SCએ ઉત્તરાખંડની સ્થાયી મહિલાને 30 ટકા અનામતની રોક હટાવી


  • Published By :
  • Published Date : 2022-11-04 16:15:46

સુપ્રીમ કૉર્ટે ઉત્તરાખંડ રાજ્યમાં સરકારી નોકરીમાં ઉત્તરાખંડની મહિલાઓને મળતા 30 ટકા અનામતને હટાવી દીધું છે. ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓને 30 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે આરક્ષણ આપ્યાના નિર્ણયને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામત આપવાનો હક માત્ર સંસદને છે રાજ્યને નથી.

શું હતો સમગ્ર મામલો? કેમ સુપ્રીમ કોર્ટે અનામત હટાવી?

ઉત્તરાખંડ હાઈકોર્ટની ડિવિઝન બેંચ પવિત્રા ચૌહાણ, અનન્યા ચૌહાણ અને રાજ્ય બહારથી આવેલા બિનઅનામત વર્ગના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. તેમનો મામલો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓના કટ ઓફ માર્કથી વધારે માર્ક હોવા છતાં તેમને મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે મનાહી કરી દેવામાં આવી હતી. આથી તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઉત્તરાખંડ હાઈકોર્ટે 30 ટકા સ્થાયી મહિલાના આરક્ષણ હટાવવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સમગ્ર મામલે સુનાવણી કરવામાં આવી હતી અને ઉત્તરાખંડની સ્થાયી મહિલાઓની 30 ટકા અનામત પર રોક મૂકી દીધી હતી. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે