાગના સર્વે મુજબ પાંચ તાલુકામાં માવઠાના કારણે ઘઉં, ચણા, ધાણા અને જીરૂના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. વરસાદ પહેલા 95 ટકા ઘઉંની કાપણી થઈ ગઈ હતી.જે પલળી જતા અથવા તો વરસાદના કારણે આ પાકને નુકસાન થયું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.