રૂ. 2,000ની નોટો બદલાવા અંગે લોકોની મૂંઝવણ વધતા SBIએ કરી આ મહત્વની જાહેરાત, જાણો શું છે ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2023-05-21 15:39:30

RBIએ રૂ. 2,000ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી લોકોમાં મૂંઝવણ વધી છે. જો કે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે, એક સમયે 20,000 ની મર્યાદા સુધીની રૂ. 2,000 ની નોટ એક્સચેન્જ કરવા માટે લોકોને કોઈપણ રિક્વિઝિશન સ્લિપ અથવા ઓળખ પુરાવા વિના બદલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે RBIએ લોકોને આ નોટો 23 મેથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરવા અને/અથવા એક્સચેન્જ કરવા જણાવ્યું છે.


SBIની જાહેરાતથી હાશકારો


SBIએ એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'પેરા 4 (B)માં સમાયેલ સૂચનાઓના આંશિક ફેરફારમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક સમયે લોકોને રૂ. 2,000 મૂલ્યની બેંક નોટો રૂ. 20,000ની મર્યાદા સુધી બદલવાની સુવિધા આપવામાં આવશે. પરિશિષ્ટ-III માં જોડાયેલ ફોર્મેટ મુજબ કોઈપણ વ્યક્તિએ એક્સચેન્જ સમયે રીક્વિઝિશન સ્લિપ તેમજ કોઈ ઓળખ પુરાવા સબમિટ કરવાની જરૂર નથી.' ગત શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને રૂ. 2000ના મૂલ્યની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. જો કે, બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.