વધતી ઠંડીને કારણે આ રાજ્યોની શાળામાં રહેશે બંધ, જાણો લિસ્ટમાં કયા રાજ્યોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-01-04 10:22:12

દેશના અનેક રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઉત્તરભારતમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



શાળાઓમાં જાહેર કરાયું શીતકાલીન વેકેશન 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી વધવાને કારણે અનેક રાજ્યોમાં સ્કુલમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. શીતલહેરને કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં ઠંડી વધી રહી છે. ઠંડીને કારણે શાળામાં Winter Vaccation જાહેર કરવામાં આવ્યું છે. 


छवि


મધ્યપ્રદેશ, દિલ્હીમાં શાળાઓ રહેશે બંધ 

મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા શાળાઓમાં રજા આપવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 7 જાન્યુઆરી સુધી ધોરણ 5 સુધીના બાળકો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ઠંડી વધવાને કારણે શાળોએ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી સુધી તમામ સરકારી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


छवि

પંજાબ સરકારે પણ શાળા બંધ રાખવાનો લીઘો નિર્ણય

ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વધતી ઠંડીને કારણે સ્કુલ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. લખનઉમાં 7 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ શીતકાલીન વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં પણ ઠંડીને કારણે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણા સરકારે પણ શાળોઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત બિહાર સરકાર દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.         

    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.