SCએ ઉત્તરાખંડની સ્થાયી મહિલાને 30 ટકા અનામતની રોક હટાવી


  • Published By :
  • Published Date : 2022-11-04 16:15:46

સુપ્રીમ કૉર્ટે ઉત્તરાખંડ રાજ્યમાં સરકારી નોકરીમાં ઉત્તરાખંડની મહિલાઓને મળતા 30 ટકા અનામતને હટાવી દીધું છે. ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓને 30 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે આરક્ષણ આપ્યાના નિર્ણયને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામત આપવાનો હક માત્ર સંસદને છે રાજ્યને નથી.

શું હતો સમગ્ર મામલો? કેમ સુપ્રીમ કોર્ટે અનામત હટાવી?

ઉત્તરાખંડ હાઈકોર્ટની ડિવિઝન બેંચ પવિત્રા ચૌહાણ, અનન્યા ચૌહાણ અને રાજ્ય બહારથી આવેલા બિનઅનામત વર્ગના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. તેમનો મામલો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓના કટ ઓફ માર્કથી વધારે માર્ક હોવા છતાં તેમને મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે મનાહી કરી દેવામાં આવી હતી. આથી તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઉત્તરાખંડ હાઈકોર્ટે 30 ટકા સ્થાયી મહિલાના આરક્ષણ હટાવવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સમગ્ર મામલે સુનાવણી કરવામાં આવી હતી અને ઉત્તરાખંડની સ્થાયી મહિલાઓની 30 ટકા અનામત પર રોક મૂકી દીધી હતી. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.