રૂ. 2,000ની નોટો બદલાવા અંગે લોકોની મૂંઝવણ વધતા SBIએ કરી આ મહત્વની જાહેરાત, જાણો શું છે ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2023-05-21 15:39:30

RBIએ રૂ. 2,000ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી લોકોમાં મૂંઝવણ વધી છે. જો કે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે, એક સમયે 20,000 ની મર્યાદા સુધીની રૂ. 2,000 ની નોટ એક્સચેન્જ કરવા માટે લોકોને કોઈપણ રિક્વિઝિશન સ્લિપ અથવા ઓળખ પુરાવા વિના બદલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે RBIએ લોકોને આ નોટો 23 મેથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરવા અને/અથવા એક્સચેન્જ કરવા જણાવ્યું છે.


SBIની જાહેરાતથી હાશકારો


SBIએ એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'પેરા 4 (B)માં સમાયેલ સૂચનાઓના આંશિક ફેરફારમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક સમયે લોકોને રૂ. 2,000 મૂલ્યની બેંક નોટો રૂ. 20,000ની મર્યાદા સુધી બદલવાની સુવિધા આપવામાં આવશે. પરિશિષ્ટ-III માં જોડાયેલ ફોર્મેટ મુજબ કોઈપણ વ્યક્તિએ એક્સચેન્જ સમયે રીક્વિઝિશન સ્લિપ તેમજ કોઈ ઓળખ પુરાવા સબમિટ કરવાની જરૂર નથી.' ગત શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને રૂ. 2000ના મૂલ્યની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. જો કે, બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.