વધતી ઠંડીને કારણે આ રાજ્યોની શાળામાં રહેશે બંધ, જાણો લિસ્ટમાં કયા રાજ્યોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-01-04 10:22:12

દેશના અનેક રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઉત્તરભારતમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



શાળાઓમાં જાહેર કરાયું શીતકાલીન વેકેશન 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી વધવાને કારણે અનેક રાજ્યોમાં સ્કુલમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. શીતલહેરને કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં ઠંડી વધી રહી છે. ઠંડીને કારણે શાળામાં Winter Vaccation જાહેર કરવામાં આવ્યું છે. 


छवि


મધ્યપ્રદેશ, દિલ્હીમાં શાળાઓ રહેશે બંધ 

મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા શાળાઓમાં રજા આપવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 7 જાન્યુઆરી સુધી ધોરણ 5 સુધીના બાળકો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ઠંડી વધવાને કારણે શાળોએ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી સુધી તમામ સરકારી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


छवि

પંજાબ સરકારે પણ શાળા બંધ રાખવાનો લીઘો નિર્ણય

ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વધતી ઠંડીને કારણે સ્કુલ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. લખનઉમાં 7 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ શીતકાલીન વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં પણ ઠંડીને કારણે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણા સરકારે પણ શાળોઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત બિહાર સરકાર દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.         

    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.