નવીન કુમાર જિંદલની ફરિયાદો દિલ્લી પોલીસને સોંપવા SCનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-04 18:02:55

સુપ્રીમ કૉર્ટે પૈગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ નિવેદન કરવાના મામલામાં ભારતીય જનતા પાર્ટીના દિલ્લી યુનિટના પૂર્વ મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદલ સામે વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલી ફરિયાદને દિલ્લીની વિશેષ ટીમને ટ્રાન્સફર કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. 

શું હતો સમગ્ર મામલો

દિલ્લીના સિનિયર વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે પૈગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નૂપુર શર્મા અને નવિકા કુમારના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વકીલે અરજી કરી હતી કે કેસમાં વિશ્વાસ સાથે કામગીરી કરવામાં આવશે પણ વિવિધ રાજ્યોની અરજીને દિલ્લી પોલીસ પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવે. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અનેક ફરિયાદો એવી છે કે જેમાં નવીન કુમાર જિંદલને છોડી દેવામાં આવે આથી તમામ અરજીને દિલ્લી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. 

નવીન કુમાર જિંદલે કરી હતી વિવાદિત ટ્વીટ

ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાએ જૂનમાં પૈગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું જેથી સાર્વજનિક તપાસ કરવાના આદેશ અપાયા હતા.સમગ્ર મામલો ભારત સહિત અન્ય દેશોમાં પણ ચગ્યો હતો અને નિવેદનો વિશે નિંદા કરવામાં આવી હતી. કતાર, કુવૈત અને ઈરાન જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની નિંદા થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ ટ્વીટ બાદ નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. દેશના વિવિધ વિસ્તારોમાં નવીન કુમાર જિંદાલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જે હવે દિલ્લી પોલીસના આઈએફએસઓ




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.