વધતી ઠંડીને કારણે આ રાજ્યોની શાળામાં રહેશે બંધ, જાણો લિસ્ટમાં કયા રાજ્યોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-01-04 10:22:12

દેશના અનેક રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઉત્તરભારતમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



શાળાઓમાં જાહેર કરાયું શીતકાલીન વેકેશન 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી વધવાને કારણે અનેક રાજ્યોમાં સ્કુલમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. શીતલહેરને કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં ઠંડી વધી રહી છે. ઠંડીને કારણે શાળામાં Winter Vaccation જાહેર કરવામાં આવ્યું છે. 


छवि


મધ્યપ્રદેશ, દિલ્હીમાં શાળાઓ રહેશે બંધ 

મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા શાળાઓમાં રજા આપવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 7 જાન્યુઆરી સુધી ધોરણ 5 સુધીના બાળકો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ઠંડી વધવાને કારણે શાળોએ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી સુધી તમામ સરકારી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


छवि

પંજાબ સરકારે પણ શાળા બંધ રાખવાનો લીઘો નિર્ણય

ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વધતી ઠંડીને કારણે સ્કુલ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. લખનઉમાં 7 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ શીતકાલીન વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં પણ ઠંડીને કારણે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણા સરકારે પણ શાળોઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત બિહાર સરકાર દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.         

    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.