નવીન કુમાર જિંદલની ફરિયાદો દિલ્લી પોલીસને સોંપવા SCનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-04 18:02:55

સુપ્રીમ કૉર્ટે પૈગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ નિવેદન કરવાના મામલામાં ભારતીય જનતા પાર્ટીના દિલ્લી યુનિટના પૂર્વ મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદલ સામે વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલી ફરિયાદને દિલ્લીની વિશેષ ટીમને ટ્રાન્સફર કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. 

શું હતો સમગ્ર મામલો

દિલ્લીના સિનિયર વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે પૈગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નૂપુર શર્મા અને નવિકા કુમારના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વકીલે અરજી કરી હતી કે કેસમાં વિશ્વાસ સાથે કામગીરી કરવામાં આવશે પણ વિવિધ રાજ્યોની અરજીને દિલ્લી પોલીસ પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવે. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અનેક ફરિયાદો એવી છે કે જેમાં નવીન કુમાર જિંદલને છોડી દેવામાં આવે આથી તમામ અરજીને દિલ્લી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. 

નવીન કુમાર જિંદલે કરી હતી વિવાદિત ટ્વીટ

ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાએ જૂનમાં પૈગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું જેથી સાર્વજનિક તપાસ કરવાના આદેશ અપાયા હતા.સમગ્ર મામલો ભારત સહિત અન્ય દેશોમાં પણ ચગ્યો હતો અને નિવેદનો વિશે નિંદા કરવામાં આવી હતી. કતાર, કુવૈત અને ઈરાન જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની નિંદા થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ ટ્વીટ બાદ નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. દેશના વિવિધ વિસ્તારોમાં નવીન કુમાર જિંદાલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જે હવે દિલ્લી પોલીસના આઈએફએસઓ




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.