LCમાં ભૂલ હોય તો સુધારવાની ફરજ સ્કૂલની:ગુજરાત હાઈકોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:25:40

ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ, એલસીમાં ભૂલ સુધારવાની ફરજ સ્કૂલની
શહેરની એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી રજૂઆત
સ્કૂલ એડમિશન વખતે માતાએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી દીધી હતી

ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, કહ્યું, 'આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા  કરી દેશો, અમારે એ નથી સાંભળવું' - BBC News ગુજરાતી


શહેરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. જેથી સુધારો કરવા અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ થઈ હોય તો સુધારવાની ફરજ શાળાની છે.


ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો એક કેસ પહોંચ્યો હતો. શહેરની એક શાળામાં ભણતી અરજદાર વિદ્યાર્થિની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરુરી સુધારો કરી આપવા માટે હાઈકોર્ટમાં પહોંચી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં ઠરાવ્યું છે કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની ફરજ શાળાની છે. આ ભૂલ શાળાએ જ સુધારવી પડે. અરજદાર વિદ્યાર્થિનીએ એવી રજૂઆત કરી હતી કે, જ્યારે તેમના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી.


ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની એક સ્કૂલમાં ભણતી અરજદાર વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ હતુ ત્યારે તેઓએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. અરજદારની સાચી જન્મતારીખ 21-8-1991 છે અને એના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 22-8-1991 લખેલું છે. જેથી આ સુધારો કરવા માટે અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા.


ભૂલ સુધારવાની ફરજ પણ સ્કૂલની

ત્યારે ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે, આ કેસમાં અરજદાર વિદ્યાર્થિની દ્વારા રજૂ કરવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી એક વૈદ્યાનિક પ્રમાણપત્ર છે. પુરાવા માટે ખૂબ જ કિંમતી હોય છે. જન્મના પ્રમાણપત્રમાં જે જન્મતારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ જન્મ-મરણ અધિનિયમ હેઠળ વૈદ્યાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલ હોય છે. જો ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે.


શાળાએ આ ભૂલ સુધારવી પડે

ખાસ કરીને વિદ્યાર્થિનીએ રજૂ કરેલા જન્મના પ્રમાણપત્રમાં કોઈ વિવાદ નથી. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં થયેલી ભૂલ સુધારવાની ફરજ શાળાની છે અને શાળાએ શાળાએ આ ભૂલ સુધારવી જ પડે. ગુજરાતના આ મહત્વના આદેશ બાદ વિદ્યાર્થિનીએ પણ રાહત મેળવી હતી. મહત્વનું છે કે, ક્યારેક સ્કૂલો દ્વારા આવા પ્રકારની ગંભીર ભૂલ થતી હોય છે. ત્યારે આ ભૂલ સુધારવાની પણ જવાબદારી સ્કૂલની જ રહેતી હોય છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.