LCમાં ભૂલ હોય તો સુધારવાની ફરજ સ્કૂલની:ગુજરાત હાઈકોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:25:40

ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ, એલસીમાં ભૂલ સુધારવાની ફરજ સ્કૂલની
શહેરની એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી રજૂઆત
સ્કૂલ એડમિશન વખતે માતાએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી દીધી હતી

ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, કહ્યું, 'આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા  કરી દેશો, અમારે એ નથી સાંભળવું' - BBC News ગુજરાતી


શહેરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. જેથી સુધારો કરવા અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ થઈ હોય તો સુધારવાની ફરજ શાળાની છે.


ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો એક કેસ પહોંચ્યો હતો. શહેરની એક શાળામાં ભણતી અરજદાર વિદ્યાર્થિની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરુરી સુધારો કરી આપવા માટે હાઈકોર્ટમાં પહોંચી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં ઠરાવ્યું છે કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની ફરજ શાળાની છે. આ ભૂલ શાળાએ જ સુધારવી પડે. અરજદાર વિદ્યાર્થિનીએ એવી રજૂઆત કરી હતી કે, જ્યારે તેમના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી.


ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની એક સ્કૂલમાં ભણતી અરજદાર વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ હતુ ત્યારે તેઓએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. અરજદારની સાચી જન્મતારીખ 21-8-1991 છે અને એના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 22-8-1991 લખેલું છે. જેથી આ સુધારો કરવા માટે અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા.


ભૂલ સુધારવાની ફરજ પણ સ્કૂલની

ત્યારે ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે, આ કેસમાં અરજદાર વિદ્યાર્થિની દ્વારા રજૂ કરવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી એક વૈદ્યાનિક પ્રમાણપત્ર છે. પુરાવા માટે ખૂબ જ કિંમતી હોય છે. જન્મના પ્રમાણપત્રમાં જે જન્મતારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ જન્મ-મરણ અધિનિયમ હેઠળ વૈદ્યાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલ હોય છે. જો ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે.


શાળાએ આ ભૂલ સુધારવી પડે

ખાસ કરીને વિદ્યાર્થિનીએ રજૂ કરેલા જન્મના પ્રમાણપત્રમાં કોઈ વિવાદ નથી. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં થયેલી ભૂલ સુધારવાની ફરજ શાળાની છે અને શાળાએ શાળાએ આ ભૂલ સુધારવી જ પડે. ગુજરાતના આ મહત્વના આદેશ બાદ વિદ્યાર્થિનીએ પણ રાહત મેળવી હતી. મહત્વનું છે કે, ક્યારેક સ્કૂલો દ્વારા આવા પ્રકારની ગંભીર ભૂલ થતી હોય છે. ત્યારે આ ભૂલ સુધારવાની પણ જવાબદારી સ્કૂલની જ રહેતી હોય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.