SCએ ઉત્તરાખંડની સ્થાયી મહિલાને 30 ટકા અનામતની રોક હટાવી


  • Published By :
  • Published Date : 2022-11-04 16:15:46

સુપ્રીમ કૉર્ટે ઉત્તરાખંડ રાજ્યમાં સરકારી નોકરીમાં ઉત્તરાખંડની મહિલાઓને મળતા 30 ટકા અનામતને હટાવી દીધું છે. ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓને 30 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે આરક્ષણ આપ્યાના નિર્ણયને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામત આપવાનો હક માત્ર સંસદને છે રાજ્યને નથી.

શું હતો સમગ્ર મામલો? કેમ સુપ્રીમ કોર્ટે અનામત હટાવી?

ઉત્તરાખંડ હાઈકોર્ટની ડિવિઝન બેંચ પવિત્રા ચૌહાણ, અનન્યા ચૌહાણ અને રાજ્ય બહારથી આવેલા બિનઅનામત વર્ગના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. તેમનો મામલો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓના કટ ઓફ માર્કથી વધારે માર્ક હોવા છતાં તેમને મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે મનાહી કરી દેવામાં આવી હતી. આથી તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઉત્તરાખંડ હાઈકોર્ટે 30 ટકા સ્થાયી મહિલાના આરક્ષણ હટાવવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સમગ્ર મામલે સુનાવણી કરવામાં આવી હતી અને ઉત્તરાખંડની સ્થાયી મહિલાઓની 30 ટકા અનામત પર રોક મૂકી દીધી હતી. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.