રૂ. 2,000ની નોટો બદલાવા અંગે લોકોની મૂંઝવણ વધતા SBIએ કરી આ મહત્વની જાહેરાત, જાણો શું છે ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2023-05-21 15:39:30

RBIએ રૂ. 2,000ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી લોકોમાં મૂંઝવણ વધી છે. જો કે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે, એક સમયે 20,000 ની મર્યાદા સુધીની રૂ. 2,000 ની નોટ એક્સચેન્જ કરવા માટે લોકોને કોઈપણ રિક્વિઝિશન સ્લિપ અથવા ઓળખ પુરાવા વિના બદલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે RBIએ લોકોને આ નોટો 23 મેથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરવા અને/અથવા એક્સચેન્જ કરવા જણાવ્યું છે.


SBIની જાહેરાતથી હાશકારો


SBIએ એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'પેરા 4 (B)માં સમાયેલ સૂચનાઓના આંશિક ફેરફારમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક સમયે લોકોને રૂ. 2,000 મૂલ્યની બેંક નોટો રૂ. 20,000ની મર્યાદા સુધી બદલવાની સુવિધા આપવામાં આવશે. પરિશિષ્ટ-III માં જોડાયેલ ફોર્મેટ મુજબ કોઈપણ વ્યક્તિએ એક્સચેન્જ સમયે રીક્વિઝિશન સ્લિપ તેમજ કોઈ ઓળખ પુરાવા સબમિટ કરવાની જરૂર નથી.' ગત શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને રૂ. 2000ના મૂલ્યની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. જો કે, બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.