સુરતમાં બેફામ કાર ચાલકે સ્કૂલવાનને ટક્કર મારી, સમગ્ર દુર્ઘટના CCTVમાં કેદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 14:54:25

સ્કૂલવાન સાથે અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં અવારનવાર બનતી રહે છે. ઘણીવાર વાનચાલકની ભૂલના કારણે ભૂલકાઓનો જીવ જોખમમાં મુકાતો હોય છે. સુરતના અલથાણ વિસ્તારમાં ચાઈના ગેટ પાસે સ્કૂલવાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જે સ્કૂલ વાનનો અકસ્માત થયો છે. જેમાં 9 બાળકો સવાર હતા. અકસ્માતના કારણે એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાનીમોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત CCTVમાં કેદ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પૂરપાટ આવતી કારે સ્કૂલવાનને ટક્કર માર્યા બાદ વાન 10 ફૂટ ઢસડાયા બાદ તે પલટી મારી ગઈ હતી.


ઘાયલ બાળકોને  હોસ્પિટલમાં ખસેડાયા



સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવારે શાળાએ પહોંચે એ પહેલા જ અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા સ્કૂલ વાનને સીધી કરવાનો પ્રયાસ કરાયો અને વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા. ટક્કર બાદ કાર ચાલક પણ કારમાંથી બહાર નીકળીને બાળકોને બચાવવા દોડતો જોવા મળે છે. ઘાયલ બાળકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.