વધતી ઠંડીને કારણે આ રાજ્યોની શાળામાં રહેશે બંધ, જાણો લિસ્ટમાં કયા રાજ્યોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-01-04 10:22:12

દેશના અનેક રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઉત્તરભારતમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



શાળાઓમાં જાહેર કરાયું શીતકાલીન વેકેશન 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી વધવાને કારણે અનેક રાજ્યોમાં સ્કુલમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. શીતલહેરને કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં ઠંડી વધી રહી છે. ઠંડીને કારણે શાળામાં Winter Vaccation જાહેર કરવામાં આવ્યું છે. 


छवि


મધ્યપ્રદેશ, દિલ્હીમાં શાળાઓ રહેશે બંધ 

મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા શાળાઓમાં રજા આપવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 7 જાન્યુઆરી સુધી ધોરણ 5 સુધીના બાળકો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ઠંડી વધવાને કારણે શાળોએ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી સુધી તમામ સરકારી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


छवि

પંજાબ સરકારે પણ શાળા બંધ રાખવાનો લીઘો નિર્ણય

ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વધતી ઠંડીને કારણે સ્કુલ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. લખનઉમાં 7 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ શીતકાલીન વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં પણ ઠંડીને કારણે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણા સરકારે પણ શાળોઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત બિહાર સરકાર દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.         

    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.