SCએ ઉત્તરાખંડની સ્થાયી મહિલાને 30 ટકા અનામતની રોક હટાવી


  • Published By :
  • Published Date : 2022-11-04 16:15:46

સુપ્રીમ કૉર્ટે ઉત્તરાખંડ રાજ્યમાં સરકારી નોકરીમાં ઉત્તરાખંડની મહિલાઓને મળતા 30 ટકા અનામતને હટાવી દીધું છે. ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓને 30 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે આરક્ષણ આપ્યાના નિર્ણયને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામત આપવાનો હક માત્ર સંસદને છે રાજ્યને નથી.

શું હતો સમગ્ર મામલો? કેમ સુપ્રીમ કોર્ટે અનામત હટાવી?

ઉત્તરાખંડ હાઈકોર્ટની ડિવિઝન બેંચ પવિત્રા ચૌહાણ, અનન્યા ચૌહાણ અને રાજ્ય બહારથી આવેલા બિનઅનામત વર્ગના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. તેમનો મામલો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓના કટ ઓફ માર્કથી વધારે માર્ક હોવા છતાં તેમને મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે મનાહી કરી દેવામાં આવી હતી. આથી તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઉત્તરાખંડ હાઈકોર્ટે 30 ટકા સ્થાયી મહિલાના આરક્ષણ હટાવવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સમગ્ર મામલે સુનાવણી કરવામાં આવી હતી અને ઉત્તરાખંડની સ્થાયી મહિલાઓની 30 ટકા અનામત પર રોક મૂકી દીધી હતી. 




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.