LCમાં ભૂલ હોય તો સુધારવાની ફરજ સ્કૂલની:ગુજરાત હાઈકોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:25:40

ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ, એલસીમાં ભૂલ સુધારવાની ફરજ સ્કૂલની
શહેરની એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી રજૂઆત
સ્કૂલ એડમિશન વખતે માતાએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી દીધી હતી

ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, કહ્યું, 'આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા  કરી દેશો, અમારે એ નથી સાંભળવું' - BBC News ગુજરાતી


શહેરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. જેથી સુધારો કરવા અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ થઈ હોય તો સુધારવાની ફરજ શાળાની છે.


ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો એક કેસ પહોંચ્યો હતો. શહેરની એક શાળામાં ભણતી અરજદાર વિદ્યાર્થિની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરુરી સુધારો કરી આપવા માટે હાઈકોર્ટમાં પહોંચી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં ઠરાવ્યું છે કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની ફરજ શાળાની છે. આ ભૂલ શાળાએ જ સુધારવી પડે. અરજદાર વિદ્યાર્થિનીએ એવી રજૂઆત કરી હતી કે, જ્યારે તેમના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી.


ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની એક સ્કૂલમાં ભણતી અરજદાર વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ હતુ ત્યારે તેઓએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. અરજદારની સાચી જન્મતારીખ 21-8-1991 છે અને એના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 22-8-1991 લખેલું છે. જેથી આ સુધારો કરવા માટે અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા.


ભૂલ સુધારવાની ફરજ પણ સ્કૂલની

ત્યારે ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે, આ કેસમાં અરજદાર વિદ્યાર્થિની દ્વારા રજૂ કરવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી એક વૈદ્યાનિક પ્રમાણપત્ર છે. પુરાવા માટે ખૂબ જ કિંમતી હોય છે. જન્મના પ્રમાણપત્રમાં જે જન્મતારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ જન્મ-મરણ અધિનિયમ હેઠળ વૈદ્યાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલ હોય છે. જો ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે.


શાળાએ આ ભૂલ સુધારવી પડે

ખાસ કરીને વિદ્યાર્થિનીએ રજૂ કરેલા જન્મના પ્રમાણપત્રમાં કોઈ વિવાદ નથી. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં થયેલી ભૂલ સુધારવાની ફરજ શાળાની છે અને શાળાએ શાળાએ આ ભૂલ સુધારવી જ પડે. ગુજરાતના આ મહત્વના આદેશ બાદ વિદ્યાર્થિનીએ પણ રાહત મેળવી હતી. મહત્વનું છે કે, ક્યારેક સ્કૂલો દ્વારા આવા પ્રકારની ગંભીર ભૂલ થતી હોય છે. ત્યારે આ ભૂલ સુધારવાની પણ જવાબદારી સ્કૂલની જ રહેતી હોય છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.